SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ મનના આવેગ પર કાબૂ રાખવો પડે છે. જીવનમાં સફળતા માટે સાચા નિર્ણયની આવશ્યકતા છે અને સાચા નિર્ણય માટે તટસ્થતાની આવશ્યકતા છે. સભા - ભગવાન ભીંત પર ધ્યાનમાં શું ચિંતન મનન કરે ? જણાવો ને. સાહેબજી - જેમ ભીંત દ્રવ્ય તરીકે શું? દ્રવ્યના ગુણ શું? પર્યાય શું? તેનું સ્વરૂપ શું? તેમને પવિત્ર નિર્મળ જ્ઞાનની ધારા હોય અને જ્ઞાનરૂપ ધારાનો આસ્વાદ હોય. જેમ ભીંત મૂળથી શાશ્વત છે કે અશાશ્વત છે? અપેક્ષાએ શાશ્વત છે, અપેક્ષાએ અશાશ્વત છે. જે અણુપરમાણુની રચનાથી થઈ છે, તે અણુપરમાણુ શાશ્વત છે; પણ તેમાંથી બનતા આકારરૂપે અશાશ્વત છે. તેમનું ચિંતન સ્યાદ્વાદમય જ હોય. અપેક્ષાએ સુંદર છે, અપેક્ષાએ અસુંદર છે; અપેક્ષાએ ભિન્ન છે, અપેક્ષાએ અભિન્ન છે. આ બધાં પાસાંથી ચિંતન કરવા દાર્શનિક જ્ઞાન જોઇએ. તેમના ચિંતનમાં સપ્તભંગી, નયવાદ, સ્યાદ્વાદ બધું જ આવી જાય. કોઈપણ વસ્તુનું તમામ પાસાંથી ચિંતન કરવા સ્યાદ્વાદ દષ્ટિ જોઈએ. તમારો આત્મા અને ભીંત અપેક્ષાએ જુદા છે અને અપેક્ષાએ એક છે. સભા:- જડ અને ચેતન એક કઇ રીતે? સાહેબજી - એ પણ દ્રવ્ય છે અને હું(આત્મા) પણ દ્રવ્ય છું. દ્રવ્ય એક જ છે, તફાવત ગુણધર્મોનો છે. સ્યાદ્વાદ ભણે તે આ બધો વિચાર કરી શકે. ભીંત અપેક્ષાએ ભિન્ન છે અપેક્ષાએ અભિન્ન છે. જેમ બીજા આત્મા પણ અપેક્ષાએ ભિન્ન છે અપેક્ષાએ એક છે. કારણ અમુક રીતનું જુદાપણું છે, અમુક રીતની સમાનતા છે. સભા:- પણ જડ પદાર્થ અને આત્મા એક કઈ રીતે સાહેબજી? સાહેબજીઃ- આત્મા પણ દ્રવ્ય છે, જડ પણ દ્રવ્ય છે. તમે ચેતના અને જડતાનો વિચાર કરો તો જુદા છે અને એ તો ગુણ છે ને? સત્તાથી અસ્તિત્વ દ્રવ્યરૂપે આખા જગત સાથે અભેદ છે. બધે સ્યાદ્વાદ-નયવાદ છે. તીર્થકરો મહિનાઓ સુધી ચિંતન કરે તો પણ તેમને ખૂટે નહિ. અગાધ જ્ઞાન હોય. લખ્યું છે ને કે ભગવાન મહાવીરે આખી રાત એક પરમાણુ પર ચિંતન કર્યું હતું. તમે બે મિનિટ પણ ન કરી શકો. સભા :- આવા વિષય પર ધ્યાન કરે તો કર્મ ખરે ખરાં? સાહેબજી :- હા, અનાસક્તિ-નિર્લેપતાપૂર્વકનું કોઇપણ વિષયનું નિર્મળ જ્ઞાન કર્મ ખપાવવાનું સાધન છે. જયારે તમારું જ્ઞાન વિકારી છે, માટે કર્મ બંધાય છે. ભગવાને પરમાણુ * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * ૧૫૬ મનોવિજય અને આત્મશુદ્ધિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005185
Book TitleManovijay ane Atmshuddhi
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy