SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ કે એમ ને એમ ધોવાઈ જાય? તેમ રસોઇ પણ ચોક્કસ પ્રક્રિયાથી થાય છે. એટલે પાચન જે થાય છે તે ચોક્કસ પ્રક્રિયાથી જ થાય છે. હવે કોઈ કહેશે કે મડદામાં પાચનક્રિયા નથી થતી, માટે દેહમાં પાચનક્રિયા કરનાર તો આત્મા છે. તો ચાલો, તે તમારી માન્યતા કબૂલ કરીએ પણ તેમાં રેગ્યુલેટર કોણ? પુણ્ય હોય તો જ પચે? જો પુણ્ય ઓછું હોય તો ઝાડા થઈ જાય છે. તમારો ઝાડો-પેશાબ પણ તમારી મરજી મુજબ થાય છે? આ બધી સીધી વાતો છે. માટે કર્મનો પ્રત્યક્ષ અનુભવ છે, પરંતુ તમે બુદ્ધિના દરવાજા લૉક કરી નાખ્યા છે. સભા -બુદ્ધિના દરવાજા લૉક કર્યા છે તેમાં શું કારણ છે? સાહેબજી:- તમારા બુદ્ધિના દરવાજા ઓટોમેટીક લૉક નથી થયા, તેનાં પણ કારણો છે. તમે માનો છો કે જો કર્મવિચારીશું તો જીવનમાં ઉપાધિ ઊભી થશે, કારણ કે કર્મ માનનારથી તો જીવનમાં ગમે તેમ જિવાય નહીં. તમે તત્ત્વ વિશે કેમ વિચારતા નથી? કારણ તેનાથી આચાર, વિચાર બદલવા પડશે. તમને તમારા જીવનનો ઢાંચો પરિવર્તન કરવાની ઇચ્છા જ નથી, આ બધી સંસારની માથાફોડ તમે છોડો તેમ નથી અને તેથી જ ધર્મમાં ઊંડા ઊતરતા નથી. સભા:- પણ સાહેબ ! તેમાં પણ અમને કર્મ નડે છે. સાહેબજીઃ- કર્મ નહીં તમે પોતે જ નડો છો, કારણ તમે કર્મને નડવાની તક આપો છો. તેથી એકલા કર્મને વાંક આપો નહિ, તેમાં તમારો પણ સાથ છે. તમને કર્મને ગાઢ કરવાં ગમે છે. તમને અમુક કર્મનું વર્ચસ્વ ગમે છે માટે તેને ગાઢ કરો છો, અને જે અણગમતાં-દુઃખ આપનારાં કર્મો છે તેમની સામે વગર પૂછે લઢી લો છો, જ્યારે ગમતાં-પાપ કરાવનાર કર્મો સાથે ભાઇબંધી કરો છો. માટે જ તમારા જીવનમાં કર્મને પંપાળવાનું કામ ચાલુ છે અને લડવાનું કામ પણ ચાલુ છે; પરંતુ જુદી દૃષ્ટિથી. જૈન ફિલોસોફીનું તત્ત્વ કેવું છે? તમે સુખી છો તો તેમાં કારણ પણ તમે છો, તમે દુઃખી છો તો તેમાં પણ કારણ તમે છો. તમારા અન્ડરડેવલપમેન્ટની જવાબદારી કે તમારા વિકાસની જવાબદારી પણ તમારી જ છે. એટલે બધાનું મૂળ અંદરમાં જ છે. જેમ આફત આવી ત્યારે દુઃખનું કારણ ક્યાં? તમે કહેશો બહાર છે, ત્યારે ભગવાન કહેશે ના, કારણ અંદરમાં જ છે. તમે તમારી જાતે જ પાપ બાંધો છો. તમારા પુરુષાર્થ વિના બીજું કોઈ તમને પાપ ન બંધાવી શકે. તમારી જાતનો કાબૂ તમારા હાથમાં જ છે. તમે દુનિયાને નહિ બદલી શકો, પણ તમારી જાતને અવશ્ય બદલી શકો તેમ છો. તમારી પરિસ્થિતિ કેવી છે, કે જે હાથમાં છે તેમાં તમને મનોવિજય અને આત્મશુદ્ધિ * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * ૧૧૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005185
Book TitleManovijay ane Atmshuddhi
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy