________________
સભા:- મન જીતે તે ઇન્દ્રિયને જીતી શકે ?
સાહેબજી:- મનને જીત્યું હોય તે અવશ્ય ઇન્દ્રિયને જીતી શકે. તે જીતેલો જ હોય છે. હજી તમને આની ગંભીરતા સમજાતી નથી. અત્યારે આપણે આટલી આરાધના કરી જેથી મન શાંત થયું, તેથી ધર્મ ફળીભૂત થયો; તેવું ઘણા સમજે છે, પણ વાસ્તવમાં તેવું નથી.
સભા:- “મન જીત્યું તેણે સઘળું જીત્યું તે કઈ રીતે?
સાહબેજી: ત્યારે તેણે મને કઇ રીતે જીત્યું હોય? આત્મા જિતાય તે રીતે મનને જીતવાનું છે. તે વખતે મન અને આત્માનો અભેદ કરી નાંખવાનો છે.
સભા:- “મન ચંગા તો કથરોટમેં ગંગા” કઈ રીતે? - સાહેબજી:-આ જૈન વાક્ય નથી, જૈનેતર છે. આની સાથે આત્માની નિર્મળતા થાય તો લાભદાયક છે. યુગલિકનાં મન કેટલાં શાંત હોય છે, દેવતાનાં મન પણ કેટલાં શાંત હોય છે, છતાં આત્મલ્યાણની દૃષ્ટિએ કશું મેળવી શકતા નથી.
સભા:- નિમિત્ત મળે તો થાય ને?
સાહેબજી:-નિમિત્ત મળે તેની સાથે સંબંધ નથી, પરંતુ આત્મશુદ્ધિ જોઇએ. જેને વિષયોમાં દુ:ખનો અનુભવ શક્ય છે, તે વ્યક્તિ આત્મશુદ્ધિ માટે લાયક છે.
સભા:- ના, સાહેબજી ! હું યુગલિક માટે કહું છું કે તેને આત્મશુદ્ધિનું નિમિત્ત નથી મળતું માટે?
સાહેબજી:- હા, યુગલિકને આત્મશુદ્ધિનું નિમિત્ત નથી મળતું તે બરાબર છે.
બત્રીસીમાં લખેલું છે કે આત્મશુદ્ધિ વગરની ચિત્તશુદ્ધિ કાંકરા બરાબર છે. જેને આત્મશુદ્ધિ નથી તેની મનશુદ્ધિ પણ સંસારમાં રખડાવવાનું સાધન બનશે. માટે વિચારજો, કેટલી આ ગંભીર વાત હશે. એક માણસ દયા, ક્ષમા, સૌજન્ય, શાંતિ કેળવીને પણ, જો તેને તેનાથી આત્મશુદ્ધિ ન થતી હોય તો તે ખાલી પુણ્યને બાંધી, તેનાથી ભોગ ભોગવીને સંસારમાં રખડશે.
સભા :- આત્મા સચ્ચિદાનંદસ્વરૂપ કઈ રીતે?
સાહેબજી:-સચ્ચિદાનંદની ઉપમામાં ચિ શબ્દ છે, ચિત્ત શબ્દ નહિ. ચિ શબ્દનો અર્થ જ્ઞાન છે. જયારે ચિત્ત શબ્દનો અર્થ મન છે. આત્મા જ્ઞાનમય છે, પરંતુ મનોમય નથી. માટે તમારી સમજફેર થઇ છે. સંસ્કૃતમાં જરા ફેરફાર થાય તો શબ્દનો આખો અર્થ ફરી જાય છે.
૧૩૨
મનોવિજય અને આત્મશુદ્ધિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org