SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ થાય છે તેવા ન થતા હોય; છતાં તેને આત્મકલ્યાણનું લક્ષ્ય નથી, માટે તેની આ ચિત્તશુદ્ધિની કોઈ જ કિંમત નથી. ઘણા માને છે કે મન શાંત-સ્વસ્થ-નિર્મળ બન્યું એટલે કલ્યાણ થઈ જશે, પણ ખાલી ચિત્તશુદ્ધિ કરવાથી આત્મકલ્યાણ થતું નથી. સભા:- મનશુદ્ધિ ઓછી હોય તો આત્મશુદ્ધિ વધારે ન હોયને? સાહેબજી:- ના, તેવું નથી. મનશુદ્ધિ ઓછી હોય તો પણ આત્મશુદ્ધિ વધારે હોઇ શકે છે. માટે બેઉને જુદા તારવવા પડે. જેમ યુગલિકો છે. તેમના સ્વભાવ કેવા? આપણા મનમાં કષાયો છે, આવેગો છે, તેના કરતાં તેમના કષાયો-આવેગો ઓછા હોય છે. દા.ત. અમને કોઈ હેરાન કરે કે કદાચ મતભેદો થાય ત્યારે થોડો સંક્લેશ-ઝઘડો થતો હોય છે. જ્યારે તેમને તો જીવનમાં કદી સંક્લેશ-ઝઘડો થતા જ નથી. છતાં શાસ્ત્રની દૃષ્ટિએ આ ચિત્તશુદ્ધિ આત્મકલ્યાણનું સાધન બનતી નથી. માટે ખાલી કષાયો શાંત થવાથી, મન નિર્મળ થઇ જવાથી આત્મકલ્યાણનો માર્ગ ગોઠવાતો નથી, પણ આત્મશુદ્ધિ તો સ્વતંત્ર છે. આપણે આટલો ટાઇમ ચિત્તશુદ્ધિનું બેકગ્રાઉન્ડ તરીકે વર્ણન કર્યું, પરંતુ હવે તમને આત્મશુદ્ધિનો ખ્યાલ આપવો જરૂરી છે. મનશુદ્ધિ અને આત્મશુદ્ધિને જુદા ન પાડવાથી ભલભલા સાધકો ગોથાં ખાઈ ગયા છે. સભા:- સાહેબજી! આ ઔદયિકભાવની શુદ્ધિ કહેવાય? સાહેબજી - હા, આ ઔદયિકભાવની ચિત્તશુદ્ધિ કહેવાય છે. નવમા રૈવેયકના મિથ્યાદષ્ટિ દેવતાઓના મન પણ શાંત હોય છે. તેમની પાસે ચિત્તશુદ્ધિ હોય છે. બીજાની પાસેથી કોઈ નવી સંપત્તિ લેવાની તેમને ઇચ્છા નથી. માનપાન-અહંકારને પોષવાની પણ તેમને ઇચ્છા નથી. તેમની પાસે ઐશ્વર્ય-પ્રભાવ ઘણો જ છે. ધારે તો મર્યલોકને ચપટીમાં ચોળી શકે તેટલી શક્તિ છે. છતાં તેમને કોઇને પરચો બતાવવાની ઇચ્છા નથી. જયારે તમારામાં કોઈ શક્તિ હોય અને તે તમારા પરિચયવાળા ન જાણતા હોય, તો તમે જણાવ્યા વગર રહો ખરા? ત્યારે તેમની પાસે તો આટલી શક્તિ હોવા છતાં બતાવવાનું મન જરાપણ નથી. સભા:- શક્તિ બતાવવાની પણ શક્તિ જોઇએ ને? સાહેબજી - તેમની પાસે શક્તિ બતાવવાની શક્તિ છે, બતાવવાની ચતુરાઈ છે, તે દેવતાઓ કાંઈ મૂખ નથી. પોતાનો પ્રભાવ, શક્તિ, ઐશ્વર્ય બતાવવાની આવડત છે. પણ તેમને ઇચ્છા નથી, આવેગો નથી, ઉત્સુકતા નથી; જયારે આપણને તો તેના અભરખા જ ૧૨૮ મનોવિજય અને આત્મશુદ્ધિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005185
Book TitleManovijay ane Atmshuddhi
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy