________________
ચિત્તને શાંતિ મળે છે અને તેનાથી સુખનો અનુભવ થાય છે એવી મનને ખતરી થાય, તો તેને કષાયથી કષાય સામે લડવાનું ચોક્કસ મન થાય. પછી તે જેમ જેમ લડતું જાય તેમ તેમ વિશેષ સુખ અને શાંતિ મળવાથી વિશેષ લડવાનું મન થાય.
દેહ-ઇન્દ્રિય-મન જીતવાં કઈ રીતે? તો ધર્મ દ્વારા તેનોને અમુક સુખની અનુભૂતિ કરાવતા જવાનું છે, જેથી તમને તે તમારી સાધનામાં સહાય કરતા જાય. જેમ જેમ જેનાથી મનનું સુખ વધતું જાય, તેમ તેમ મનને થાય કે વધારે પુરુષાર્થ કરવો છે. માટે શુભભાવથી આવું સુખ મળે છે, તે જો તમે મનને અનુભૂતિ કરાવી શકો, તો મન ચોક્કસ આગળને આગળ શુભભાવો કરશે.
જેમ દુશ્મનના દુશ્મનને ખાતરી કરાવો કે આનાથી તેને આટલો લાભ છે, પછી તે તમારું કામ ઉત્સાહથી કરે. તેમ મનને ખાતરી કરાવવી પડે કે આ કરવાથી આટલો આનંદ મળશે, આટલી મજા છે. ધર્મથી આત્માનું સુખ તો છે જ, પણ તે તમને કહીએ તો અત્યારે બેસે નહિ; પરંતુ તેનાથી મનનું સુખ મળે છે અને તેનો અનુભવ કરશો, તો મજા આવવાથી પણ મન શુભ કષાય કરવા તૈયાર થશે.
સભા:- શુભ કષાયમાં સુખનો અનુભવ કઈ રીતે થાય?
સાહેબજી - તમે એક કલાક ક્રોધ પેદા કરો અને અનુભવ કરો અને પછી એક કલાક ક્ષમા પેદા કરીને અનુભવ કરો, તો શેમાં તમને શાંતિ-સુખ મળશે? ક્ષમામાં જ શાંતિનો અનુભવ થશે.
સભા:- પણ સાહેબજી ! ક્ષમા કરવા જોર કરવું પડે છે.
સાહેબજી:- ક્ષમા માટે જોર કેમ કરવું પડે છે? કારણ તમારે અંદરમાં ક્ષમા નથી. તમે ખાલી બહારથી ક્રોધ ન લાવવાનો પ્રયત્ન કરો છો. જેમ ઊકળતા પાણીના ઢાંકણ પર બરફ મૂકો તો અંદરમાં ઠંડકન થાય. તમે અંદરથી ક્રોધને દૂર કરો ક્ષમા આપોઆપ આવી જશે. તમે આ અખતરા રૂપે કરી શકો છો.
સભા:- પણ ક્રોધ બહુ જ જોર કરે છે.
સાહેબજી - તમે જ્યાં સુધી તેની સામે લડતા નથી ત્યાં સુધી તે જોર કરે છે. નહીંતર તો તમે ક્યારે પણ ક્ષમા જાળવી શકો ખરા? છતાં પણ તમે અવસરે ક્ષમા જાળવો છો ને ? જેમ તમને કોઈ કહે કે આ જડીબુટ્ટી છે, તેની આ રીતે પૂજા કરશો તો ફળીભૂત થશે; પરંતુ પૂજા
* * * * * * * *
* * * * * * * * * * * * * * * * *
મનોવિજય અને આત્મશુદ્ધિ
* * * * * * * * * * * * * * કામ ન ક ક જ
૧ ૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org