SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ થાય તો મનશુદ્ધિ થઇ કહેવાય. હવે આત્માને અનંત કાળથી કર્મનાં આવરણ લાગ્યાં છે, માટે અનંત દોષો જામ થઇને બેઠા છે. અનંત ગુણો છે તેમ દોષો પણ અનંત છે. તેમાં એક દોષ પણ જો અંશથી પણ મૂળમાંથી નાબૂદ થાય તો એટલા અંશે આત્મામાં શુદ્ધિ થઈ ગણાય. અંશથી પણ મૂળમાંથી દોષ જવો જોઇએ, પણ માત્ર દોષો પાતળા પડે, મંદ થાય તેને અધ્યાત્મનો વિકાસ કહેતા નથી. સભા:- સાહેબજી ! દાખલો આપો. સાહેબજી - પહેલાં સમજો કે આત્માની અશુદ્ધિ કર્મના પ્રભાવે છે. માટે આત્માનું વિરોધી તત્ત્વ કર્મ છે. કર્મના આઠ પ્રકાર બતાવ્યા છે. પણ આઠે કર્મનો બંધ મોહ દ્વારા માન્યો છે. આઠે કર્મની અસર જુદી જુદી થાય છે, પણ સૌનો બંધ કરાવનાર તો મોહનીયકર્મ જ છે. અનંત કાળથી આત્મા કર્મોથી બંધાયો છે. હવે દુર્ગુણો છોડવાના છે અને સદ્ગુણો કેળવવાના છે, પણ મોહનીયકર્મથી તમામ કર્મો બંધાય છે, માટે આત્માના તમામ દોષો મુખ્યત્વે મોહમાં સમાયા છે અને મોહ આખો મનમાં સમાયો છે. માટે મનમાં જેટલો મોહ છે, તેટલા આત્મામાં દોષો છે. તેથી દોષ સાથેનાં સમીકરણ મોહ સાથે મંડાય છે. હવે મોહના જેટલા ભાવો છે તેમાંથી મોહના એક ભાવને પણ જેટલા અંશથી મૂળમાંથી ઊખેડો, તેટલા અંશમાં શુદ્ધિ થઈ કહેવાય. જેટલા મોહના પરિણામરૂપ દોષો છે તેને લેવાના. આ પરિભાષાથી ચાલવાનું છે. રાગ, દ્વેષ, ક્રોધ, વાસના, આસક્તિ, સ્વાર્થ, સંકુચિતતા બધાને જ દોષો તરીકે લેવાના છે. આવા દોષો અનંતીવાર સેવાયા છે. માટે જડાઈને ગાઢ થયેલા છે. છતાં પણ તે હંમેશાં એક જ માત્રામાં હોતા નથી. તેમાં ચડતી પડતી આવે છે. ક્યારેક ઉગ્ર કષાય તો ક્યારેક મંદ કષાય થયા છે. ક્યારેક સ્વાર્થી સ્વભાવ તો ક્યારેક સરળ સ્વભાવ થયો છે. અનેક પ્રકારના દોષો અનેક વાર મંદ અને તીવ્ર થયા છે, પરંતુ એક વખત પણ આત્માએ અંશથી પણ તેને મૂળમાંથી ઊખેડ્યા નથી. આ વાતને ઉપમાથી સમજાવવા માટે એક દષ્ટાંત લઈએ. દા.ત. વડલા જેવું લીલુંછમ ઘટાદાર ઝાડ છે. તમારે તે ઝાડને તોડી પાડવું છે. તો શું કરશો? ડાળી, ડાળખાં,પાંદડાં, ફળ તોડશો, થડ પણ તોડશો; પણ મૂળિયાં રહેવા દો તો? મૂળિયાં સાબૂત હશે તો તે ફરી ઊગવાનું જ છે, ફરી ઘટાદાર બનવાનું છે. હા, તેમ થતાં થોડીવાર લાગશે. જેમ પાનખર ઋતુમાં ઝાડનાં પાન ખરી જાય, દેખાવમાં ઠુંઠા જેવું થઈ જાય, પણ વસંતઋતુ આવે એટલે પાછું તે ઘટાદાર થઈ જાય. કારણ અંદર મૂળિયાં બરાબર સાબૂત છે, તેથી પોષણ બરાબર મળી શકે તેમ છે. તેમ આપણા આત્મા પર પણ અનંતીવાર આ જ બન્યું છે. તમારા મનમાં રહેલા * * * * એક કેરી છે કે તે જ રજ કે જ # જ વાર જ છે. જે જ એ જ ર ર લ છે જ રોજ જ મનોવિજય અને આત્મશુદ્ધિ ક ક ક જ છે કે જે ક ક ક ક ક જ ૧૪૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005185
Book TitleManovijay ane Atmshuddhi
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy