SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ અત્યારે ઉપર મેલ જડાયેલો છે, તેથી મૂળ ચમકનો અનુભવ થતો નથી. હવે તે સોનું પિત્તળ સાથે જ પડ્યું છે, કદાચ પિત્તળ કરતાં પણ ખરાબ લાગે છે, ત્યારે કોઈ કહે કે આ સોનું છે તેની ખાતરી શું? સોનાની ચમક બતાવો, તો તે વખતે તમે આખા સોનાને સંપૂર્ણ સાફ કરો તો પૂરી ચમક દેખાય, પણ જો તેટલી સફાઇની અત્યારે તાકાત ન હોય તો, જેમ તમે તેનો એક ખૂણો સાફ કરીને બતાવો; ત્યારે ભલે બીજી બધી બાજુથી મેલો હોય, પણ જે અંશથી સોનું ચોખું થયું ત્યાં તો અંદર મૂળભૂત ચમક હોવાથી સોનાની ચમક દેખાય છે, તેની જેમ આત્માની આખી અશુદ્ધતા નીકળી જાય તો મોક્ષ થઇ જાય, પણ જો તે ન કરી શકો ત્યાં સુધી અંશથી તેને શુદ્ધ કરવાનો છે, એટલે થોડી અશુદ્ધતા પણ મૂળમાંથી નીકળવી જોઇએ. તમારા વિષયકષાયોને તમે શાંત કરો, વિષય-કષાયના ભાવોને મંદ કરો, પણ એકપણ વિષય-કષાય જો. મૂળમાંથી તૂટે નહિ, તો તે ખાલી મનશુદ્ધિ છે, પણ આત્મશુદ્ધિ નથી. જો મૂળથી તૂટે તો જ આત્મશુદ્ધિ થાય છે. મૂળમાંથી તૂટે એટલે જે વિકારતૂટ્યો હોય, તે વિકાર કદી પણ આત્મામાં ફરી પેદા ન થાય. એક પણ વિકાર-દોષ મૂળમાંથી ન નીકળે ત્યાં સુધી આત્માની વાટકો પણ ઓરીજીનલ લાઇટ બહાર આવતી નથી. સભા :- એટલે અંશથી આત્મપ્રદેશો શુદ્ધ થશે ત્યારે આત્મશુદ્ધિ થશે ? તો આઠ ચકપ્રદેશ શું? સાહેબજી - મેં અંશ દોષમાં લીધા છે, જયારે તમે આત્મપ્રદેશોને અંશથી લો છો. આપણા આત્માના આઠ ચકપ્રદેશો તો શુદ્ધ જ છે. તમામ આત્મપ્રદેશો કર્મથી ખરડાતા નથી. નિગોદમાં રહેલા જીવને પણ આઠ રુચકપ્રદેશ સિદ્ધસ્વરૂપ છે. ચકપ્રદેશ તે આત્માનું કેન્દ્રબિંદુ છે. કર્મ ગમે તેટલી તીવ્રતાથી-ગાઢતાથી આત્માના સંપર્કમાં આવે, પણ પૂરેપૂરા આત્મપ્રદેશો પર તે કબજો જમાવી શકતું નથી. જ્યાં સુધી દીવો સળગતો હોય ત્યાં સુધી પ્રકાશ લગીર જેટલો પણ રહેવાનો જ,પવન હોય તો પણ તેની જેમ આત્માની ચેતના કર્મના ગાઢ આવરણ વચ્ચે પણ પૂરેપૂરી બુઝાતી નથી. જડ કર્મ હુમલો કરે, આપણી ચેતનાને બુદ્દી કરે, જડ બનાવે, પણ બધી ચેતનાને તે જડ કરી શકતું નથી. જો કે આપણે અત્યારે ઘણી ચેતના ખોઈ બેઠા છીએ. જેમ કે એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તે ઇન્દ્રિયના જીવો છે તેમની અતિશય અવિકસિત ચેતના છે. માટે જ ઝાડપાન ઊભાં હોય તેને આગળ પાછળ શું ચાલી રહ્યું છે તેની ખબર ન હોય. માટે જેમ કર્મનો હુમલો વધે તેમ જીવ જડ બને, પણ આઠ રુચકપ્રદેશ તો ખુલ્લા જ રહે છે. તેથી અમુક આત્મપ્રદેશો કર્મથી નિર્મળ થાય તો આત્મશુદ્ધિ થાય તેવું તાત્પર્ય નથી. અહીંયાં જે હું અંશથી બોલુ છું તેમાં વિકાર-દોષોની અંશથી શુદ્ધિ લેવાની છે. એક રાક જ એ જ એક મા એક મ ક મ મ મ મ મ મ મ મ મ મ મ મ મ મ મ મ મ મ મ મ મ * * * * * * * * * ૧૩) મનોવિજય અને આત્મશુદ્ધિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005185
Book TitleManovijay ane Atmshuddhi
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy