SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગીદાર એક સલાહ આપે, જયારે તમારો દીકરો બીજી સલાહ આપે. પરંતુ તમારો ભાગીદાર જરા કચકચિયો હોય, તેની સાથે તમારે જરા ઓછું જામતું હોય; અને દીકરા તરફ મમત્વ હોવાના કારણે સારું બનતું હોય, આ ષ અને રાગથી પ્રેરાઈને પછી તમે ધંધાનો સાચો નિર્ણય કરી શકો ખરા? આવેગો સાથે વાસ્તવિક સત્યનું દર્શન કરી શકો નહિ. માટે સાચો નિર્ણય કરવા ભાગીદાર તરફનો દ્વેષ અને દીકરા તરફનો રાગ બન્ને છોડવા પડે અને જેની વાત તટસ્થતાથી વિચારતાં વેપારમાં લાભકારી લાગે તેની વાત અપનાવવી પડે.. માટે કહો છો ને કે ધંધામાં લાગણીવેડા ન ચાલે. તે વખતે તમે મમતાને પણ બાજુ પર મૂકો છો ને? સભા -સાથે એમ પણ કહે છે કે ધંધામાં ધરમડા ન ચાલે. સાહેબજી - એ તો જેને સાચા ધર્મનું ભાન નથી તે આવું બોલે છે. કહે છે કે ધર્મ બધે લાવીએ તો બરબાદ થઈ જઈએ. માટે તમારા હિસાબે ધર્મ એ બરબાદીનું કારણ છે ને? આ જે મગજમાં બેઠેલું છે તે મહામિથ્યાત્વ છે. માટે મૂળમાં જ સમજણની ખામી છે. જીવનમાં એવું કોઇ ક્ષેત્ર નથી કે જ્યાં તમે ધર્મ અપનાવો અને સુખશાંતિ ન મળે. આ વિશ્વમાં પરમ સુખશાંતિનું સાધન ધર્મ છે. ધર્મથી આ ભવમાં અને પરભવમાં સુખશાંતિ મળે છે. ભગવાનની આજ્ઞા જ એનું નામ, જે એકાંતે સુખકારી હોય. વીતરાગની આજ્ઞા કદી દુઃખકારી હોય નહિ. જેના હૃદયમાં સર્વ જીવોના કલ્યાણની ભાવના હોય તેના ઉપદેશમાં કદી કોઇનું પણ ખરાબ કરવાની ભાવના હોય? માટે આવું બોલનારને ધર્મ પર અરુચિ પડી છે. ઘણાને થાય કે બહુ ધર્મ ન કરવો, લિમિટમાં જ કરવો, વધારે કરીએ તો પાયમાલ થઇ જઇએ. આવું માનનારને ધર્મ તરફ મૂળમાંથી અરુચિ છે. હજી તમને જીવનમાં વાસ્તવિક ધર્મની ઓળખાણ જ થઈ નથી. ધર્મ કદી પણ તમને પત્ની, ભાઈ, દિકરા સાથે સ્વાર્થજન્ય મતભેદ થાય તેવી, કે ધર્મના ક્ષેત્રમાં પણ નુકસાન થાય તેવી સલાહ આપશે ખરો? ધર્મના ક્ષેત્રમાં કે ભૌતિક ક્ષેત્રમાં આત્માનું ભલું થાય તેવી જ સલાહ આપશે. તીર્થકર ભગવાન સાધનાકાળમાં કોઇપણ વસ્તુનું ધ્યાન કરે તે તટસ્થતાથી જ કરે. પૂ.આ. શ્રી હેમચંદ્રસૂરિએ લખ્યું કે “સમતા અને ધ્યાનને છેડાછેડી બંધાયેલી છે.” જેનું મન તટસ્થ નથી તે વાસ્તવિકતાનું દર્શન ન કરી શકે. રાગ-દ્વેષ એ એક પ્રકારનો પક્ષપાત છે. પક્ષપાતથી વિચારેલી વાત અવાસ્તવિક-મિથ્યા જ હોય. દીકરાના રાગથી પ્રેરાઇને ધંધામાં વિચાર કરશો તો ફેઇલ જશો, તેમ ભાગીદારના દ્વેષથી પ્રેરાઈને ધંધામાં વિચાર કરશો તો પણ ફેઈલ જશો. સંસારમાં પણ સાચા નિર્ણય કરવા હોય તો તટસ્થ બનવું પડે, આવેગશૂન્ય બનવું પડે. જીવનમાં ભૌતિક દષ્ટિએ સફળ થવા માટે મનોવિજય અને આત્મશુદ્ધિ ૧૫૫ M-11 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005185
Book TitleManovijay ane Atmshuddhi
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy