________________
લાગવો જોઇએ. તે ખરાબ કેમ નથી લાગતો? તેના માટે પૂ.આ. શ્રીહરિભદ્રસૂરિએ લખ્યું કે અનંત કાળથી જીવને રાગનો અસ અભિનિવેશ છે.
રાગનો અસ અભિનિવેશ એ જ આખા સંસારની મા છે:
અસ અભિનિવેશ એટલે અસદ્ આગ્રહ. એક પ્રકારનો રાગદ્વેષ પ્રત્યેનો-કષાયો પ્રત્યેનો આગ્રહ પડ્યો છે. એક વસ્તુ સારી લાગે એટલે મમત્વરૂપે આગ્રહ બંધાઈ જાય. મોટા ભાગના જીવો, ધર્મ કરનારા અને ધર્મન કરનારા, એમ માને કે પ્રસંગે રાગ-દ્વેષ કરવા જોઈએ. રાગદ્વેષ વગર જીવનમાં મજા શું? અવસરે ક્રોધ-પાપ કરવાં જોઇએ. વળી ગુણ કેળવતાં એવું થાય કે ગુણો કેળવીશું તો લૂંટાઈ જઈશું, બરબાદ થઈ જઈશું, હેરાન થઇ જઇશું. જેમ ઉદારતા કેળવવી એટલે શું? ખિસું ખાલી થશે. દાન આપતી વખતે શું લાગે છે? ખાલી થઈ ગયા એમ લાગે કે કાંઇક મેળવ્યું લાગે? આનો અર્થ એ કે દાન આપવામાં ગુમાવવાનું દેખાય છે, માટે રાગ-દ્વેષ કરવા લાયક છે, સારા છે, તેમાં ઊંડે ઊંડે મજા પડે છે, એવો નિર્ણય છે. તેને અસદ્ અભિનિવેશ કહે છે અને તે સંસારની મા છે, ભાવમલ છે, કર્મની મા છે. તેનાથી નવાં કર્મ, વળી તેનાથી નવાં કર્મ, આમ ચક્કર ચાલ્યા જ કરે છે અને આ ચક્કરનું મૂળ કારણ અસદ્ અભિનિવેશ છે. રાગનો રાગ સારો કેમ લાગે છે? કારણ રાગના રાગ પરનો આગ્રહ બંધાઈ ગયો છે. તેનો ટેસ્ટ સારો લાગે છે. માટે તેમાં મજા માની એટલે તેમાં આગ્રહ બંધાઈ ગયો છે, જે છૂટતો નથી.
સભા:-ખોટું છે તે માનવાછતાં પણ આટલી મજા કેમ? સમજાતું નથી. દાખલો આપો.
સાહેબજી -બીડી પીનારને તેનાથી ફેફસાં ખલાસ થઇ ગયાં હોય છતાં તે છોડતો નથી અને પાછા પીએ ત્યારે મજાથી પીએ, પાછા માને મજા આમાં જ છે. દારૂ પીનાર પણ કહેશે થોડો ટેસ્ટ તો કરી લેવા દો, ખરી મજા તેમાં જ છે. ભલે દારૂથી આખા પાયમાલ થઇ ગયા હોય, છતાં તેને પૂછો કે જીવનની મજા શું? તો શું કહેશે? જેમ ડ્રગ્સ લેવાવાળાની સ્થિતિ કેવી હોય? દવા લે ત્યારે જ મજા આવે. ડોઝ આપો, પછી બીજી વાત, તેમ કહે. અને ન આપો તો રડે, કરગરે, કારણ લત લાગી છે, માટે તેનો આગ્રહ છે, ભલે હેરાન ગમે તેટલો થાય. તેને ખબર પણ હોય કે હું આમાં પાયમાલ થઈ ગયો . તે જાણતો હોય કે આ દવાઓથી શરીર પણ હાડપિંજર થઇ જાય છે, ભૂખ મરી જાય છે, સમાજની દષ્ટિએ પણ ગુનેગાર ગણાઉં છું, પકડાઇ ન જાય તેનો ૨૪ કલાક ભય હોય છે, બધું સહન કરે છતાં તે જોઇએ જ. આ સંસારમાં હકીકત છે. દારૂ વગેરેની જેમ આત્માને અનંત અનંત કાળથી આની લત લાગી છે. માટે
* * *
* * *
* *
* *
*
*
* *
* *
* * *
મ
મ
મ મ
ર ર *
*
*
* *
* * * * *
* *
*
૧૫ર
મનોવિજય અને આત્મશુદ્ધિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org