SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ સભા - કર્મો હળવાં કઈ રીતે થાય? સાહેબજી :- સ્વભાવિક રીતે થાય છે “નદીગોળપાષાણન્યાય' આદિથી થાય છે. જેમ પાષાણ અથડાઈ-કુટાઈને તેને ઘસારો લાગે છે, તેમ આત્માને દુર્ગતિમાં રખડતાં રખડતાં ઘણાં કર્મો ભોગવાઇ જાય અને બીજાં નવાં કર્મ ઘણાં ન બંધાતાં હોય તેથી કર્મો હળવાં થઈ જાય, દુષ્ટ ભાવોનો આવેગ ઘટી જાય; આને કર્મની ઓટ કહેવાય છે. આત્મા પર કર્મો જયારે પાતળાં પડે છે ત્યારે જ આત્મામાં ગુણ પેદા થાય છે. જેના જીવનમાં ચિત્તશુદ્ધિ આવે છે તે પણ એમ ને એમ આવતી નથી. તેનામાં સદગુણોનો વિકાસ થાય છે ત્યારે જ આવે છે. મનની મલિનતા તે દોષ છે અને નિર્મળતા તે ગુણ છે. જેનામાં થોડા પણ ગુણો વિકસે તેનું જ મન નિર્મળ કહેશો ને? તેથી સારાપણાની વ્યાખ્યામાં સદ્ગણો જ આવ્યા અને સદ્ગણોના વિકાસથી ચિત્તશુદ્ધિ આવે. ચિત્તશુદ્ધિ આવી કર્મ પાતળાં થવાથી, પણ આ આત્મશુદ્ધિ નથી. આત્મશુદ્ધિ વગર ચિત્તશુદ્ધિની ફૂટી કોડીની કિંમત નથી. ઊલટું ક્યારેક નુકસાનનું કારણ બને છે, જે સંસારમાં રખડાવવાનું કારણ બને છે. તેથી માત્ર ચિત્તશુદ્ધિને જો આત્મશુદ્ધિ માની બેસો તો ઉત્કૃષ્ટ ભ્રમ-ઉત્કૃષ્ટવિદન કહેવાશે. કારણ માર્ગમાં જ ભથયો છે. જે માર્ગઆત્મકલ્યાણમાં સાધનરૂપ છે તેમાં જ ભમ થયો છે. આત્મશુદ્ધિનો ઉપાય: હવે આગળ કહે છે કે આત્મશુદ્ધિ કરવી કઈ રીતે? તેના ઉપાય શું? આત્મશુદ્ધિ કહેવાય કોને? આ બધા ગંભીર પ્રશ્નો છે, સમજવા જેવા છે. બીજા ધર્મોમાં આ અંગે ભલભલા ગોટાળા કરે છે. આપણે ત્યાં પણ નહિ સમજનારા ઘણા ગોટાળા કરે છે. હમણાં એક અમરેન્દ્રવિજયજી નામના સાધુ મહારાજ થઈ ગયા. વ્યક્તિગત ટીકા કરતો નથી, પરંતુ તેમણે આ સમજવામાં જબરદસ્ત થાપ ખાધી છે. તેઓ લખે છે કે “ચિત્તશુદ્ધિ તે ધર્મનું અંતિમ લક્ષ્ય છે. ચિત્તશુદ્ધિથી જ ક્રિયા સફળ છે. આચાર, વિચાર, પ્રતિક્રમણ, સામાયિક, પૂજા બધી ક્રિયાથી ચિત્તશુદ્ધિ ન લાવી શકો તો ફોક છે. જો ચિત્તશુદ્ધિ લાવો તો તે ક્રિયાઓ સફળ છે.” અમારી દષ્ટિએ તેઓ અગત્યની કડી ભૂલી ગયા છે. જો ચિત્તશુદ્ધિને આધ્યાત્મિક શુદ્ધિ કહેતા હોય તો પછી જેનું મન વધારે શાંત હોય તે ઊંચી ભૂમિકામાં ગણાશે. પરંતુ તેવું આપણાં શાસ્ત્રો કહેતાં નથી. ઊલટું લખ્યું કે જીવ કષાયોથી તદન શાંત થઈ ગયો હોય, પ્રસન્નચિત્તવાળો હોય, સમતાનો અનુભવ કરતો હોય, પણ જો તેનામાં સમકિત ન હોય તો તે નીચલી ભૂમિકામાં છે અને જરાપણ આત્મશુદ્ધિ ન પ્રગટી હોય તો તે ભૂમિકાશૂન્ય છે. ઘણી વખત નાસ્તિકોનાં ન તો કરી જ ના મ કરી શકે કર મ ક ક ર સ ક ક ક ક ક ક ર ર ર ક જ રસ છે કે જે છે ક જ એક ૧૪) મનોવિજય અને આત્મશુદ્ધિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005185
Book TitleManovijay ane Atmshuddhi
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy