________________
નથી. પરંતુ દ્રવ્ય પ્રાણાયામને આપણે યોગના અંગરૂપે માનવા તૈયાર નથી, કારણ કે આત્માની શુદ્ધિ, આત્માની નિર્મળતા, આત્માના ગુણોનો વિકાસ, આત્માના દોષોનો હ્રાસ, તેને જ આપણે સાધ્ય માનીએ છીએ.
જેમ ઉપવાસ કરો એટલે આરોગ્ય જળવાય, પણ ભગવાને કાંઇ આરોગ્યના સાધન તરીકે ઉપવાસ બતાવ્યો નથી; તેનાથી કર્મનો ક્ષય થાય, આત્માની નિર્વિકારિતા વધે, નિર્જરા થાય તે માટે ઉપવાસ બતાવ્યો છે. જૈનશાસનમાં દરેક અનુષ્ઠાનમાં સાધ્ય ફીક્સ છે. માટે આત્મશુદ્ધિનું જ લક્ષ્ય હોવું જોઇએ. માત્ર થોડા મનના આવેગો શાંત થવાથી માનો કે મને ધર્મનું ખરું ફળ મળી ગયું, તે તો એક ભ્રમ છે. આપણા તીર્થંકરના આત્માઓએ પણ પૂર્વે ચિત્તશુદ્ધિ અનંતીવાર કરેલી, પણ તે વખતે આત્મશુદ્ધિ નહોતા કરી શક્યા માટે જ સંસારમાં રખડ્યા હતા, અને સાધક તરીકે તેઓ તે વખતે નિષ્ફળ ગયા હતા.
જેમ કમઠ પંચાગ્નિ તપ તપે છે. તેમાં તેની શરીરની સાધના કેવી છે ? ચોવીસ કલાક પલાંઠી વાળીને ઘોર તાપમાં ધ્યાન લગાવીને બેસે છે. તેણે શરીરને કેવું કેળવ્યું હશે ! લોકો કાંઇ એમ ને એમ તેની પાછળ ગાંડા થયા નથી. બધાને લાગે છે કે કેવો કઠોર તપ છે ! કેવી કઠોર સાધના છે ! કેવો ત્યાગ છે ! કેવી ચિત્તની સ્થિરતા છે ! આ કેવો અદ્ભુત સાધક છે ! આ બધું તેણે કર્યું કે નહિ ? તેની જેમ આપણા આત્માએ અને તીર્થંકરના આત્માએ પણ ભૂતકાળમાં હઠયોગની આનાથી જબરદસ્ત સાધના કરીને, દેહ-ઇન્દ્રિય નિર્મળ બનાવ્યાં; મનમાં જરા પણ ક્રોધના આવેગો, ઉશ્કેરાટ ન આવે તેવું શાંત નિર્મળ મન બનાવ્યું, હઠયોગની સમાધિમાં લયલીન બની ગયા, પણ બધું જ એકડા વગરના મીંડા બરાબર હતું; કારણ તે વખતે આત્મશુદ્ધિ નહોતી.
ન
સભા :- આત્મશુદ્ધિથી ચિત્તશુદ્ધિ થાય ?
સાહેબજી :- આત્મશુદ્ધિથી ચિત્તશુદ્ધિ અવશ્ય થાય, પણ તરત જ આવી જાય તેવો એકાંતે નિયમ નથી, થોડી વહેલી મોડી થાય. ઘણી વખત આત્મશુદ્ધિ વધારે હોય પણ ચિત્તશુદ્ધિ ઓછી હોય, અને ઘણી વખત ચિત્તશુદ્ધિ હોય ને આત્મશુદ્ધિ ન હોય.
સભા ઃ- ચિત્તશુદ્ધિ સાધન ખરું ને ?
સાહેબજી : :- સાધન ક્યારે ? જો તે સાધન સાધ્યને મેળવી આપે તો બરાબર, નહીંતર તે સાધન પણ ભારરૂપ લાગશે. આ તમારાં ચશ્માં પણ તમને જોવાનું સાધન બને તો ઉપયોગી, નહીંતર ભારરૂપ થશે. માટે સાધનની સાધ્યસિદ્ધિમાં ઉપયોગિતા થાય તો તે સાધન બરાબર.
૧૩૮
Jain Education International
For Private & Personal Use Only
漤漤漤洗漤洗漤蒸蒸漤漤漤漤荡
મનોવિજય અને આત્મશુદ્ધિ
www.jainelibrary.org