SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ છે તે વખતે આવરણ તૂટી જાય છે, પણ જેવું તેના વર્ચસ્વમાંથી બહાર નીકળે પછી કાંઇ નહિ. પરંતુ તે વખતે અંદરની શક્તિ બહાર આવે છે તે આત્મામાં પૂર્ણ જ્ઞાન છે તેનો પુરાવો છે. તમને આત્માની શક્તિઓની ખાતરી થવી જોઇએ. દા.ત. તમારા શરીરના તંત્રને ચલાવવાની શક્તિ આત્માની જ છે. દા.ત. આંખની નસો વાળના પચાસમાં ભાગ કરતાં પણ પાતળી છે. તેમાંથી લોહી પસાર થઈ શકે છે. આવા સૂક્ષ્મ અને અતિજટિલ તંત્રનું સર્જન આત્માએ જ કર્યું છે અને સંચાલન પણ તે જ કરે છે. અત્યારે સ્કૂલ દુનિયામાં જે પણ કાંઈ બની રહ્યું છે તેમાં કારણભૂત આત્મા જ છે. તે અનંત શક્તિનો ધણી છે. તેની શ્રેષ્ઠ શક્તિઓને જેટલી બિરદાવીએ તેટલી ઓછી છે. ક્ષણેક્ષણે સર્જન-વિસર્જન શરીરમાં ચાલી રહ્યું છે, તે ચેતનનો જ પ્રભાવ છે. જો આ વિશ્વાસ બેસી જાય તો તમારી આત્મશક્તિ પર સાચી સદુહણા પ્રગટે અને આવરણો હટાવવાનું વીર્ય ઉલ્લસિત થાય. અત્યારે તમારી અંદરમાં નિષ્ક્રિયતા-નિરાશા જ પડેલી છે. પણ જે વ્યક્તિ ધર્મસાધના કરવા આવે તેને તો આત્માની શક્તિઓનો વિશ્વાસ જોઇએ જ. જે આ શક્તિઓથી અંજાયો નથી, તે સાધનામાં આગળ વધી શકતો નથી. મોક્ષમાં આત્માની શક્તિઓનો પૂર્ણ વિકાસ કરવાનો છે. સર્વશક્તિમાન બનવા માટે અંદરમાં તો પહેલાં આત્મવિશ્વાસ જોઇશે જ. અત્યારે તમે જરા જરા વાતમાં ગભરાઓ છો કે મનને જીતવું તે રમત વાત નથી, અનંતા જીવો મનની સાધના કરવામાં નિષ્ફળ ગયા છે. પણ તેમાં કારણ તેઓને આત્મવિશ્વાસ નહોતો તે છે. તમે બોલો છો કે મન કાબૂમાં રહેતું નથી, પણ તમે કદી મનને કાબૂમાં રાખવાનો નક્કર પ્રયત્ન કર્યો છે? મનુષ્યનું મન તો પ્રચંડ શક્તિ ધરાવે છે. શાસ્ત્રમાં દાખલા છે કે જેઓ મહાવિકારી હતા તે નિર્વિકારી થઈ ગયા, મહાક્રોધી હતા તે ક્ષમાશીલ થઈ ગયા. તેથી પરિવર્તન શક્ય છે. પરમાત્માનો આત્મા પોતે મોક્ષે જાય છે ત્યારે પ્રત્યેક જીવને મોક્ષે લઈ જવાની તાકાત તેમના આત્મામાં હોય છે. તે બધાનાં બધાં કર્મોને ખાખ કરવાની પણ તેમની તાકાત છે. કર્મની શક્તિ કરતાં આત્માની શક્તિ અનંત ગણી છે, પણ જાગ્રત થવું પડે. પરંતુ તમને અંદરમાંથી તરવરાટ-ખુમારી-ઉત્સાહ આવતો નથી. “હું ધારું તો મનનું ઘડતર કરી શકું તેમ છું. સુખી બનવું કે દુઃખી બનવું તે મારા હાથમાં છે.”ચિત્તશુદ્ધિ માટેનું પહેલું સ્ટેજ આ શ્રદ્ધા છે. પહેલી સાધના માટેની મૂડી આત્મવિશ્વાસ છે. આત્મતત્ત્વ પરની અતૂટ શ્રદ્ધા એ ખરી શ્રદ્ધા છે. ભગવાને કહેલો એવો આત્મા તમે માનો છો કે તમારી કલ્પનાનો આત્મા માનો છો? ખરી શ્રદ્ધા કઇ છે? અનંતશક્તિ, અનંતજ્ઞાન, * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * મનોવિજય અને આત્મશુદ્ધ ૧૧૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005185
Book TitleManovijay ane Atmshuddhi
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy