SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ સાહેબજી - ના, વીતરાગને ભાવમન નથી. તેની આવશ્યકતા જ નથી. ભાવન એટલે આપણે મહાત્મક ચેતના લઇએ છીએ. જયારે જ્ઞાનાત્મક ચેતનાનો વાંધો નથી, તે કર્મબંધનું કારણ નથી. વીતરાગને જે કર્મબંધ છે તે અડીને ખરી જાય છે. ૧૧મે ગુણસ્થાનકે પણ વીતરાગતા છે. ત્યાં માહાત્મક ભાવો નથી, તેથી તેમને અમનસ્કયોગ કહ્યો છે. સભા:- સાહેબજી ! જીવ ૧૧મેથી પડે છે તો પણ ભાવમન નથી? સાહેબજી:- ૧૧મે વીતરાગ છે. તે વખતે તેમને કષાયો શક્તિરૂપે છે વ્યક્તરૂપે નથી. એટલે શક્તિરૂપે અને વ્યક્તરૂપમાં ઘણો તફાવત છે. દા.ત. તમને અત્યારે ફ્લેટ આદિ મળી ગયા છે, તેથી તમને ઝૂંપડપટ્ટી પર કાંઈ રાગ કે આકર્ષણ વ્યક્તરૂપે નથી; કારણ તેમાં તમને રહેવાનું નથી, પણ શક્તિરૂપે છે. જે દિવસે કદાચ એવા સંયોગ આવ્યા કે તમારે ફૂટપાથ ઉપર રહેવાનું આવે, તો તે વખતે ઝૂંપડપટ્ટી પર પણ કદાચ રાગ-આસક્તિ વ્યક્તરૂપે થાય. તેમ અગિયારમે ગુણસ્થાનકે વીતરાગને આસક્તિ વ્યક્ત નથી પણ શક્તિરૂપે તો છે. સભા:- એટલે યોગ્યતારૂપે કહેવાય? ' સાહેબજી:- ના, યોગ્યતામાં તો જે વસ્તુને તે જાણતો જ નથી, પણ જો જાણે તો હમણાં તેને રાગ થાય તેવી લાયકાત પડી છે. માટે અજ્ઞાત વસ્તુ પર સંભવતા કષાયો યોગ્યતામાં લેવાના છે. જેમ પેરીસના બંગલા-બગીચા તમે જોયા નથી, તેમ દેવલોક પણ જોયો નથી, પણ જો હમણાં જોવા મળે તો રાગ ઊભરાય, અર્થાત્ અંદર રાગ પડ્યો છે. જ્યારે અગિયારમે ગુણસ્થાનકે વીતરાગના મનમાં તો શક્તિરૂપે જ છે. માટે રાગ, રાગની દશામાં તફાવત છે. અમુક રાગ અભિવ્યક્ત હોય છે, જયારે અમુક રાગને નિમિત્ત નથી મળ્યું માટે ઊભો થયેલો નથી, પણ અંદરખાને તો પડ્યો છે. જ્યારે આમાં તો અત્યારે પડ્યો નથી પણ ભવિષ્યમાં પેદા થાય તેની શક્તિ છે. દાખલા તરીકે અત્યારે તમને કૂતરીને જોઈને આકર્ષણ થતું નથી, પણ જેવો જીવ કૂતરાના ભવમાં જાય પછી તરત કૂતરી પર મોહિત થાય છે, એટલે અંદરખાને સંસ્કારો શક્તિરૂપે ધરબાયેલા પડ્યા છે. જે પ્રકારના ભવમાં જાઓ તેવી વૃત્તિ ખીલે છે. અત્યારે તમને કોઇ ખાવાની વસ્તુ ફેંકે તો પિત્તો ચાલ્યો જાય, પણ એ જ આત્મા કૂતરાના ભવમાં જાય તો એંઠવાડ પણ ચાટી ચાટીને ખાય, રાજી થઇને ખાય. એટલે જેવા ભવમાં ગયા તે પ્રમાણે વૃત્તિ બદલાઈ. અત્યારે વિષ્ટા જોવી ગમતી નથી પણ ભૂંડના ભાવમાં ગયા એટલે તે જોઈને આ જ આત્મા ગાંડો થઈ જાય. માટે તેવા તેવા ભવોમાં વૃત્તિ-ભાવો બદલાય છે. એટલે ભવ પ્રમાણેના અમુક-અમુક રાગો પડ્યા છે. * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * મનોવિજય અને આત્મશુદ્ધિ ૧ ૨૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005185
Book TitleManovijay ane Atmshuddhi
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy