SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મશક્તિ પર સદ્દહણા પ્રગટે તો આત્મવીર્ય ઉલ્લસિત થાય : પરંતુ તમને એક પ્રકારનો દૃઢ વિશ્વાસ બેસી જવો જોઇએ કે આત્મામાં અપાર ગુણો છે, અનહદ શક્તિ છે ! અફસોસ એ વાતનો છે કે તમને તેનો ઝાંખીરૂપે પણ વિશ્વાસ નથી. અત્યારે એવા પ્રયોગ થાય છે કે (જેમ હીપ્રોટીઝમમાં) જેમાં આત્માની અનેક પ્રકારની શક્તિઓ પુરવાર થાય છે. દા.ત. એક વ્યક્તિને ડીપટ્રાન્સમાં લઇ ગયા પછી મોટા ડોક્ટર પણ જે રોગનું નિદાન ન કરી શકે તેવા રોગો અંગે નિદાન તેને પૂછીએ, તો તે કહી આપે અને ટ્રીટમેન્ટ પણ સાચી જણાવે. આવા પ્રયોગમાં બાળકો પણ સાચા જવાબ આપવાનું ચાલુ કરે. કારણ આત્મામાં જ્ઞાન પડ્યું છે. તમે જન્મ્યા ત્યારે તમને એકડો પણ આવડતો નહોતો, પણ પછીથી ભણીને જાણકાર બન્યા ને ? આ જાણકારી આવી ક્યાંથી ? જો પુસ્તકમાંથી આવી તેમ કહો, તો તે તો જડ સાધન છે, અને જો એમ કહો કે પ્રોફેસર પાસેથી જ્ઞાન મેળવ્યું, તો પછી તેનું જ્ઞાન તેણે તમને આપ્યું ? તો તે ડોબો થઇ જાય, પણ એવું કદી બનતું નથી. માટે જ્ઞાન કોઇ આપતું નથી અને કોઇ લેતું નથી. તો પછી જ્ઞાન આવ્યું ક્યાંથી ? જ્ઞાન તો અંદર જ હતું, પણ જે તેના પર આવરણ હતું તે હટ્યું માટે બહાર આવ્યું છે. ડીપટ્રાન્સમાં જનાર વ્યક્તિની સ્થિતિ શું હોય છે કે તેના મનનો-ચેતનાનો કંટ્રોલ તેના હાથમાં નથી હોતો, પણ ડીપટ્રાન્સમાં લઇ જનાર વ્યક્તિના હાથમાં હોય છે. જો તે વ્યક્તિ કહે નાચવા માંડો, તો તે નાચવા લાગે. કારણ શું ? તે વખતે તેની ચેતનાનો કંટ્રોલ જેના હાથમાં છે, તેના કહ્યા પ્રમાણે તે કરે છે. સભા :- આ રીતે પાછલા ભવમાં જઇ શકાય ? સાહેબજી :- પાછલા ભવમાં જવું મુશ્કેલ છે. કરનાર વ્યક્તિ બહુ જ વિલપાવરવાળી જોઇએ. ભૂતકાળમાં જવા માટે પાંચ વર્ષથી, બે વર્ષ, ૧ વર્ષ, છ મહિના એમ કરતાં કરતાં માના પેટમાં અને પછી તેની પણ આગળ લઇ જાય, ત્યારે આગલો ભવ આવે. પણ આના માટે ઘણો જ વિલપાવર જોઇએ. પણ સિદ્ધાંતની દૃષ્ટિએ મતભેદ નથી, જાતિસ્મરણ થઇ શકે છે. અત્યારે મુદ્દો આત્માની શક્તિનો છે. જ્યારે તમારી ચેતના બીજાના કંટ્રોલમાં આવે એટલે કે તેના તાબે થઇ તે કહે તેમ કરો, તો આરોગ્યશાસ્ત્ર ભણ્યા વગર જટીલ રોગના નિદાન કરવા જેવાં અશક્ય કાર્ય કરી શકો, તો તમે જાતે એકાગ્ર થઇને આવરણનો ઉઘાડ કરો તો કેટલી આત્માની શક્તિઓ પ્રગટે તેનો અંદાજ માંડજો. મનોવિજય અને આત્મશુદ્ધિ Jain Education International For Private & Personal Use Only કો ૧૧૭ www.jainelibrary.org
SR No.005185
Book TitleManovijay ane Atmshuddhi
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy