SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ અનંત કાળથી આ સંસારરૂરૂપી વ્યાધિનો નાશ કરવા પ્રયત્નો કર્યા, પણ ક્યાં સુધી? દેહશુદ્ધિ કરી, ઇન્દ્રિયશુદ્ધિ કરી, મનશુદ્ધિ કરી પણ આત્મશુદ્ધિ સુધી પહોંચ્યા નહિ. કારણ શું? સાચા ઉપાયનો ખ્યાલ નથી આવ્યો. માટે આપણા પુરુષાર્થમાં ગરબડ થઈ છે. આ સંસારરૂપી રોગનું નિદાન શું? આધિ-વ્યાધિ-ઉપાધિ જે પણ આત્માને વળગી છે, તે કર્મથી છે. આ જડ એવું કર્મ આત્માને ચોર્યું છે, માટે આત્માને સંતાપ છે. હવે કર્મ આત્માને કેમ વળગ્યું? કારણ શું? જડ વસ્તુનો આત્માને મોહ છે, માટે જડ કર્મ ચોટે છે. જડ પ્રત્યે આત્માને આકર્ષણ છે, માટે જડ આત્માને ચોટે છે, ખેંચાઈને આવે છે. જેમ લોહચુંબકમાં લોઢાને ખેંચવાનું આકર્ષણ છે માટે લોખંડ ખેંચાઈને આવે છે, તેની જેમ જડ પ્રત્યે આત્માનું આકર્ષણ છે માટે જડ ખેંચાઈને આવે છે. આ કુદરતના ક્રમથી કર્મ આત્માને વળગે છે, પદાર્થવિજ્ઞાનના સિદ્ધાંત અનુસારે કર્મ ચોંટે છે. કર્મને કાંઈ ચોંટવાની ઇચ્છા નથી. તેનું કાંઈ પ્લાનીંગ નથી, છતાં આપમેળે ચોટે છે; કારણ આપણને તેના માટે મોહ થાય છે.. સભા:- મોહ થવાનું કારણ શું? સાહેબજી:- ધીરજ રાખો. મૂળ સુધીનું નિદાન કરીશ. નાના છોકરાને તાવ આવે ત્યારે તમે ડોક્ટર પાસે લઈ જાઓ છો. દવા-ઇંજેક્શન અપાવી દો એટલે બસ, કામ પૂરું થઈ ગયું. દવાથી તાવ ચાલ્યો જાય. પણ ઘણી વખત તો છોકરા આઇસ્ક્રીમ-ચોકલેટ ખાતા હોય, જેથી શરદી-કફજન્ય તાવ આવતો હોય અને તમે ભારે એન્ટીબાયોટીક એલોપેથી દવા-ઇંજેક્શન અપાવો, તેથી અશક્તિ આવી જાય; જેથી પાછું જરા હવામાનમાં ફેર પડે એટલે ફરી તાવ આવે, શરદી થાય, આમ ચક્કર ચાલુ રહે. છ-સાત વર્ષના થતાં સુધી તો ઘણા છોકરાઓને કેટલીય વખત કફ-શરદી-તાવ આવી જતાં હોય છે અને તેમાં આ દવાનું ચક્કર પણ ચાલ્યા કરે, કારણ આજના ડોક્ટર રોગનું મૂળ નિદાન કરતા નથી. તેની જેમ આપણને સંસારરૂપી મહારોગ લાગુ પડ્યો છે, પણ તેનું બીજ જયાં છે ત્યાં સુધી આપણે પહોંચ્યા નથી. સંસાર એ મહારોગ છે. સંસારનું મૂળ કર્મ છે. કર્મનું મૂળ મોહ છે. મોહ નથી તેને કર્મ ચોંટતું નથી. માટે મોહ એ જ તમામ કર્મબંધનું કારણ છે. આ મોહનું મૂળ મિથ્યાત્વ છે અને મિથ્યાત્વનું મૂળ ગ્રંથિ છે. મિથ્યાત્વ છે ત્યાં સુધી મોહને પોષણ મળે છે. જેમ રોગનું કારણ જો હાજર હોય તો રોગને પોષણ મળે, તેમ મોહને પોષણ આપનારું મિથ્યાત્વ છે. મિથ્યાત્વ એવી બુદ્ધિ કરાવે કે જીવને મોહમાં જ મજા આવે, મોહ ગમે, મોહ સારો લાગે. માટે મોહનું મૂળ મિથ્યાત્વ છે. જેનું મિથ્યાત્વ કર્યું તેનો મોહ પ્રાણ વગરના કલેવર જેવો છે. માટે જ સમકિતીનો મોહ નિર્બળ છે. તેનો મોહ તેને સંસારમાં રખડાવનારો નથી. હવે મિથ્યાત્વનું જ ર સ # # # # # # * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * વાત * * * * * * રીત જ ૧૪૮ મનોવિજય અને આત્મશુદ્ધિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005185
Book TitleManovijay ane Atmshuddhi
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy