________________
મનમાં તેનો એક આગ્રહ બંધાઈ ગયો છે. જો આ અસ અભિનિવેશ ન તૂટે, અને મન શાંત કરો, કષાયોને નબળા પાડો, ચિત્તશુદ્ધિ કરો, પણ તે એકડા વગરનાં મીંડાં જેવું છે. કારણ મૂળ તૂટયું નથી. જે દવાથી એક ટકો પણ મૂળમાંથી રોગ નાબૂદ થાય તો તે દવા સાચી છે, કારણ તે દવાથી લાંબા ગાળે પણ રોગ સદંતર નાબૂદ થશે; પણ જો મૂળમાંથી અંશે પણ રોગ નાબૂદ ન થાય તો તે દવા ઔપચારિક છે. તેમ જે ધર્મથી ચિત્તશુદ્ધિ થાય પણ આત્મશુદ્ધિ ન થાય તેને ઔપચારિક ધર્મ કહ્યો છે, પણ જે ધર્મથી થોડી પણ આત્મશુદ્ધિ થાય તે જ ખરો ધર્મ છે.
રાગ-દ્વેષમાં કડવાશ અનુભવાય તો સહજરાગ તૂટેઃ
તમારે ધર્મ કરતાં અપેક્ષા શું રાખવાની છે? ચિત્તશુદ્ધિ ઓછી થાય તો ચાલે પણ આત્મશુદ્ધિ તો થવી જ જોઈએ. જેને મૂળમાંથી રાગ-દ્વેષ ખરાબ લાગતા નથી તેને આત્મશુદ્ધિ આવતી નથી. અત્યારે આપણો સુખ પરનો સહજ રાગ જામેલો જ છે. જેમ કોઇકને બહુ કડક ચા ભાવતી હોય માટે તે કડક જ પીએ. બીજી આપે તો મોંમાં પણ ન મૂકે. કારણ તેને કડકમાં જ ટેસ્ટ આવે છે માટે ઇચ્છા કડક ચાની જ છે. પણ હવે કોઇ વ્યક્તિ તેને કહે, આવી કડક ચા પીવાથી આંતરડાં-લીવર બગડી જશે, અંદર જે નિકોટીન હોય છે તેનાથી બ્રેઈન પણ ડેમેજ થશે, ઘણું નુકસાન કરશે; માટે તે ઓછી કરે, ઓછી પીએ, કદાચ બંધ કરે, કારણ નુકસાન થશે; પણ કડક ચાના ટેસ્ટનું આકર્ષણ તો તેને પડ્યું જ છે, માટે મૂળથી ઇચ્છા મરી નથી, પણ ખાલી નુકસાનના કારણે ઇચ્છા દબાવી છે. બીજો જે ચા ન પીતો હોય તેને આવી કડક ચા આપો તો કેવું મોં કરે? કારણ તેમાં તેને ટેસ્ટ નથી લાગતો. કદાચ ચાના કારણે મીઠાશનો સ્વાદ ગમતો હોય, ગરમ ગરમ પીવાનું ગમતું હોય, પણ સ્ટ્રોંગ સ્વાદનો તેને રસ નથી. કારણ કડક ચા પીતાં કડવાશનો અનુભવ તેને થાય છે. તેમ રાગદ્વેષમાં થોડી પણ કડવાશનો અનુભવ થાય અને બેસ્વાદપણાનો અનુભવ થાય, તો જ સહજ રાગ તૂટે. તેવી જ રીતે તમને કહીએ કે આવા આવા કષાયના ભાવોથી કેવા કેવા કર્મો બંધાય? તે જયારે વિપાકમાં આવશે ત્યારે જીવની શું હાલત થશે? તે બધું સાંભળીને આ ભવમાં ગુસ્સો ન કરો. તેમાં તમને ગુસ્સો કરવાથી શરીર પર શું શું નુકસાન થાય તે સમજાવીએ, જેમ કે ગુસ્સો કરવાથી બાયોકેમીકલ પર કેવી અસર પડે છે? જે મગજતંત્રમાં મહત્ત્વનાં છે તેમાં ઈમ્બેલેન્સ થાય છે. વળી વધારે ગુસ્સો કરવાથી શરીરમાં ઝેરી પદાર્થો ઉત્પન્ન થાય છે, જેથી લાંબા ગાળે શરીર અને મગજ બને નુકસાન થાય, જેથી તમારી વિચારવાની ક્ષમતા પણ તૂટે છે, અનેક આવેગો-ઉશ્કેરાટ કરવાથી મનની શક્તિ નબળી પડે છે. આ બધાં ખરાબ પરિણામો જાણીને કદાચ ગુસ્સો ન કરો પણ તેમાં કડવાશનો અનુભવ નથી.
મનોવિજય અને આત્મશુદ્ધિ
૧૫૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org