SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ શકાય તેવા સંયોગો છે, છતાં વેર લેવાની વૃત્તિ ન રાખે તે કેવો ક્ષમાં ગુણ કેળવ્યો હશે! હવે તેટલા માત્રથી તે બાઈ શું આધ્યાત્મિક બની જાય? મારો તમને પ્રશ્ન છે કે એટલા માત્રથી શું તે ભાવર્જન બની જાય? અમારામાં કે તમારામાં ક્ષમાં ગુણ નથી, તેના કરતાં પણ કંઈ ગણી વધારે ક્ષમા તે બાઇમાં છે, એટલે શું તે ભાવથી જૈન છે? સભા - અપરાધી પ્રત્યે ક્ષમા કરે તો સમકિત આવે? સાહેબજી:- ઇશુખ્રિસ્ત કેવી ક્ષમા આપેલી? એટલે શું તેઓ સમકિતી હતા? વાસ્તવમાં તો તેઓ મોક્ષમાર્ગની પ્રાથમિક ભૂમિકાથી પણ શૂન્ય હતા. જો કે અહીં એવી ગેરસમજ નહીં કરતા કે “બીજા ધર્મના અનુયાયી હોય તેને મિથ્યાષ્ટિ અને જૈન ધર્મના અનુયાયી હોય તેને સમકિતીનો બિલ્લો અપાય છે.” જૈનશાસનમાં આવો મારા-તારાનો ભેદ નથી. માટે જ આપણે ત્યાં આવા દેવ, આવા ગુરુ, આવો ધર્મ એમ શબ્દ વાપર્યા છે. આનંદઘનજીએ ગાયું રામ કહો રહેમાન કહો.' મહાવીર નામ જપો તો જ તરી જશો તેવું નથી. પણ ગમે તે નામ હોય, પરંતુ આટલા આટલા જેનામાં ગુણ હોય તે મારા પ્રભુ, આટલા ગુણ હોય તે મારા ગુરુ. સોનું સાચું છે કે નકલી છે તેને નક્કી કરવા યુનિવર્સલ સ્ટાન્ડર્ડ એક જ હોય છે. ગમે ત્યાં જાઓ પણ સોનાની ચકાસણીનું ધોરણ એક જ હોય, તેવી રીતે દેવ-ગુરુ-ધર્મનાં દુનિયામાં બધા માન્ય કરે તેવાં વૈશ્વિક ધોરણ આપ્યાં છે. જે નિષ્પાપ જીવન જીવતા ન હોય તેને સદ્ગુરુ કેમ કહેવાય? હિંસા, ચોરી, અસત્ય પાપ છે. આ બધું જેના જીવનમાં હોય તેનું જીવન નિષ્પાપ જીવન કેમ કહેવાય? માટે જૈનધર્મ કહે છે, દેવ-ગુરુ-ધર્મને ઓળખવા માટે વિશ્વસ્તરનાં જે ધોરણ છે તે અનુસાર ચકાસણી કરીને સત્ય માનો. પ્રભુ મહાવીરે કહ્યું કે “હું જે ધર્મ બતાવું છું, જે આચાર-વિચાર બતાવું છું, તેના કરતાં ઊંચો ધર્મ બીજે હોય તો તેને માની શકો છો. પણ બીજે ક્યાંય આના કરતાં ઊંચા દેવ-ગુરુ-ધર્મતત્ત્વ નહિ મળે. માટે જ આ ઊંચું છે.” તમે પ્રામાણિકતાથી ધંધો કરતા હો તો ઠસ્સો હોય ને? તમે કહો ને કે બીજેથી મળે તો ઊંચો માલ મેળવી લો, ન મળે તો પછી પાછા આવજો. તેમ જૈનશાસ્ત્ર અણિશુદ્ધ ઊંચો ધર્મ બતાવે છે. આત્મશુદ્ધિ પ્રગટી છે તેના સંકેતો મોહને અંશથી પણ મૂળમાંથી ઉખેડવોઃ હવે આત્મશુદ્ધિ કરવી હોય તો ઉપાય શું? તેનું સ્વરૂપ શું? આત્મશુદ્ધિ પ્રગટી છે કે નહિ તેની ખાતરી શું? આનાં ઘણાં જ પાસાં છે. મનશુદ્ધિ ક્યારે થઈ કહેવાય? મનમાં રહેલા દોષો પાતળા પડે, સદ્ગણોનો વિકાસ * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * . . * * * * * * * * * * * * * * ૧૪૨ મનોવિજય અને આત્મશુદ્ધિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005185
Book TitleManovijay ane Atmshuddhi
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy