________________
થયો. પણ રૉ મટીરીયલ વગર મિલો ચાલે ખરી? તેના માટેનું કોણ બનાવે છે? તેમાં જડની શક્તિ કે ચેતનની શક્તિ? એક ઘઉંના દાણામાંથી કોઠાર ભરીને દાણા બનાવવાની શક્તિ જડની કે ચેતનની? માટે મૂળભૂત સર્જનશક્તિ આત્માની છે. સ્થૂલ ભૌતિક જગતમાં જે પણ નવું બને છે તે બધું બનાવવાની શક્તિ આત્માની છે. તમને સાજા-નરવા-ફ્રેશ રાખનાર પણ અંદરનો આત્મા છે. અંદરથી પ્રાણ નીકળે એટલે સેકન્ડોમાં આ દેહમાં બગાડ ચાલુ થાય? પછી તમને વહાલા વહાલા કરનાર પણ ઘરમાં એક દિવસ વધારે રાખે ખરા? માટે અંદરમાં બળ બધું આત્માનું છે. સંસારમાં જે સર્જન કે વિસર્જન દેખાય છે તે બધાના પાયામાં આત્મા જ ધરબાયેલો છે.
કર્મ બળવાન કે આત્મા બળવાન?
હવે આત્મા પર જડ કર્મ લાગ્યું છે તેને પલટવાનું છે. પરંતુ કર્મ બળવાન કે આત્મા બળવાન? જો કર્મ બળવાન હોય તો આજ દિવસ લગી એકે જીવનો મોક્ષ થયો ન હોત.
સભા:- ક્યારેક કર્મબળવાન, ક્યારેક આત્મા બળવાન.
સાહેબજી -આસાપેક્ષપણે વચન છે. ગમે તેવો બળવાન માણસ પણ જો અભાનદશામાં હોય તો નબળો માણસ પણ તેના પર શક્તિ બતાવી શકે. સશક્ત માણસ સૂતો હોય ત્યારે નબળો માણસ પણ ઓચિંતો હુમલો કરી તેની ગળચી દબાવી શકે છે.
સભા - સમકિતીને ચારિત્રમોહનીયકર્મ નુકસાન કરી શકે?
સાહેબજી:-ચારિત્રમોહનીયની અસરથી તેને સમકિત ખોવાનો વખત ન આવે. સમકિત આવ્યા પછી તેને કોઇપણ કર્મ, તેના આત્માની મોક્ષમાર્ગની સાધનાને રોકી શકતું નથી, મોક્ષમાર્ગના પ્રમાણમાં અવરોધ કરી શકે નહિ. મોક્ષમાર્ગના પ્રમાણમાં અવરોધ કરાવનારું કર્મ દર્શનમોહનીય છે. હા, બીજા કર્મની તાકાત તેની સાધનાની ગતિ ઓછી કરે, પણ ગતિ રોકી તો ન જ શકે. તેનું વિશેષ વિવેચન યોગવિશિકામાં વિધ્વજયમાં આવશે.
આત્મા અજાગ્રત હોય તો જડ કર્મ પણ ચઢી બેસે છે. જેમ સશક્ત માણસ પણ ૪ ડીગ્રી તાવમાં કણસતો પડ્યો હોય ત્યારે, તેને ઊઠવા માટે નાના છોકરાનો ટેકો લેવાની જરૂર પડે છે, છતાં મૂળથી તાકાત કોની વધારે છે? તેને રોગના કારણે નબળાઈની અસર આવી છે, પણ મૂળથી પહેલવાન કોણ? તેમ આત્માની અભાનદશાના કારણે કર્મનું વર્ચસ્વ છે, પણ જો તે સભાનદશામાં આવે તો કર્મનું પ્રભુત્વ નથી. સમકિત આવે એટલે તે જ કર્મને ઉખેડે છે.
તક એ
જે છે એ છે
કે * * ક ક ક મ ઝ * * * * * * * * * * * * * * * * *
* * * * * * * * * * * *
૧૧૦
મનોવિજય અને આત્મશુદ્ધિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org