SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ હવે મૂળમાં પણ પહેલાં પ્રહાર ક્યાં કરવાનો? જેમ ઝાડ કાપ્યું પણ મૂળિયાં નથી કાપ્યાં, હવે મૂળિયાં કાપવાનાં પણ ચાલુ કર્યા, તો પહેલાં પ્રહાર ક્યાંથી કરવાનો? કારણકે મોટા ઝાડનાં મૂળિયાં તો ચારેબાજુથી ફેલાયેલાં હોય છે, ઘણાં તો વાળ જેવાં પાતળાં પણ હોય છે. હવે તેમાં ચારે બાજુથી આવાં નાનાં મૂળિયાં કાપે, પણ વચમાં જે મજબૂત થાંભલા જેવું મૂળિયું હોય તે ન કાપે તો શું થાય? તેને અકબંધ રહેવા દે તો શું થાય? ફરી પાછું ઝાડ હૃષ્ટપુષ્ટ થાય. માટે પ્રહાર તો મૂળિયાંના પણ મૂળમાં જ કરવાનો આવશે. તેની જેમ બધા દોષોનું મૂળ મોહમાં છે. હવે મોહનું મૂળ ક્યાં? મોહ કેમ જામ્યો છે? લીલોછમ કેમ છે? મોહનું મૂળિયું ક્યાં છે? તો કહે છે મોહનું મૂળિયું મિથ્યાત્વ છે. | મુખ્ય મૂળિયાંને ઉપરથી કે વચમાંથી ખાલી કાપો પણ નીચેથી ન કાપો તો શું થાય? અનંતકાય હોવાથી ફરી જલદી ઊગી જાય. ઝાડના થડમાં તો એક જ જીવ છે, જ્યારે અનંતકાયમાં અનંતા જીવો હોય છે. માટે તેનો ગ્રોથ ભારે હોય છે. અમુક કંદ એવા હોય કે તેને ગમે ત્યાંથી કાપો, તેનો નાનો ટુકડો પણ તક મળે ફરી ઊગી જાય. અનંતકાયમાં ખૂણે ખૂણે જીવ છે. સ્વતંત્ર જીવ છે. થડમાં સર્જન શક્તિ છે તેના કરતાં મૂળિયાંમાં અસંખ્ય ગણી સર્જનશક્તિ છે. માટે મૂળનો ભાગ મુખ્ય છે, જે આખા વૃક્ષનો જીવનસ્ત્રોત છે ત્યાં પ્રહાર કરવાનો છે. હવે મિથ્યાત્વનું મૂળિયું ક્યાં? મિથ્યાત્વનું મૂળિયું ગ્રંથિ છેઃ એક વખત આત્મા સમક્તિ પામે એટલે તેનો ગ્રંથિભેદ થઇ જાય. પછી તે સંસારમાં ગમે તેટલું રખડે પણ ગ્રંથિભેદ તેને ફરી કરવાનો રહેતો નથી. કારણ તેણે મિથ્યાત્વનું મૂળિયું મૂળમાંથી ભેદી નાખ્યું છે. મૂળિયું કાપી નાંખેલું હોવાથી મિથ્યાત્વ આત્મા પર કદાચ જીવેટિક) તો પણ સંસારમાં અમુક સમયથી વધારે તેને ન રખડાવે. હવે ગ્રંથિનું મૂળિયું શું? સંસારનો સહજ રાગ, કદાગ્રહ, સંસારની રસિકતા તે ગ્રંથિનું મૂળિયું છે. તેને પ્રહાર કરીને તોડી શકો તો જ અધ્યાત્મની ભૂમિકાનો પ્રારંભ થાય. જે આને તોડે છે તે અપુનબંધક અવસ્થાને પામે, પામે ને પામે જ. * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * ૧૪૬ મનોવિજય અને આત્મશુદ્ધિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005185
Book TitleManovijay ane Atmshuddhi
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy