________________
આપણે ભાવમન કહીએ છીએ. અનંત કાળથી જન્મોજન્મના સંસ્કારો સંગ્રહરૂપે ભાવમનમાં જડાયેલા છે. જેટલા પણ કુસંસ્કારો છે, અશુદ્ધ વૃત્તિઓ છે, તે બધું ભાવમનમાં રહે છે. દ્રવ્યમન તો જડ છે તેમાં આ બધું રહેતું નથી, પછી ક્રૂરતાની વૃત્તિ હોય કે સ્વાર્થવૃત્તિ, કામવાસનાની વૃત્તિ હોય કે લોભની વૃત્તિ; તે બધી વૃત્તિઓ રહેશે ભાવમનમાં જ. આ ભવની, ગયા ભવની, અસંખ્ય ભવની વૃત્તિઓ, સંસ્કારો, કુસંસ્કારો ભાવમનમાં ધરબાયેલા છે, જે ચેતના સ્વરૂપ છે. અશુદ્ધ ચેતના - વિકૃત ચેતના -મોહાત્મક ચેતના તે ભાવમન છે, શુદ્ધ ચેતના - જ્ઞાન ચેતના તે આત્મા છે. શુદ્ધ ચેતનામય આત્માનું સ્વરૂપ છે.
સભા - ભાવમનમાં શુભ-અશુભ બન્ને ભાવો આવશે?
સાહેબજી:-શુભ-અશુભ બન્ને તેમાં આવી ગયા. શુભભાવ બોલો તે પણ અશુદ્ધચેતનામોહાત્મક ચેતના છે. આપણે ત્યાં ભાવના બે ભેદ પાડ્યા છે, શુદ્ધભાવ અને અશુદ્ધભાવ. હવે અશુદ્ધભાવના બે ભેદ પાડ્યા છે, શુભભાવ અને અશુભભાવ. જયારે શુદ્ધભાવના બે ભેદ પાડ્યા નથી. તેનું તો એક જ સ્વરૂપ છે. માટે શુભભાવ પણ અશુદ્ધભાવમાં જ આવશે અને તે ભાવ મનમાં જ આવશે. જયારે શુદ્ધભાવ તે જ્ઞાનચેતના છે, આત્માનું મૂળભૂત સ્વરૂપ છે. આત્મા બોલો એટલે આત્માના ગુણ, આત્માનું સ્વરૂપ, આત્માનો સ્વભાવ, તેના પર્યાયો બધું જ તેમાં આવી જશે.
હવે ભાવમનથી શુભ-અશુભ બંને વિકારી ભાવો લેવાના છે. આ અશુદ્ધ ચેતના અનંત કાળથી આત્મા સાથે જડાયેલી છે, તે જવલ્લે જ છૂટે છે, અને છૂટે ત્યારે જીવ વીતરાગતા પામે છે.
ઘણા કહે છે સાહેબજી ! અમને આત્માનો અનુભવ કરાવો. આત્માનો અનુભવ કરવાના ઉપાય શું? અનુભૂતિ કઈ રીતે થાય? તે દેખાડો. પરંતુ હકીકતમાં આ દુનિયામાં એક પણ જીવ એવો નથી કે જેને આત્માનો અનુભવ ન થતો હોય. અનુભવ વગરનો એક પણ જીવ નથી. પરંતુ અશુદ્ધ આત્માની અનુભૂતિ જીવને સતત થાય છે. અત્યારે જેવો આત્મા છે તેની તમે અનુભૂતિ કરો છો. જેમ સળગતો દીવો હોય ત્યાં પ્રકાશ ન રેલાય તેવું બને ખરું? કદાચ તમે ઉપર ઢાંકણ મૂકો તો બહાર પ્રકાશ ન આવે પણ અંદરમાં તો પ્રકાશ હોય જ. એટલે એનો અર્થ એવો નહિ કે સળગતો દીવો છે છતાં પ્રકાશ નથી. જેમ આમાં શંકાને સ્થાન નથી, તેમ આપણો આત્મા ચૈતન્યમય છે, પછી ભલે તે શુદ્ધ હોય કે અશુદ્ધ હોય. માટે જે વ્યક્તિ આત્મા છે તેને ચૈતન્યનું સંવેદન થતું જ હોય છે. જેમ કીડી છે, કૂતરું છે, ઝાડપાન છે તેને તેના આત્માનું સંવેદન છે જ. જેને સંવેદન નથી તેને આપણે આત્મા કહેતા નથી. સંવેદન, અનુભૂતિશૂન્ય તો પુદ્ગલો છે, તેને આપણે જડની કેટેગરીમાં મૂકીએ છીએ. આ ટેબલ જડ છે
* * * * * * *
* *
* * * *
* * * *
* * * * * *
* * *
* * * *
* *
* *
* * *
*
* * * * * * * * *
*
* * * * *
૧ ૨૩
મનોવિજય અને આત્મશુદ્ધિ M-:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org