SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ દોષોને જેમ કે ક્રોધને નાબૂદ કર્યો, અહંકારને તોડી નાંખ્યો, સરળતા કેળવી, ક્ષમા કેળવી આવું અનંતીવાર કર્યું. અહીંયાં ઝાડ હતું તેવી ખબર પણ ન પડે તે રીતે સપાટ ભૂમિ કરી નાંખી, પણ મૂળિયાં પર પ્રહાર ન કર્યો, માટે ફરી કૂંપળો ફૂટી, ડાળી આવી, ફળ આવ્યાં અને એમ કરતાં ઘટાદાર ઝાડ થયું. તેમ અનંતીવાર આત્માએ દોષોને નાબૂદ કર્યા અને તેના દ્વારા ઊંચા દેવલોક આદિ ગતિમાં જઇ આવ્યો, પણ અંદર મૂળિયાં સાબૂત રાખ્યાં, માટે ફરી ઊગ્યાં. ઘણી વખત તો એક પણ દોષ શોધ્યો જડે નહિ તેવો આત્માને બનાવ્યો, પણ મૂળિયાં પર પ્રહાર ન કર્યો. મૂળિયાં પર પ્રહાર એટલે શું? આપણે પેલી બાઇના દૃષ્ટાંતમાં જોયું કે તેણીએ ક્ષમા કેવી કેળવી છે ! પણ તેને કોઇ પૂછે કે મોહના વિકારો કેવા ? સંસાર કેવો ? વિષય-કષાયો કેવા ? આ બધા તેને ખરાબ લાગે તેવો ? નિયમ નથી. આને ખરાબ સમજીને તેણે કાંઇ ક્ષમા આપી નથી. શુભ ભાવના કારણે દયાભાવ આવ્યો તેથી ક્ષમા આપી. આવી રીતે સદ્ગુણો કેળવીને પણ જે સંસારરૂપી વૃક્ષનાં મૂળિયાં પર પ્રહાર ન કરે, તે આખા સંસારને છેદી નાંખે પણ મૂળ પર પ્રહાર ન હોવાથી પાછો તેનો સંસાર લીલોછમ થઇ જાય. સર્જનનું વિસર્જન કર્યું પણ સર્જનની શક્તિનું વિસર્જન નથી કર્યું. પેલી બાઇની ક્ષમાને અધ્યાત્મની ક્ષમા સાથે કેમ જોડાય ? જેમ સગાભાઇ માટે પણ ઉલ્લાસથી કરોડોનું નુકસાન સહન કરી લો, પાંચ પચ્ચીસ લાખ વધારાના આપી દો, ત્યારે એ ઉદારતા થઇ ને ? સ્વાર્થી કે લુચ્ચો માણસ કાંઇ આવું ન કરી શકે, માટે આ ઉદારતા જ છે. પણ આવું કરતાં ભાવ શું ? મારો ભાઇ ફરી કમાઇ-ખાઇપીને મોજથી રહે એટલે બસ, આ મારું કરેલું બધું લેખે લાગે. પણ લોભ-આસક્તિ તેને તે વખતે ખરાબ લાગતાં નથી, માટે મૂળમાં પ્રહાર કર્યો નથી. ઉદારતા એ લોભનો વિરોધી ગુણ છે. લોભના વિરોધી ગુણને કેળવી લોભને શાંત પાડ્યો, પણ મૂળમાંથી લોભને કાઢવાની વિચારણા કરી નહિ. માટે તે સદ્ગુણને ચિત્તશુદ્ધિ કહેવાય આત્મશુદ્ધિ કહેવાય નહિ, કારણ કે ગુણ કેળવ્યો પણ દોષ મૂળમાંથી કાઢવાની વિચારણા જ કરી નહિ. સભા :- ક્ષયોપશમભાવના ગુણો હેય જ છે ને ? સાહબેજી: ઘણા માને છે કે “મોક્ષમાર્ગમાં અધ્યાત્મની આરાધના કરતાં જીવો ક્ષયોપશમભાવ કે ઉપશમભાવથી ચઢે અને પાછા પડે ત્યારે તેણે(આત્માએ) કરેલો વિકાસ ગુમાવવો પડે છે, માટે ક્ષાયિકભાવનો ગુણ એ જ ખરો ગુણ છે; જ્યારે ક્ષયોપશમ અને કેરી રીવાબી ની બીમાર મનોવિજય અને આત્મશુદ્ધિ ૧૪૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005185
Book TitleManovijay ane Atmshuddhi
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy