SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ચિત્તશુદ્ધિ એ સાધ્ય નથી પણ આત્મશુદ્ધિનું સાધન છે - સાધ્ય તો આત્મશુદ્ધિ જ છે ઃ આપણે આત્મશુદ્ધિ માટે પ્રયત્ન કરવાનો છે. ચિત્તશુદ્ધિ તે આત્મશુદ્ધિનું સાધન બની શકે છે. હવે આત્મશુદ્ધિ કરવા શું કરવાનું ? તમારા શરીરને નીરોગી-સ્વસ્થ બનાવો, સશક્ત-મજબૂત બનાવો, તો તે શ૨ી૨ આત્મકલ્યાણની સાધનામાં સહાયક બની શકે છે, પણ માત્ર મજબૂત બનાવવાથી આત્મસાધના થઇ ગઇ તેમ કહેવાય નહિ. જેમ સાધુ માટે પણ શાસ્ત્રમાં લખ્યું કે, પોતાના શરીરને સાધના માટે કેવું કેળવવું અને તેના માટે અનેક ઉપાય અજમાવવાની પણ છૂટ આપી છે. તીર્થંકરો ચોવીસે કલાક ધ્યાનમાં ઊભા રહી શકે. કારણ તેમણે મન-શરીર કેળવ્યું છે. આપણે તો ગબડી જ પડીએ. તમે છ મહિનાના કાઉસ્સગ્ગમાં ઊભા રહી શકો ખરા ? સભા :- કલાક પણ નહિ. સાહેબજી :- તેમાં તો તમે મનથી થાકી જાઓ છો. તમારા શરીરની શક્તિ તો બે ત્રણ ચાર કલાક ઊભા રહેવાની છે, પણ જરા તકલીફ આવી એટલે પાણીમાં બેસી જાઓ છો; પરંતુ છ મહિના ઊભા રહેવાની કોઇની શક્તિ નથી. તે શક્ય જ નથી. પરંતુ મન અને શરીરને જેટલું વધારે કેળવ્યું હોય તેટલું આત્મસાધનામાં ઉપયોગી થાય; પણ મન કેળવ્યું એટલે સાધના સમાપ્ત થઇ ગઇ તેવું નથી. કોઇ માણસે આંખને કેળવી છે તો એક મટકું માર્યા વગર લાંબો કાઉસ્સગ્ગ કરી શકે છે. આપણે આંખ પટપટાવ્યા વગર રહી શકતા નથી. જો કે કાઉસ્સગ્ગ આંખ પટપટાવ્યા વગર કરવાનો છે, પરંતુ આપણે તો ગરબડ ચાલુ છે; પણ જેણે આંખ કેળવી છે તે કરી શકે છે. પ્રસન્નચંદ્રરાજર્ષિ સૂર્ય સામે અનિમેષ નેત્રે ઊભા હતા. એમ ને એમ શ્રેણિકરાજા પ્રભાવિત થયા નહોતા. તેમણે કેટકેટલું ઇન્દ્રિય-દેહનું ઘડતર કર્યું હશે ! તેમ કોઇ મનને ઘડતર દ્વારા તૈયાર કરે. જેમ શરીર સાધના માટે સાધન બને, તેમ મન પણ સાધન બની શકે છે, પણ તે કાંઇ આત્મશુદ્ધિ નથી. તેનો અર્થ શું ? કે કોઇ માણસ કલાકો સુધી એકાગ્રચિત્તે બેસી શકે, કોઇ તેને ગાળ આપે કે નિંદા કરે તો પણ જરાપણ તેને ગુસ્સો ન આવે. આવું મન આત્મસાધનામાં સાધન તરીકે ઉપયોગી થાય, પણ તેટલા માત્રથી કાંઇ તેની સાધના પૂર્ણ થઇ જતી નથી. શરીર સાધના માટે ગમે તેટલું કેળવો પણ તેના ઉપયોગથી આત્મશુદ્ધિ ન થાય તો તેની જરાપણ કિંમત નથી. તેની જેમ ઇન્દ્રિયનું ઘડતર કરો પણ જો આત્મશુદ્ધિમાં ઉપયોગી ન થાય તો તેની પણ કોઇ કિંમત નથી. તેની જેમ મનનું પણ ગમે તેટલું ઘડતર કરો, ********* મનોવિજય અને આત્મશુદ્ધિ Jain Education International For Private & Personal Use Only 紫燕淇 ૧૩૩ www.jainelibrary.org
SR No.005185
Book TitleManovijay ane Atmshuddhi
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy