________________
તા. ૨૪-૯-૯૫, રવિવાર.
અનંત ઉપકારી અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્મા આત્માને ભાવ આરોગ્યનું પ્રદાન કરનારા ધર્મતીર્થની સ્થાપના કરે છે.
ધર્મનો ઉદ્દેશ એક જ છે. આત્માને લાગેલા અનાદિના ભાવરોગોનું નિરાકરણ કરી આત્માના ભાવ આરોગ્યને પ્રાપ્ત કરાવવું. આપણે લોગસ્સમાં ૨૪ તીર્થકરની સ્તવના કર્યા પછી પરમાત્મા પાસેથી આત્માના ભાવ આરોગ્યનો અને બોધિનો લાભ થાય તેવી માંગણી કરીએ છીએ.
સંસારરૂપી રોગના મૂળનું નિદાન:
ધર્મ દ્વારા આત્માનું ભાવઆરોગ્ય જ સાધવા લાયક તત્ત્વ છે. હવે અહીંયાં પ્રશ્ન એ થાય છે કે આત્માને અનંત કાળથી કયો રોગ લાગુ પડ્યો છે? આ ૮૪ લાખ જીવાયોનિમાં જે પરિભ્રમણ છે તે તો પરલોકની વાત છે, પણ માના પેટમાં આવ્યા ત્યારથી આધિ-વ્યાધિઉપાધિ છે. દેવલોકમાં પણ ૨૪ કલાક આત્માને શરીર-ઇન્દ્રિય-મનના સંયોગ છે, અને તેનાથી અનેક પ્રકારની આવશ્યકતા ઊભી થાય છે અને તેમાં પણ પુણ્ય કાચું હોય તો સંતાપ અને સંક્લેશનો પાર નહિ. આ ૮૪ લાખ જીવાયોનિના સ્વરૂપનું અવલોકન કરનારને દેખાય કે આ સંસારમાં દુ:ખનો પાર જ નથી, પછી રાજા હોય, મહારાજા કે ઇન્દ્ર હોય કે ચક્રવર્તી હોય. સૌને જાતજાતનાં અને ભાતભાતનાં દુઃખો હોય છે. આ બધા દુઃખોનું મૂળ કારણ શું? આપણો આત્મા દેહ-ઇન્દ્રિય-મનના પિંજરામાં પુરાયો છે. દેહ-ઇન્દ્રિય-મનનો જે સંયોગ છે તેને જ જન્મ કહીએ છીએ અને તે જ દુઃખનું નિમિત્ત છે. બધા દુઃખનું મૂળ જન્મ છે. મૃત્યુનો સવાલ પણ જન્મ છે માટે જ છે. બરાબર રોગને સમજીને સાચું નિદાન કરવું હોય તો રોગના મૂળ સુધી જવું પડે. જેમ એલોપેથી દવા શું કરે છે? રોગના ચિહ્નો જોઈને તેને દબાવવા દવા આપે, તેનાથી ટેમ્પરરી(કામચલાઉ) રાહત થાય. એટલે કોઈ વ્યક્તિ જીવનભર એલોપેથી દવા લે અને તેના શરીરમાં રોગનાં ચિહ્નો દબાયેલાં હોવાથી ભ્રમમાં રહે કે મને આરોગ્ય મળી ગયું છે, પણ વાસ્તવમાં મૂળમાંથી રોગ ગયો જ ન હોય. અંદર તો રોગનાં મૂળ મજબૂત પડેલાં હોય તે તેને ખબર જ ન પડે, કારણ રોગની ચિકિત્સા મૂળમાંથી થઈ જ નથી. તેમ આપણે
- ર
ક ક ર જ સ ક ક ક ક શ ક ક ક મ મ મ મ મ મ ક
મનોવિજય અને આત્મશુદ્ધિ
ર જ સ જ કરી શકે કે ક ક ક ક ક ક ક ક ક ક ક કે
૧૪૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org