________________
અને કોઇનો છોડાવ્યો છૂટતો પણ નથી. તમને તમારી “મા” પર રાગ કેમ થાય છે? લાગણી આપી પંપાળીને મોટો કર્યો માટે. જન્મ પહેલાં આ વ્યક્તિ પર રાગ નહોતો, પણ પછી ધીરે ધીરે વાતાવરણ મળ્યું માટે રાગ ઊભો થયો. તેમ ઘણી વખત શું બને કે લગ્ન કે સગાઇ પહેલાં બન્ને વ્યક્તિ એક બીજાને ઓળખતી ન હોય, જાણતી પણ ન હોય, પણ સગાઇ થતાં કેવા રાગ જામે છે? અને પાછા વાંધા પડે તો તૂટે પણ કેવા? તમારા સંસારનું સ્વરૂપ કેવું છે? જેમ સગી દીકરીને જન્મ આપો, પાલન-પોષણ કરી મોટી કરો, ભાઇબ્દનો સાથે હળીમળી મોટાં થાય અને પછી સગપણ થાય એટલે “એ ઘર મારું,” મા-બાપને મૂકી પતિગૃહે ચાલી જાય. કારણ શું? હવે ત્યાં સુખ વધારે લાગે છે. સંસારમાં જયાં જીવને સુખ લાગે ત્યાં, સુખ માટે બધું ત્યાગ કરતાં વાર લાગતી નથી. અમે જ્યારે દીક્ષા લઇએ ત્યારે બધું છોડીને નીકળીએ, તો લોકો કહેતા હોય છે કે કેવી રીતે છોડીને જાય છે! પણ તમારી દીકરીને કોઇની સાથે લવ થાય તો કુટુંબને છોડતાં વાર કરે ખરી ? તમારા દેખતાં કેટલાયના છોકરા આમ ઘર છોડીને નીકળી ગયા ને? આવા તો કેટલાય દાખલા મળે. ગમે તેટલો રાગ-લાગણી હોય પણ એક ઝાટકે તોડતાં વાર લાગે? કારણ જીવને હવે બીજી વ્યક્તિમાં સુખ દેખાય છે, અને એ વ્યક્તિ પણ ન ફાવે તો તેને છોડતાં પણ વાર ખરી? શું સ્થિતિ છે? આમાં મૂળ કારણ તે વ્યક્તિ પર રાગ ઔપચારિક છે. જયાંથી સુખ મળે તે જોઇએ અને દુઃખ મળે તે જોઇતું નથી. ભૌતિક સુખ અને દુઃખ પર જ મૂળભૂત રાગ-દ્વેષ છે. હવે તે રાગ-દ્વેષની જે તીવ્રતા છે તેને મિથ્યાત્વની ગાંઠ કહીએ છીએ. એટલે મિથ્યાત્વની ગાંઠ તે જ સહજરાગની તીવ્રતા છે. તેના પ્રભાવે જ જીવ સાચું-ખોટું જોવા તૈયાર નથી.
રાગની તીવ્રતા અને મિથ્યાત્વ સાથે જડાયેલાં છે. મિથ્યાત્વની ગાંઠ તૂટી એટલે સહજ રાગ નબળા પડે, તેની તીવ્રતા તૂટે; પણ તે ગાંઠ તૂટી છે કે નહિ તેની ચકાસણી કરવી પડે. અનંત કાળમાં મિથ્યાત્વની ગાંઠ એક વખત ભેદાય પછી તે ફરી બંધાતી નથી, પરંતુ જ્યાં સુધી તે ભેદાતી નથી ત્યાં સુધી સમકિતના દરવાજા બંધ છે. ગાંઠ તાળું મારીને બેઠી છે, પણ એક વખત તૂટી પછી ફરી તે બંધાવાની નથી. કદાચ આત્મા દુષ્ટ બને, ઉગ્ર પાપ કરે તો પણ મિથ્યાત્વની ગાંઠ ફરી જામતી નથી.
જીવને સુખનો સહજ રાગ છે, દુઃખનો સહજ ષ છે, જે જન્મ્યા ત્યારથી છે અને મરતાં સુધી રહેવાનો છે. હા, સ્થિતપ્રજ્ઞની ભૂમિકામાં સુખ-દુઃખના રાગ-દ્વેષ ન હોય. આપણે તો અત્યારે ચોવીસે કલાક અનુકૂળતા ઈચ્છીએ છીએ. પ્રતિકૂળતા આવે એટલે તરત જ ઊંચા થઈ જઇએ છીએ અને અનુકૂળતા આવે એટલે ગેલમાં આવી જઇએ છીએ. પણ તેમાં તીવ્રતા તો ન જ જોઈએ, પ્રગાઢતા તો ન જ જોઇએ.
૧૫O
મનોવિજય અને આત્મશુદ્ધિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org