________________
જ લક્ષ્ય નથી. તેમાં સાધ્ય વગરની સાધના છે. તમને કહે મનને નિર્મળ કરો, કષાયો મંદ કરો, તેનાથી તમારું માઇન્ડ રીલેક્ષ થાય, શાંતિ મળે. પણ એટલા માત્રથી શું ધર્મથઇ જાય?
સભા:- એટલે શું તેઓ છેતરપીંડી કરે છે?
સાહેબજી :- ના, હકીકત તેઓ સમજ્યા નથી, ઇરાદો ખરાબ નથી. ઊંધા માટે ચઢાવવાની વાત નથી, પણ “ચિત્તશુદ્ધિ સાધન છે, આત્મશુદ્ધિ સાધ્ય છે;” સમજવામાં તેઓ થાપ ખાઈ ગયા છે, અને આ ગંભીર રહસ્ય છે. જો તે બરાબર સમજાઈ જાય તો દૃષ્ટિ બદલાઈ જાય. પછી તમે કોઇપણ ધર્મઅનુષ્ઠાનને મૂલવી શકો. દરેક ધર્મઅનુષ્ઠાનમાં આત્મશુદ્ધિ-ચિત્તશુદ્ધિ કેટલા અંશે થઈ તેના પર જ તમારી નજર જશે. ચિત્તશુદ્ધિ સાધન છે સાધ્ય નથી.
વિષય-કષાયો શાંત બને, મન શાંત થાય, નિર્મળ બને તો સાધન સારું મેળવ્યું, પણ સાધ્ય તો જુદું જ છે. આવું સાધન ભૂતકાળમાં ઘણી વખત મેળવ્યું છે. આપણે નિરતિચાર ચારિત્ર પાળ્યું છે. તેમાં મનશુદ્ધિ હતી પણ આત્મશુદ્ધિ નહોતી, માટે જ હવા ખાતા રખડીએ છીએ. અત્યાર સુધી દેહ-ઇન્દ્રિય-મન જુદા પાડ્યા, પણ હવે આત્મશુદ્ધિ જુદી પાડવી છે. આત્માનું સુખ જુદું છે.
* * * * *
*
* * * *
* * * * *
* *
* * *
* *
*
*
*
* *
* *
* *
*
* * * *
* *
* * * એ
જ
કે જે
મનોવિજય અને આત્મશુદ્ધિ
૧૩૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org