SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ જડમાં પણ શક્તિ છે. પરમાણમાં અનંત શક્તિ છે, માટે જ આવા એટમ બોંબ બની શકે છે. નહીંતર સાયન્સ આવી કરામતો ઊભી ન કરી શકત. જડ સાવ માયકાંગલું છે, તેવું નથી. તમામ જડ પદાર્થોમાં સૌથી વધારે શક્તિયુક્ત જડ પદાર્થ કર્મ છે, એનાથીય ચઢિયાતી શક્તિ આત્મામાં છે. સભા:- પણ સાહેબ ! કર્મ નજરે દેખાતું નથી ને? સાહેબજી :- સ્થૂલ જડ બધું દેખાય છે જ્યારે કર્મ દેખાતું નથી. તમને આ ટેબલ, ધજા, કબાટ, ભીંત બધું દેખાય છે અને આ હોલમાં બાકીની જગા ખાલી દેખાય છે, પરંતુ અહીંયાં એક પણ ખૂણો ખાલી છે ખરો? તમને દેખાતી ખાલી જગામાં પણ ઠાંસીઠાંસીને ઘણું ભરેલું છે, પરંતુ આપણી આ ઇન્દ્રિયથી આટલું પૂલ જ દેખાય છે. જે ઠાંસીને ભરેલું છે તે સૂક્ષ્મ જડ દ્રવ્ય ઇન્દ્રિયથી દેખી શકાતું નથી. આ ઇન્દ્રિયની શક્તિથી સ્થૂલ જેટલું જોઈ શકીએ છીએ તેના કરતાં કંઈ ગણી વિશાળ સૂક્ષ્મ પુદ્ગલની દુનિયા છે. હવે તમે અહીંયાં જો અમુક મશીનો મૂકો તો અમુક કિરણો-તરંગો દેખાશે, જો કે તે પણ સ્કૂલ છે. પરંતુ આપણી શાસ્ત્રદષ્ટિએ કર્મ તો હજી પણ સૂક્ષ્મ છે. વિજ્ઞાન પણ જે પકડી શકે છે તે તો પુદ્ગલની દુનિયાનો ૦.૧ ટકો પણ નથી. જૈનશાસ્ત્રોમાં આઠ ગ્રાહ્ય વર્ગણા કહી છે. તેમાં વિજ્ઞાન એક વર્ગણાને જ માંડ પકડે છે, સાત વર્ગણાને તે પણ નથી પકડી શકતું. જયારે આત્મા પર આઠ વર્ગણા અસરકારક બતાવી છે અને અસર ન બતાવે તેવી વર્ગણા તો અસંખ્ય છે. સ્થૂલ જગત જુદું છે, સૂક્ષ્મ જગત જુદું છે. ચાલો, કર્મ તમને દેખાતું નથી, પણ તેની અસર તો ચોવીસે કલાક દેખાય છે, અનુભવ થાય છે. જેમ શબ્દ નજરે દેખાતો નથી, રેડીયો વેઝ દેખાતા નથી, છતાં તેના અનુભવના કારણે માનવું પડે છે કે આ આખા હોલમાં ધ્વનિના વેઝ છે. તેમ કર્મની અસર ક્ષણે ક્ષણે દેખાય છે. તમે ખોરાક લો છો તે પચે છે, તે તમારી મરજીથી પચે છે? તમારી હોશિયારીથી પચે છે? ના, તો પાચન કોના દ્વારા થાય છે? સભા -ઓટોમેટીક થાય છે. સાહેબજી - આ દુનિયામાં ઓટોમેટીક કશું જ થતું નથી. આપમેળે કશું બનતું નથી. જે પણ બને છે તે બધું ચોક્કસ કારણોથી બને છે અને આ તો વિજ્ઞાન પણ માને છે. માટે કારણ વગર કશું જ બનતું નથી, જે બને છે તે ચોક્કસ કારણોથી જ બને છે. જો ઓટોમેટીક બનતું હોય તો ગમે ત્યારે ગમે તે બની જાય. પણ તેમ બનતું નથી. જેમ તમે ચાલતાં ભટકાવ તો જ વાગે ને? કે વગર ભટકાયે પણ વાગે ખરું? કપડું પણ ચોક્કસ પ્રક્રિયાથી ધૂઓ તો જ ધોવાય * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * ૧ ૧૨. મનોવિજય અને આત્મશુદ્ધિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005185
Book TitleManovijay ane Atmshuddhi
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy