SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧મે ગુણસ્થાનકે સાધકના મનમાં રાગનો કણિયો નથી, દ્વેષ-આસક્તિનો કણિયો પણ નથી, અનુભૂતિરૂપે કષાયોનો ઉદય નથી. આખા જગત પ્રત્યે નિર્લેપ-અનાસક્ત છે. તે વખતે તેને વીતરાગદશા સોએ સો ટકા છે. પણ આ વીતરાગતા કેવી છે? અમુક ટાઈમ પછી સ્ટોકમાં રહેલા મોહનીયકર્મના ઉદયથી નિમિત્ત મળે તો રાગદશા પુનઃ પ્રગટે. એટલે રાગદશા શક્તિરૂપે છે. જ્યારે “રાગ હાલમાં ધરબાયેલો પડ્યો છે. એનો અર્થ એ કે તે રાગ અત્યારે પણ મનમાં એક્ટીવ છે-લબ્ધિમનમાં છે; જ્યારે પેલો રાગ તો ઇનએક્ટીવ છે અને જે કષાય એક્ટીવ ન હોય તેનાથી કદીપણ કર્મ બંધાય જ નહિ. આને સમજવા લયલીન થઈને સંગીત સાંભળતી વખતે તમારા મનમાં અતિશય ભાવતા દૂધપાક ઉપરનો પડેલો રાગ અને ભૂંડના ભવમાં ભવિષ્યમાં થનારો વિષ્ટા પરનો રાગ આ બે વચ્ચેનો તફાવત વિચારવા જેવો છે. સભા:- ભવ બદલાય છતાં વૃત્તિ ન બદલાય એવું ખરું? સાહેબજી:- હા, અતિશય ગાઢપણે જે વૃત્તિને કેળવી હોય તે ન બદલાય. પણ બીજી ઘણી વૃત્તિઓ બદલાય છે. જેમ કૂતરાના ભવમાં ગયા એટલે ભસવાનું ચાલુ, ગધેડાના ભાવમાં ગયા તો ભૂંકવાનું ચાલુ, તેમ વાંદરાના ભવમાં ગયા એટલે કૂદાકૂદચાલુ, તેમ ઉંદરના ભવમાં ચંચળતા કેટલી? જેમ ગાય શાંત બેસી શકે પણ ઉંદર શાંત બેસી શકે ? તેમ વાઘ, સિંહના ભવમાં જાઓ એટલે ક્રૂરતા આવી જાય. ફાડીને કેમ ખાવું તે શીખવાડવું પડતું નથી, કારણ જન્મથી ક્રૂરતા છે; અને એ જ આત્મા બીજા ભવમાં જાય તો આ વૃત્તિ ન હોય, જેમ ઘણી વખત કાગડો ગાયનું પૂછડું ખેંચે તો પણ તે શાંત બેઠી હોય છે; જ્યારે વાંદરો શાંત ન બેસી શકે, કારણ અમુક ભવ સાથે અમુક વૃત્તિ સંકળાયેલી હોય છે. ખાવા-પીવામાં, કામ-ભોગવર્તન બધામાં વૃત્તિ બદલાય છે. જેમ અત્યારે વિષ્ટાથી ચિતરી થાય છે પણ ભૂંડના ભાવમાં જીવને તેની જ ડીમાન્ડ હોય, આત્મા તો એનો એ જ છે, છતાં આમ કેમ? વિચારો. સભા:- અત્યારે વિષ્ટા પર જુગુપ્સા કરે માટે આવો ભવ મળે છે? સાહેબજી:- હા, એ પણ એક કારણ બને, પણ તે ભવ માટે તે એક એકલું કારણ નથી. એક એક ગતિના કારણમાં ઘણું વિવેચન આવે છે. તેમાં એક પરિબળ કામ નથી કરતું. બધાં પરિબળો પેદા થાય અથવા ચોક્કસ પરિબળો ભેગાં થાય પછી તે ગતિમાં જીવને ભરાવું પડે છે. જેમ ગોત્રકર્મ છે. તેના બે ભેદ છે. ઉચ્ચગોત્ર, નીચગોત્ર. નીચગોત્ર માટે પરિબળ તરીકે કેવા ભાવો આવે, તે જરા વિચારીએ. અત્યારે આપણા દોષોને આપણે ગંભીરતાથી પચાવી જઇએ છીએ. જેમ કે તમારા જીવનની કાંઇ ખામી-નબળાઈ હોય તો તેનો કાંઇ તમે ઢંઢેરો પિટાવતા નથી, ગુપ્ત રાખો છો. ૧૨૬ મનોવિજય અને આત્મશુદ્ધિ * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005185
Book TitleManovijay ane Atmshuddhi
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy