SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ જેમ તમે વેપાર કરો છો પણ તે વેપારમાં નફો ન મળે તો તે ધંધાની કેટલી કિંમત? ખાલી મજૂરી થશે. દા.ત. ઘણા એવા નાસ્તિક માણસો છે કે જેઓ પુણ્ય, પાપ, આત્મા, પરલોકને માનતા નથી, પણ મારા-તમારા કરતાં પણ વધારે શાંત, સરળ, અનાસક્ત ભાવવાળા છે. પણ જે ધર્મને જ માનતો નથી તેના સદૂગણની કિંમત કેટલી? જેમ યુગલિકોના મનની શુદ્ધિનિર્મળતા કેટલી ! કેટલા શાંત-ભદ્રિક હોય છે! માટે તેઓ પુણ્યથી દેવલોકમાં એક વખત જઈ આવે છે. તેમની મનની શુદ્ધિનું ફળ શું? એક વખત દેવલોકનાં સુખો ભોગવીને પછી સંસારમાં રખડવાનું. આવી ચિત્તની શુદ્ધિ આપણા આત્માએ અનંતીવાર કેળવી છે. આવી ચિત્તશુદ્ધિને શાસ્ત્રમાં ઉપમા દ્વારા સમજાવી છે. જેમ રેતીના રણમાં સપાટ મેદાન અને ખાલી રેતીના ઢગલા હોય છે, ક્યાંય ઝાડપાન પણ ન દેખાય, અને ત્યાં સૂર્યનો તડકો પડે એટલે અતિશય ગરમી વધે, માટે હવામાનમાં મોટો તફાવત પડે. એટલે ઘણી વખત રણમાં એકદમ પવન બેસી જાય અને અમુક વખત જોરદાર વંટોળિયા આવે. તેનાથી રેતીના ઢગલે ઢગલા એવા ફંગોળાય કે તેમાં આખા માણસના માણસ દટાઈ જાય તો પણ ખબર ન પડે. આમ થવાથી જ્યાં રેતીના ઢગલા હતા તે જગ્યાએ ખાડા પડી જાય અને જયાં ખાડા હતા ત્યાં ઢગલા થઇ જાય. આમ આપણા આત્મા પર ઘણી વખત કર્મનાં રજકણોની વૃદ્ધિ થવાથી ટેકરા ખડકાયા છે અને ઘણી વખત કર્મોનો અતિશય હાસ થવાથી ખાડા પડી ગયા છે. અથવા દરિયામાં જેમ ભરતી અને ઓટ આવે તેમ આપણા આત્મા પર કર્મોની ભરતી-ઓટ આવતી હોય છે. જયારે આત્મા પર કર્મોની ભરતી આવે તે વખતે આપણામાં વિકૃતિઓનો પાર ન હોય, ત્યારે આપણો આત્મા દુષ્ટતા અને દુર્ગુણોનો ભંડાર દેખાય; અને જયારે કર્મો ઘસાઈને પાતળાં પડે ત્યારે આત્મા પર અનેક સદ્ગુણો ખીલી નીકળે, જેનાથી તે એકદમ સજ્જનતા અને સગુણોનો ભંડાર દેખાય. સભા - કાંઈ કર્યા વગર કર્મો પાતળાં પડે? સાહેબજી - સગુણો માટેનો સામાન્ય પુરુષાર્થ કર્યો હોય, પણ લક્ષ્ય બાંધીને તત્ત્વના વિવેક સાથેની કોઇ સાધનાન કરી હોય. દા.ત. યુગલિકોના કષાયો કેટલા મંદ હોય છે !તેમાં તેમણે શું સાધના કરી? અથવા જેમ એક ગાય જતી હોય તે વખતે તમે તેને જરા પણ ન છંછેડો તો પણ સામેથી શિંગડું મારશે, જ્યારે બીજી ગાયને તમે પાછળથી પૂંછડું આમળો તો પણ તે કાંઈ ન કરે. આમ તો બંને ગાય છે. પરંતુ એકનો સ્વભાવ શાંત છે અને એકનો સ્વભાવ ઉગ્ર છે. જેનો સ્વભાવ શાંત છે તેમાં કારણ કોઈ સાધના નહિ પણ તેનાં કર્મો હળવાં છે માટે. મનોવિજય અને આત્મશુદ્ધિ ૧૩૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005185
Book TitleManovijay ane Atmshuddhi
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy