________________
ભગવાનનું ચિંતન-મનન-ધ્યાન કષાયોના આવેગ રહિત હોય ?
સમતામાં રહેલા જીવને માનસિક થાક નથી, જયારે આપણને છ-બાર કલાકની ઊંઘવાની જરૂર પડે છે. તે વખતે મગજ સુષુપ્ત હોય છે. આજુબાજુ પણ શું થાય છે તેની ખબર પડતી નથી. અત્યારે ૨૪ કલાકમાં ઘણાને દસ-બાર કલાક સૂવું પડે છે, કારણ માનસિક થાક વધારે છે. ભગવાને દીક્ષા લીધા પછી ૧૨ા વર્ષમાં માત્ર એક અંતર્મુહૂર્ત ઊંઘ લીધી છે. ઊંધ્યા પણ કઈ રીતે? ઊભા ઊભા ધ્યાનમાં, ચિંતન-મનન કરતાં કોઇકવાર અડધી મિનિટનું ઝોકું આવી જાય. માણસ ફિઝીકલી ઓવર વર્ક કરે ત્યારે શારીરિક થાક લાગે. રોગી માણસની આ વાત નથી. તેને તો એમ ને એમ પણ થાક લાગે. ભગવાન દીક્ષા લીધા પછી મિનિમમ દિવસના ૨૧ કલાક ધ્યાનમાં રહ્યા છે. વધારેમાં વધારે ૨૪ કલાક પણ રહ્યા છે. ઘણી વખત ચોમાસાની ચૌદસથી ધ્યાનમાં રહે તો બીજી ચોમાસી ચૌદસ આવે ત્યાં સુધી ધ્યાનમાં જ હોય. પણ ઓછામાં ઓછું ૨૧ કલાકનું તેમને ધ્યાન હોય. મગજ કેટલું સક્રિય હોય ! ઊભા રહે તેથી શરીરને શ્રમ પડે, ધ્યાન કરવાથી મગજને શ્રમ પડે. તમે બે કલાકમાં થાકી જાઓ ને? પણ પ્રભુને સ્કૂર્તિ હોય, જરાપણ થાક ન હોય, કારણ તેમને ક્યાંય આવેગ નથી. જયારે આપણને કષાયોના આવેગનો પાર નથી.
સભા:- ભગવાન શાનું ચિંતન કરે?
સાહેબજી:- આખી દુનિયાનું ચિંતન કરે. ભીંત ઉપર વિચારવાનું ચાલુ કરે. તેમાંથી અધ્યાત્મનું રહસ્ય સ્કુરે. તમે દ્રવ્યાનુયોગ ભણ્યા હો તો થોડું ચિંતન-મનન કરી શકો. તમને ભીંત દેખાય તો શું વિચારો? ધોળી છે, પીળી છે, ખરબચડી છે, લીસી છે. જો સારી હોય તો રાગ થાય અને ખરાબ હોય તો દ્વેષ થાય. માટે તમારાં ચિંતન કષાયના આવેગના તાંતણાથી જ ચાલુ થાય. જેમ કે ફર્નીચર જુઓ તો શું વિચારો? “કેટલાનું છે? કેટલી ડ્યુરેબીલીટી છે? કેવું લાગે છે? આના બદલે આવો કલર હોત તો ફર્નીચર સારું લાગત. કેટલી સગવડતા આપે તેવું છે?” આમ, બધે રાગ-દ્વેષના ભાવથી જ શરૂઆત થાય, જયારે ભગવાન ચિંતન-મનન નિર્લેપભાવથી જ કરતા. જેમ કે “ભીંત એટલે જડ દ્રવ્ય છે. જડ દ્રવ્ય આત્મા-ચેતનથી જુદું છે. મૂળભૂત રીતે તે જુદું છે. તેને અને ચેતનને કાંઇ લેવા દેવા નથી. તે ચેતન માટે સુખનું સાધન બની શકે નહિ.” તેમને ચિંતન કરતાં આવેગ હોય જ નહિ. કારણ તેમને રાગ નથી, વૈષ નથી; આકર્ષણ નથી, અપાકર્ષણ નથી; આસક્તિ નથી, અનાસક્તિ નથી. તેથી તેઓ તસ્થતાથી દરેક વસ્તુનું સાચું મૂલ્યાંકન કરી શકે. એક તરફ ખેંચાયેલો માણસ સત્યનું દર્શન કરી શકે નહિ. તમારે વેપારમાં પણ સ્વાર્થજન્ય કહેવાતી કામચલાઉ સમતા જોઇએ. જેમ
૧૫૪
મનોવિજય અને આત્મશુદ્ધિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org