SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપશમ ભાવના ગુણ તો આવ્યા પછી પાછા ચાલ્યા જાય, તેથી મૂળમાંથી દોષનું નિરાકરણ થતું નથી. ઉપશમભાવ એટલે દોષોને દબાવે છે અને ક્ષયોપશમભાવ એટલે કામચલાઉ દોષોને હટાવી દે છે, માટે મૂળમાંથી દોષનું નિરાકરણ થતું નથી.’ પરંતુ આ એક ખોટો ભ્રમ છે. કારણ કે ક્ષયોપશમ, ઉપશમ કે ક્ષાયિક એ ત્રણમાંથી કોઇપણ ભાવથી કરાયેલા મોહનીયકર્મના રતીભાર નાશથી પણ અંદરમાં અવશ્ય આત્મશુદ્ધિ પ્રગટે છે. તેથી ત્રણે ભાવના ગુણો સા માટે ઉપાદેય જ છે. વળી ત્રણે ભાવમાં દોષોનું નિરાકરણ અમુક અંશે મૂળમાંથી થાય જ છે. દા.ત. મોક્ષમાર્ગની પહેલી ભૂમિકા અપુનર્બંધકદશા છે, જે પોપશમભાવથી પ્રગટે છે. આ અધ્યાત્મની ભૂમિકા પામેલો આત્મા કદાચ સંસારસાગરમાં પડે, તેનું ધર્મથી પતન થાય, તો પણ તે આત્મા કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિને કદી બાંધે નહિ. કારણ એટલો દોષ તેના આત્મામાંથી કાયમ માટે નાબૂદ થયો છે. ધર્મ ચૂકી જાય અને એક વખત ગુંડો બને તો પણ ભૂતકાળમાં જેવો કષાયનો આવેગ હતો તેવો ફરી તેને પેદા થાય નહિ. માટે કાયમી ધોરણે અમુક દોષનું નિરાકરણ થાય તે જ અધ્યાત્મશુદ્ધિ પામી શકે. સભા ઃ- આત્મશુદ્ધિ પામ્યા છીએ તેની ખબર કેમ પડે ? : સાહેબજી :- ટાઇફોઇડ થયો છે કે નહિ તે કેમ ખબર પડે ? તેનાં લક્ષણો પરથી જ તો. માથાના દુઃખાવામાં પણ માઇગ્રેન છે તે કેમ ખબર પડે ? તેનાં લક્ષણોથી જ. પણ જ્યારે બધા જ દોષો જતા રહેશે ત્યારે આત્માનો મોક્ષ થશે. તેથી મોક્ષે જતાં પહેલાં એક પણ દોષ આત્મા પર રહેવાનો નથી. માટે જ પહેલાં દોષો કાઢવાનું કહ્યું છે. તેમાં પણ જે દોષને પછીથી કાઢવાનો કહ્યો છે તેને પહેલાં કાઢશો અને જે દોષને પહેલાં કાઢવાનો કહ્યો છે તેને પછીથી કાઢશો, તો મહેનત કરીને પણ ફેઇલ જશો. જેમ ડોક્ટર થવું છે પણ કહે, ‘હું પહેલાં કોલેજહાઇસ્કૂલ કરું પછી પ્રાયમરી ભણું' તો શું થાય ? કોઇપણ લક્ષ્યને સફળ કરવું હોય તો ક્રમનું અનુસરણ કરવું જ પડે અને તે જ રીતે પુરુષાર્થ કરવો પડે. મેલાં કપડાંને સાફ કરવા પહેલાં ધોકા મારો ને પછી સાબુ અને પાણી લગાડો તો શું થાય ? મોક્ષમાર્ગની સાધનાનો ક્રમ ન સમજે ને એમ ને એમ દોડતો જાય તે હઠવાદી છે. તેથી આત્મકલ્યાણ કરવા માટે પહેલાં કયો દોષ કાઢવો પછી બીજો પછી ત્રીજો એમ અનુક્રમવાર કયો દોષ કાઢવાનો છે તેનું જ્ઞાન જોઇએ. તેમાં આડાઅવળા જશો તો નિષ્ફળ જશો. સાચા સાધકે આ વાત સમજીને ક્રમબદ્ધ સાધના કરવાનો જ પુરુષાર્થ કરવો જોઇએ. ક્રમનો વિચાર કર્યા વગર જે વ્યક્તિ મોટા દોષને પહેલાં કાઢતો નથી અને નાના નાના દોષોને કાઢે છે તેનું અનુષ્ઠાન અસદ્ અનુષ્ઠાન કહેવાય છે. ઘર તો વારે વાર મનોવિજય અને આત્મશુદ્ધિ Jain Education International For Private & Personal Use Only ૧૪૫ www.jainelibrary.org
SR No.005185
Book TitleManovijay ane Atmshuddhi
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy