SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ કારણે તેને સંવેદન-અનુભૂતિ નથી. માટે આત્માનુભવ નથી થતો તેમ બોલાય નહિ. તે સદંતર ખોટું છે. પ્રતિક્ષણ આત્માનો અનુભવ તો છે જ, પછી ભલે તમે જાગતા હો કે ઊંધતા હો, કે હરતા-ફરતા હો કે કંઈપણ પ્રવૃત્તિની ફેરબદલી કરતા હો, પણ આત્માની અનુભૂતિ ન થાય તેવી એક પણ ક્ષણ નથી. આપણને અશુદ્ધની અનુભૂતિ નિરંતર થાય છે અને તેનાથી જ આત્માના અસ્તિત્વની ખાતરી થઇ જાય છે. કોઈ કહે કે “મારો શ્વાસ ચાલે છે કે નહિ?” તેની ખાતરી કરાવી આપો. હવે જો શ્વાસ બંધ થાય તો તમે જીવતા રહો ખરા ? અને શ્વાસ ચાલે છે તેનો પુરાવો તમે જીવતા છો તે જ છે. માટે આમાં શું ખાતરી કરાવવાની? તેમ ચેતનાની અનુભૂતિ થાય જ છે, તે જ આત્મા છે. માટે આત્માનુભવ બધાને છે. હવે આ વાતને બરાબર ગળે ઉતારી દેજો કે આત્માનુભવતો છે, જેને છે જ. પરંતુ આના બદલે એમ કહો કે મારે શુદ્ધ આત્માનો અનુભવ કરવો છે, તેનો આસ્વાદ લેવો છે; જેવું સિદ્ધનું સુખ છે, તેમને જે અનુભવ છે, તેવો થોડો થોડો નમૂનારૂપે સ્વાદ મારે માણવો છે. મોક્ષમાં જેવો અનુભવ છે તેની અંશથી મારે ખાતરી કરવી છે. બાકી તો આ દુનિયામાં કોઈ એવી વ્યક્તિ નથી કે જેને આત્માનુભવ ન હોય. તમે જે ભાવો કરો છો તેનું ફીલીંગ(સંવેદન) થાય છે. દા.ત. કીડી ખાવા માટે દોડી રહી છે. સાકર પ્રત્યે તેને અભિરુચિ, આકર્ષણ છે, તલપ છે, તેની એક સંવેદના છે. તે વખતે તે તૃષ્ણાનો અનુભવ કરે છે. હવે તૃષ્ણા કે રાગ કોને થયો? જડને કે ચેતનને? ચેતનને. પણ આ વિકૃત ચેતનાનો અનુભવ છે, શુદ્ધ ચેતનાનો અનુભવ નથી. આ બધું પ્રત્યક્ષ છે જે અનુભૂતિનો વિષય છે. અશુદ્ધ ચેતનાનું સ્ટોરહાઉસ(સંગ્રહાલય) ભાવમન છે. શાસ્ત્રમાં લખ્યું છે કે મનને મારો નહિ ત્યાં સુધી વીતરાગ બનાય નહિ. અનંત કાળથી ભાવમન અશુદ્ધ છે. માટે જ્યારે ભાવમનનો ઉચ્છેદ કરીશું ત્યારે જ વીતરાગતા આવશે. સભા:- ભાવમનમાં ઉપયોગમન અને લબ્ધિમન બન્ને લેવાના? સાહેબજી - હા, બન્ને લેવાના છે; પરંતુ જે જડ અણુ-પરમાણુની રચનારૂપ દ્રવ્યમન છે તે તેમાં ન આવે. આ ભાવમન અનંત કાળથી આત્મા સાથે જડાયેલું છે. આગલા ભવના સંસ્કાર રહેવાના ક્યાં? ભાવમનમાં જ. આગલા ભવોની વૃત્તિ, પરિણતિઓ, સંસ્કારો તેમાં ધરબાયેલા પડી રહે છે, તેમ આ ભવના પણ. સભા:- ૧૧-૧રમે ગુણસ્થાનકે ભાવમન ખરું? * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * ૧ ૨૪ મનોવિજય અને આત્મશુદ્ધિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005185
Book TitleManovijay ane Atmshuddhi
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy