SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ તા. ૧૭-૯-૯૫, રવિવાર. અનંત ઉપકારી અનંત જ્ઞાની શ્રીતીર્થંકર પરમાત્માઓ જગતના જીવમાત્રને આત્મશુદ્ધિ પ્રાપ્ત કરાવવા આ ધર્મતીર્થની સ્થાપના કરે છે. ધર્મની આરાધનામાં કેન્દ્ર સ્થાને આપણો આત્મા છે. આપણા આત્માને પરિપૂર્ણ સ્વરૂપે પામવો તે જ ધર્મનું લક્ષ્ય છે. મોક્ષ એટલે શુદ્ધ આત્માની પરિપૂર્ણ ઉપલબ્ધિ. તેથી સાચો ધર્મ એ ક્રમશઃ આત્મશુદ્ધિની પ્રક્રિયા જ છે. ધર્મ દ્વારા આત્માને પરતંત્રમાંથી સ્વતંત્ર બનાવવો છે, અશુદ્ધમાંથી શુદ્ધ બનાવવો છે. તેનાથી જડને કાંઇ સ્વતંત્રતા કે શુદ્ધિ પ્રાપ્ત કરાવવાની નથી. તેથી આત્મા જ મુખ્ય કેન્દ્રબિંદુ બનશે અને આને ન સમજવાથી જ જીવ આડે રસ્તે ફંટાઇ જતો હોય છે. એટલે સાધન શું અને સાધ્ય શું તે સમજવામાં જ બહુ જ ચોક્કસાઇની જરૂર છે. દા.ત. અન્ય ધર્મમાં યોગાસન અને પ્રાણાયામને મોક્ષનાં સાધનો માન્યાં છે, જ્યારે જૈનદર્શને તેને કાંઇ મોક્ષનાં સાધનો માન્યાં નથી. ઘણા માને છે કે આસન કરીએ એટલે યોગ આવ્યો, પ્રાણાયામ કરીએ એટલે ચિત્તશુદ્ધિ થાય અને આમાં જ બધો ધર્મ આવી જાય. અધ્યાત્મની વાતો કરનાર શ્રાવકો પણ માનતા હોય છે કે યોગાસન દ્વારા શરીરશુદ્ધિ અને પ્રાણાયામ દ્વારા ચિત્તશુદ્ધિ કેળવી લઇએ એટલે મનની એકાગ્રતા આવી જાય. બસ, તેમાં આપણો બધો ધર્મ સમાઇ જાય છે; પણ વાસ્તવમાં આ સાચી વ્યાખ્યા નથી. પૂર્વધર થયેલા મહાપુરુષોએ કહ્યું છે કે અન્ય ધર્મમાં ૮૪ આસનનું વર્ણન છે, પરંતુ જૈનાચાર્યોને આસન બાબતમાં કશી જ જાણકારી નથી તેવું ન લાગે તે માટે જૈન યોગશાસ્ત્રોમાં અષ્ટાંગ યોગનું વર્ણન કર્યું છે. પરંતુ તેનું વર્ણન કરીને નીચે ખાસ નોંધ મૂકી છે કે, આત્મકલ્યાણ કરવું હોય તો આસન કે પ્રાણાયામનો પ્રયત્ન કરવાની કશી જ જરૂર નથી, તે સમય-શક્તિને વેડફવા બરાબર છે. જૈનશાસન સાધ્ય અને સાધન બંનેની બાબતમાં બહુ જ સ્પષ્ટ છે. આત્મકલ્યાણના માર્ગમાં જો સાધ્યને સાધન માનો અને સાધનને સાધ્ય માનો તો મૂર્ખતા છે. ઘણા કહે છે, “યોગ કરીએ તો શરીરમાં સ્ફૂર્તિનો અનુભવ થાય છે, પ્રાણાયામ કરીએ તો નાડીઓની શુદ્ધિ થવાથી ચિત્ત એકાકાર થઇ શકે છે, અંદરમાં આંતરિક સુખનો અનુભવ થાય છે, જ્યારથી આ કરવાનું ચાલુ કર્યું છે ત્યારથી મનના આવેગો શાંત થવા લાગ્યા છે, ક્રોધ હતો તે એકદમ ૧૩૬ Jain Education International For Private & Personal Use Only ****** મનોવિજય અને આત્મશુદ્ધિ www.jainelibrary.org
SR No.005185
Book TitleManovijay ane Atmshuddhi
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy