SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ કરતાં એટલું ધ્યાન રાખવાનું કે ગમે તે કારણ બને પણ અકળાવાનું નહિ, મનને શાંત રાખવાનું. જો આ રીતે પૂજા કરશો તો દરેક કામનાની પૂર્તિ થશે. સાચું બોલજો, તે વખતે કેવી ક્ષમા જાળવો? શુભભાવથી શાંતિ અને સુખ - અશુભભાવથી અશાંતિ અને દુઃખ: સભા - સાહેબજી ! આ ઔદયિકભાવની ક્ષમા કહેવાય? સાહેબજી:- હા, ઔદયિકભાવની ક્ષમા કહેવાય. તમે ગમે તે નામ આપો પણ ક્રોધને કંટ્રોલ કરવાની તમારામાં તાકાત છે કે નહિ? તમે ધારો તો ભાવને કાબૂમાં રાખી શકો છો. ભલે તમે ઔદયિકભાવની ક્ષમા ધારણ કરી, પણ તે વખતે તમને ક્રોધનો અનુભવ નથી. માટે અશાંતિને બદલે શાંતિનો અનુભવ થયો ને? અને આ અનુભવ પ્રત્યક્ષ છે. જેમ તમે જીભ પર મરચાં મૂકો અને સાકર મૂકો. જયારે મરચાં મૂકો ત્યારે ચચરાટ થશે અને સાકર મૂકો એટલે મીઠાશનો અનુભવ થશે અને બધાને આ જ અનુભૂતિ થશે. ત્રણ કાળમાં કોઇપણ વ્યક્તિ શુભભાવોનું સેવન કરે તો ચોક્કસ તેને સુખ-શાંતિનો અનુભવ થાય, થાય ને થાય જ. માટે શુભભાવનો ધર્મ કરે તેને પણ થોડીક તો મનની શાંતિ થાય જ, પછી ખાલી ધર્મના નામથી વાતો કરનારની વાત નથી. જ્યારે જ્યારે તમે મનમાં આવેગો-ઉશ્કેરાટ-મલિન વૃત્તિ કરો ત્યારે અંદરમાં શું અનુભૂતિ થાય છે? અને મૈત્રી-પરોપકાર-ઉદારતાના ભાવો કરો ત્યારે શું અનુભૂતિ થાય છે? તે જુઓ. શુભભાવથી મનને ચોક્કસ શાંતિ મળે છે અને અશુભભાવથી મનને અશાંતિ પેદા થાય છે. આ સંસારનું નક્કર સત્ય છે. નાસ્તિક માણસ પણ શુભ ભાવના શરણે જાય તો તેને શાંતિ મળે છે અને ધર્મી માણસ પણ જો અશુભ ભાવના શરણે જાય તો તેને અશાંતિ મળે છે, દુઃખનો અનુભવ થાય છે. જેમ મરચાં અને સાકરના અનુભવમાં ફેરફાર શક્ય નથી, તેમ ધર્મ-અધર્મ પણ અનુભવસિદ્ધ છે. જીવનમાં આ રીતે મનના ભાવોનું અનુભૂતિપૂર્વક વિશ્લેષણ અતિ જરૂરી છે, જેથી શુદ્ધિ કરી શકો. પરંતુ અત્યારે મોટા ભાગના જીવો મન સામે લડતા નથી અને હતાશ થઈને બેસી જાય છે. કહેશે કામ-ક્રોધ-વિકારોને નાશ કરવાની આપણી તાકાત નથી, અને તેથી જ મનને મોકળું મેદાન મળી ગયું છે. તમે તમારામાં વિશ્વાસ ગુમાવી દીધો છે. જેમ શેઠને મુનિમ જબરો મળી જાય, અથવા ભાડૂત દાદાગીરી કરીને ઘરમાં પેસી જાય, તે વખતે તે હતાશ થઈને હાથ ખંખેરી નાંખે તો? બસ, તેની જેમ તમે પાણીમાં બેસી ગયા છો. આ તો આમ જ ચાલવાનું છે, તેમ માનીને જ જતું કરો છો. ૧૧૬ મનોવિજય અને આત્મશુદ્ધિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005185
Book TitleManovijay ane Atmshuddhi
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy