________________
સભા:- મનશુદ્ધિ વગર આત્મશુદ્ધિ સંભવિત છે?
સાહેબજી:- હા, બની શકે છે. કોઇનું મન અશાંત-ઉશ્કેરાટવાળું હોય, છતાં તેને આત્મશુદ્ધિ હોઇ શકે છે, તે અંશથી છે સંપૂર્ણ નથી. સમ્યગ્દષ્ટિ આત્માને પણ નિમિત્ત મળે તો ક્રોધ-આવેગ-ઉશ્કેરાટ આવે, જેથી ગમે તેમ બોલે, મારામારી કરે; છતાં તે વખતે તેને સમકિત છે, માટે આત્મશુદ્ધિ છે જ; પણ મન અશાંત-અસ્વસ્થ છે, સંક્લેશથી ભરેલું છે, જેમ નરકમાં શ્રેણિક મહારાજા અને કૃષ્ણ મહારાજાનો જીવ છે, જે ક્ષાયિક સમ્યગ્દષ્ટિ છે. શ્રેણિકમહારાજાના આત્માએ તો તીર્થંકરનામકર્મને નિકાચિત કર્યું છે. પ્રભુ મહાવીરની એવી ભક્તિ-ઉપાસના કરી છે કે જેના દ્વારા તીર્થંકરપદ નિશ્ચિત કર્યું છે, જેથી ૮૪ હજાર વર્ષ પછી ભગવાન મહાવીર તુલ્ય તીર્થકર થવાના છે, છતાં અત્યારે તેમનો આત્મા નરકમાં છે. તેમને પછી વચમાં બીજો ભવ નથી, પરંતુ અત્યારે તેમની શું સ્થિતિ છે? ‘ત્રાહિમામ્ પોકારે તેવી શરીર-ઇન્દ્રિયની વેદના તેમને થાય છે. જેથી મન ચોવીસે કલાક બેચેન-અશાંત છે; વેશ્યા પણ અશુભ છે, કાપોત લેગ્યા છે. નારકીમાં વૃત્તિઓ ખરાબ હોય, માટે પરમાધામી સાથે ઝઘડો પણ કરે, તેના પ્રત્યે ભયંકરદ્વષ પણ થાય, ઉગ્રતાથી બોલાચાલી પણ થાય, તેથી માનસિક સંક્લેશ ત્યાં છે. મન સ્વસ્થ નથી, બેચેન છે; આવેગ-ઉશ્કેરાટ-કષાયો છે, છતાં પણ ક્ષાયિક સમકિત છે; તેથી તેમની શુભ પરિણતિ છે, પુણ્યાનુબંધી પુણ્ય બાંધે છે, કર્મની સકામ નિર્જરા કરે છે. આવું સંક્લિષ્ટમન હોવા છતાં આત્મશુદ્ધિનો અનુભવ કરે છે. કારણ શું? સમકિતની હાજરીમાં થઇ શકે તેવા જ કષાયોનો ઉદય છે, જેનાથી મન અસ્વસ્થ છે; પરંતુ માન્યતારૂપે તો શુદ્ધ જ છે, ત્યાં અવિવેક નથી. અશુભ ભાવોનો આવેગ છે. સમ્યગ્દષ્ટિને મારવા આવે તો તે હાથ જોડીને ક્ષમાપૂર્વક ઊભો રહે તેવો નિયમ નથી. તેને ગુસ્સો પણ આવી શકે છે. પણ કષાયઆવેગ કેવા હોય? ક્યાંય તેમને વિવેક ચુકાવે નહિ, વિવેક સાથે જળવાયેલો જ હોય. હવે તેની સામે નિરતિચાર ચારિત્રધર એવા અભવિના જીવને કોઈ મારી નાંખે તો પણ કાંઈ બોલે નહિ, એમ ને એમ ઊભો રહે; તેનું મન એકદમ શાંત છે, નિરતિચાર ચારિત્ર તે પાળે છે ત્યારે પણ તેની પાસે અધ્યાત્મશુદ્ધિ નથી, મનશુદ્ધિ છે; જયારે શ્રેણિકરાજા પાસે અધ્યાત્મશુદ્ધિ છે.
સભા -મનોયોગ તે વખતે અશુભ થાય તો પણ પાપ ન બંધાય?
સાહેબજી - પાપ બંધાય, મનોયોગ જે માત્રાનો અશુભ થયો હોય તેટલી માત્રાનો અશુભ કર્મબંધ થાય જ. સમકિતીને અશુભ ભાવ કરતો હોય ત્યારે પણ પાંચ ટકા પાપ બંધાય છે, ૯૫% પુણ્યાનુબંધી પુણ્ય બંધાય છે. તેને કદી પાપાનુબંધી પુણ્ય કે પાપાનુબંધી પાપ બંધાતું જ નથી.
મનોવિજય અને આત્મશુદ્ધિ
૧૩૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org