SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ થતા હોય છે. જેમ બધા મને આ રીતે ઓળખે, આ રીતે જાણે, આમ રાખે; પરંતુ તેમને તો આમાંનું કશું જ થતું નથી. ઊંચી ચિત્તશુદ્ધિ છતાં આંશિક પણ આત્મશુદ્ધિ અવિને નથીઃ સભા:- સાહેબજી ! હવે જલદી બતાવો અમારામાં શું ખૂટે છે? સાહેબજી - બતાવીશ ચોક્કસ, ધીરજ રાખો. હવે અભવિના જીવો પણ નવમા રૈવેયકે જાય છે. ત્યાં તેમનું મન નિર્વિકારી, શાંત, નિર્મળ સ્વરૂપે હોય છે. અબજો વર્ષ સુધી આ જ સ્વભાવ હોય છે. આવેગો-ઉશ્કેરાટ નથી, નિર્વિકારી છે; તેમને ગમે તેવી અપ્સરા બતાવો, પણ નખમાં પણ વિકાર પેદા ન થાય, કારણ વિકારશૂન્યતા છે. ગમે તેવો વૈભવ બતાવો તો હું મેળવી લઉં તેવું પણ ન થાય. હવે આટલી ચિત્તશુદ્ધિ હોવા છતાં અભવિના જીવનું રતીભાર પણ આત્મકલ્યાણ નથી થતું. સભા - તેને આત્મશુદ્ધિ ગમતી નહિ હોય? સાહેબજી - તેને તેની સૂઝ જ નથી. તમને પૂછે આત્મશુદ્ધિ અને ચિત્તશુદ્ધિને જુદી પાડો, તો શું કરો? તેમ તેને તેની ખબર જ નથી. માટે જ તે અનંત કાળથી રખડે છે. મનના આવેગો, વિકારો તો દરિયાની ઓટ અને ભરતી જેવા છે. જેમ દરિયામાં અમુક ટાઇમ ભરતી આવે છે, અમુક ટાઇમ ઓટ આવે છે, તેમ અનંત કાળમાં ઘણી વખત મનમાં જબરદસ્ત આવેગો આવ્યા, ઘણી વખત આવેગો એટલા શાંત થઇ ગયા કે જીવ ડાહ્યોડમરો થઈ ગયેલો લાગે; પરંતુ તે મનશુદ્ધિ જ હતી, આત્મશુદ્ધિ નહોતી; અને તેથી જ રખડીએ છીએ. માટે જ હું તે બન્નેને જુદા પાડવા માંગુ છું. આત્મશુદ્ધિનું પ્રારંભિક લક્ષણ વિકારો-કષાયોમાં દુઃખનું સંવેદનઃ જે આત્માને વિકારોમાં દુઃખનું સંવેદન નથી થતું, તેવો જીવ, ગમે તેટલા વિકારો શાંત કરે, તેનાથી મનશુદ્ધિ મળે પણ આત્મશુદ્ધિ ન મળે. કારણ કે તેને આત્મામાં વિકારોનો મૂળ : બેઝ(પાયો) અક્ષત છે, તેથી અશુદ્ધ ચેતનાનો જ તેને અનુભવ થાય. હવે શુદ્ધ ચેતનાનો અંશથી અનુભવ કરવો એટલે શું? તે વિકૃતિ અંશાત્મક પણ મૂળમાંથી નાબૂદ થવી જોઇએ. અંશથી મૂળમાંથી ઊખડવી જોઈએ. જેમ સોનું ઘણો વખત એમ ને એમ પડી રહ્યું હોય તો, મેલ-કાટ ચઢી જાય; આમ તો તે સોનામાં પણ મૂળભૂત ચમકનો ગુણધર્મ તો છે જ, પણ * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * મનોવિજય અને આત્મશુદ્ધિ ૧૨૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005185
Book TitleManovijay ane Atmshuddhi
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy