SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ જ્યારે બીજાના દોષ આવે ત્યારે તો જોયા નથી ને ગાવાના ચાલુ થાય, જરૂર પડે નાનો દોષ હોય તેને મોટો કરીને કહો. જેમ ભાઇની ભૂલને તરત છાપરે ચઢાવો. હવે જે આવી વૃત્તિઓ છે તે નીચ ગોત્રનું કારણ છે. પોતાના દોષને ઢાંકવા અને બીજાના દોષને ખુલ્લા કરવા, જરૂર પડે ઉમેરીને કહેવું, આ વૃત્તિથી નીચગોત્ર બંધાય છે. માટે જેવી વૃત્તિ પડી હોય તે પ્રમાણેનો બંધ ચાલુ છે. પશુયોનિમાં નીચગોત્ર જ છે. નીચગોત્ર બાંધો ત્યારે જ પશુયોનિમાં જવાય છે. માટે જેવા ફેકટર્સ(પરિબળ) ભેગા થાય તે પ્રમાણે ગતિ ચોક્કસ થાય. હવે આગળ. ૧૧મે ગુણસ્થાનકે શક્તિરૂપે કષાયો છે પણ વ્યક્તરૂપે નથી. જ્યારે ૧૨મે ગુણસ્થાનકે તો તે વ્યક્તરૂપે કે શક્તિરૂપે ઉભય રીતે નથી, પણ નાશ પામેલા છે. તેથી ત્યાં નિર્ભયતા છે માટે મોહને ઊઠવાનો ત્યાં સવાલ જ નથી. ચિત્તશુદ્ધિ એ જ આત્મશુદ્ધિ નથી, આત્મશુદ્ધિ વિના ચિત્તશુદ્ધિ નિષ્ફળ છે. આપણે ભાવમનનો અર્થ કર્યો અશુદ્ધ મોહાત્મક ચેતના. આ ભાવમનને આપણે ચોવીસે કલાક સાથે લઇને ફરીએ છીએ. હવે તેનું સંશોધન કરવું છે, જે આત્મકલ્યાણમાં ખૂબ જ ઉપયોગી છે. તમે ગમે તેટલું મન શાંત, સ્વસ્થ, નિર્મળ બનાવો પણ તેનાથી આત્મા નિર્મળ ન બને તો તે સાધના નિષ્ફળ જશે. આ ગંભીરતાને સમજવાવાળા ઘણા ઓછા છે. તમે માત્ર મનને નિર્મળ બનાવ્યું, આત્મા સામે જોયું નહિ, એટલે ખાલી મન શાંત થશે આત્મશુદ્ધિ નહિ થાય. સભા ઃ- તેથી સમકિત ન આવે ? સાહેબજી :-વિચારજો, સમકિત ક્યારે આવે ? આત્મશુદ્ધિ પેદા થાય ત્યારે જ આવે છે, માટે ખાલી ચિત્તશુદ્ધિનું મહત્ત્વ નથી. તેથી જ આત્મશુદ્ધિ અને ચિત્તશુદ્ધિનો ભેદ પાડવાનો છે અને માટે તેનું પૃથક્કરણ કરવાનું છે. અત્યારે ઘણા માણસો એવા છે કે જે ઉદાર, સૌજન્યશીલ, શાંત સ્વભાવવાળા હોય. તેની સાથે વાત કરો, હળોમળો તો તમને સારો અનુભવ થાય. ક્યાંય દુષ્ટતાનો અનુભવ ન થાય તેવી તેમની સજ્જન પ્રકૃતિ જ હોય અને આ મૂળભૂત પ્રકૃતિ હોય, છતાં પણ તેમના જીવનમાં અધ્યાત્મ ન હોય, મોક્ષલક્ષિતા ન હોય, સંસારથી તે વિરક્ત ન હોય. હવે આ શાંત મન કેવું ? તેનાથી તેને થોડું પુણ્ય બંધાય, પણ તે આત્મકલ્યાણનું સાધન ન બને. જેમ નાસ્તિક માણસ પણ મારા તમારા કરતાં શાંત સ્વભાવનો હોય, નીતિમાન હોય, સરળ હોય; તેના કારણે તેનું મન શાંત-સ્વસ્થ વધારે હોય; તેથી તેને આવેગ, ઉશ્કેરાટ, સંક્લેશ કદાચ તમને ****** મનોવિજય અને આત્મશુદ્ધિ Jain Education International For Private & Personal Use Only ૧૨૭ www.jainelibrary.org
SR No.005185
Book TitleManovijay ane Atmshuddhi
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy