SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ તીવ્ર મનોબળવાળાની સામી વ્યક્તિ પર અસર થાય છે. શાસ્ત્રમાં પણ આવે છે કે તીર્થંકર પાસે, મહામુનિ પાસે, સિદ્ધયોગી પાસે જાઓ તો વિચારો ફરી જાય છે. માટે જ સમવસરણમાં વાઘ-બકરી, સાપ-નોળિયો સાથે બેસી શકે છે. તીર્થંકરના શરીરમાંથી નીકળતી પ્રશાંત મનોવર્ગણાની આ અસર છે. જેમ તમે જયાં બેસો છો ત્યાં તમારી આજુબાજુના વાતાવરણમાં તમારા વિચારોની અસર થાય છે. જે વ્યક્તિ સારા વિચાર કરનાર છે, જે શુભભાવથી વાસિત છે, તે જયાં જાય ત્યાં શુભભાવથી વાસિત પુદ્ગલો વાતાવરણમાં વેરતો જાય છે. માટે સંતો-મહાત્માઓ જગતમાં ઉત્તમ આલંબન છે. કારણ તેમની મનોવર્ગણાનાં પુદ્ગલો પ્રશાંત હોય છે. તેથી તેમના સાંનિધ્યના પ્રભાવે તમારા ભાવોમાં ફેરફાર થાય છે. સમરાદિત્યની કથામાં દેદાંત આવે છે. એક સમ્રાટ છે, જે શિકાર કરવા લશ્કર સાથે નીકળ્યા છે. આમ તેઓ નીતિમાન રાજા છે પણ વ્યસન તરીકે શિકારની ટેવ હોવાથી શિકાર કરવા નીકળ્યા છે. તેમણે લશ્કર સાથે શિકારી કૂતરા પણ રાખ્યા છે. વનમાં પશુપંખીનો શિકાર કરવા માટે ફરતાં ફરતાં એક જગ્યાએ પ્રશાંત મુદ્રાવાળા જૈન મહાત્મા, જેઓ કાઉસ્સગ્ગ ધ્યાનમાં મગ્ન છે, તેમને જુએ છે. આ રાજા નોનજૈન છે. જૈનમુનિ મેલાંઘેલાં વસ્ત્રવાળા હોય, તપથી શરીર કૃશ થઈ ગયેલું હોય, એટલે બહારના દેદારથી તેને લાગ્યું કે આ તો મુંડિયાના અપશુકન થયા, માટે રોષથી શિકારી કૂતરા તેણે મહાત્મા પર છોડ્યા. આ કૂતરાઓ તરાપ મારતા મહાત્મા પાસે જવા નીકળ્યા છે. રાજાનો કલુષિત ભાવ છે. પરંતુ આ શિકારી કૂતરા મહાત્મા પાસે જેવા પહોંચ્યા કે પાળેલા કૂતરાની માફક શાંત થઇને પૂંછડી પટપટાવતા ગેલ કરતા બેસી ગયા. આ જોઇને રાજાને ઘણું આશ્ચર્ય થયું કે આ કૂતરા આમ કેમ કરે છે? નજીક જઈને જુએ છે, તો કૂતરાના મનોભાવ પલટાઇ ગયેલા રાજાને લાગે છે. તે વખતે રાજા વિચારે છે કે, “સાધુનો વિશિષ્ટ પ્રભાવ છે જેથી કૂતરા શાંત થઈ ગયા, પણ હું અકર્મી પ્રશાંત ન થયો.” આ મહાત્મા સિદ્ધયોગી છે. માટે ભાવોની એકબીજા પર અસર થઇ શકે છે. જ્યાં સુધી તે યોગીના પ્રભાવિત ક્ષેત્રમાં હોય ત્યાં સુધી જીવ શાંત બની જાય છે. બળદેવ મુનિ સાધના કરે છે ત્યાં પશુઓ પણ શાંત-પ્રશાંત બની ગયાં છે. હરણિયું પકડીને ગોચરી માટે લઈ જાય છે. સારાંશ એ છે કે એકના મનોભાવની બીજાના મન ઉપર અસર થાય છે. હા, એટલી વાત ચોક્કસ કે હીપ્રોટીઝમનો દુરુપયોગ કરે તો તે નુકસાન પણ કરી શકે છે. તે વખતે તે વ્યક્તિ બીજાના વિચારના પ્રભાવ તળે હોય છે, માટે તેની વાત તે સોએ સો ટકા સ્વીકારે છે. હા, પેલાની ચેતના તેના આદેશ મુજબ ફોલો કરે ૧૧૮ મનોવિજય અને આત્મશુદ્ધિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005185
Book TitleManovijay ane Atmshuddhi
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy