SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ સંસારનાં ભૌતિક સુખોને જ્ઞાનીઓએ નિંઘાં છે, કેમ? કારણ બધાં સુખ વિકારથી જ પામી શકાય છે, વિકારના પોષણથી જ મેળવી શકાય, ભોગવી શકાય તેમ છે. અબ્રહ્મના સુખ માટે પહેલાં વાસના જોઇએ. તેમ ધનની આસક્તિ જો પહેલાં હોય તો પૈસા-શ્રીમંતાઈનું સુખ મળે. પૈસાથી માનસિક આનંદ કોને આવે? જેના મનમાં ધનની તૃષ્ણા હોય તેને. અમને કોઈ કહે કે લો લાખ રૂપિયા, તો આનંદ થાય? કારણ, અમે તેને અડવાના પણ નથી. અમને તેમાં રસ કે રાગ ન હોય માટે આનંદ ન થાય. તે જડ વસ્તુ છે. ભલે તમે ભૌતિક ક્ષેત્રમાં તેને મહત્ત્વ આપતા હો, પણ આ છોડવા જેવું છે, તે પાપનું સાધન છે, તેનાથી થતા ધર્મ કરતાં ઊંચો ધર્મ કરવા જેવો છે, એવું શ્રાવક તરીકે તમારા મનમાં હોવું જોઇએ. સંસારના સુખમાં વિકારો સેવવાના છે. આ બધું વિકારથી પેદા થતું સુખ છે, એટલે તેની નિંદા કરી છે, બાકી મૂળભૂત રીતે શાસ્ત્રમાં સુખની નિંદા નથી. સુખ પમાડવા માટે જ ધર્મ સ્થપાયો છે. જે સુખ નથી મળ્યું તેને પમાડવા માટે જ ધર્મ છે. તીર્થકરોને પણ સુખ જોઈતું હતું, માટે જ સંસાર છોડ્યો છે. જો મોક્ષમાં સુખ હોય નહિ તો મોક્ષે જવાની પણ જરૂર નથી, સાધનાની પણ જરૂર નથી. પરંતુ જે નિંદા છે તે વિકારી સુખની નિંદા છે. આ ભૌતિક સુખમાં સહજ રાગ ભ્રમણાના કારણે જામ્યો છે. અનંત કાળથી વિકારોમાં જ જે મજા આવે છે, તે મહાભ્રમણા છે. આ મહાભ્રમણા એટલે જ મિથ્યાત્વ. તેનું મૂળ ગ્રંથિ છે. ગ્રંથિનું મૂળ તીવ્ર રાગ-દ્વેષ. રાગ-દ્વેષનો જે રાગ તે જ રાગ-દ્વેષમાં રહેલી તીવ્રત છે. તીવ્ર રાગ-દ્વેષને ગાંઠ કહી છે. તીવ્ર રાગ-દ્વેષ જામ્યા કેમ? સહજ રાગ-દ્વેષમાં મજા આવે છે, તે સારા લાગે છે, ગમે છે, માટે તીવ્રતાથી જામે છે. તે જ ગ્રંથિનું મૂળ છે. ઝાડનાં ડાળી, ડાળખાં, પાન, ફળ કાપી નાંખે; પણ તેના થડ-મૂળિયાં સાબૂત રાખ્યાં હોવાથી ઝાડ ઝટ ફરીથી ઊગી જાય. વળી ઘણા આના સાથે થડ પણ કાપે, પણ મૂળિયાં સાબૂત રાખ્યાં હોવાથી પાછાં ઊગી જાય. ઘણા આગળ વધીને શું કરે ? મૂળિયાં પણ ઉપર ઉપરથી કાપે, આજુબાજુથી પણ કાપે, પણ મુખ્ય મૂળિયાં પર નીચેથી પ્રહાર ન કરે. મૂળિયાંની જે નીચલી જડ છે તેને જ નથી કાપતા, તેથી લાંબે ગાળે ફરી ઊગી જાય. માટે મુખ્ય મૂળિયાં પર જે પ્રહાર નથી કરતો તે ઝાડને નાબૂદ કરી શકતો નથી. તેની જેમ અનંતીવાર આત્માએ ડાળી. ડાળખાં, થડ થોડાં કાપ્યાં, મૂળ થોડાં કાપ્યાં, પણ મુખ્ય મૂળિયાને હલવા જ ન દીધું. એટલે જ સંસાર લીલોછમ રહ્યો, હરિયાળો રહ્યો. ચોવીસે કલાક રાગ-દ્વેષમાં મજા કોણ કરાવે છે? રાગ-દ્વેષ પ્રત્યેનું આકર્ષણ છે તે. જ્યાં સુધી રાગ-દ્વૈપનું આકર્ષણ હશે ત્યાં સુધી તેમાં મજા આવશે અને ત્યાં સુધી સંસાર કપાવાનો નથી. માટે રાગ-દ્વેષ પ્રત્યેનો જે રાગ છે તે ખરાબ મનોવિજય અને આત્મશુદ્ધિ ૧૫૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005185
Book TitleManovijay ane Atmshuddhi
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy