SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ છે, ચોવીસે કલાક જૂના કર્મના વિપાકની અસર છે અને ચોવીસે કલાક નવા કર્મનો બંધ છે. બરાબર વિચારો તો બધો જ ખ્યાલ આવે. કર્મબંધનો આધાર મનોભાવો પર છે માટે મનના ભાવોની જાણકારીથી બન્ને પક્ષે લાભ છે. કારણ કે તેનાથી કર્મનો ઉદય અને કર્મના બંધને બંનેને ઓળખી શકાશે. આવી આવી કર્મની અસર થાય છે, તો તેને બદલવા શું કરવું ? માનસસંશોધન કરવાનું આવશે. સંશોધનનો ઉપાય શું ? તેમાં પાંચ પોઇન્ટ જણાવેલા. ચિત્તશુદ્ધિનું પહેલું સ્ટેજ : આત્મશ્રદ્ધાનઃ આત્માની અનંત શક્તિ પર શ્રદ્ધાઃ મનની શુદ્ધિ માટે આત્મશક્તિની શ્રદ્ધા એ પહેલું પગથિયું છે. અગાધ શક્તિવાળું મન પણ આત્માની શક્તિ પાસે માયકાંગલું છે. ચેતન એવા આત્માની શક્તિની તોલે જડની કોઇ શક્તિ કામ આવે નહિ. પરંતુ આપણે જડની અસર નીચે આવી ગયા છીએ, તેના વર્ચસ્વ નીચે આવી ગયા છીએ. છતાં અત્યારે તમારા આત્મામાં જે શક્તિ છે, તે તમારા એક નહિ પણ અનંત કર્મોને તોડી શકે તેમ છે. પણ આપણી ખૂબી કે મજબૂરી ક્યાં છે કે કર્મ જેમ રાખે તેમ રહેવું છે. જો આત્મશક્તિ વિકસાવો તો અનાદેિના અશુભ સંસ્કારોને બદલી શકો. મૂળમાં ફેરફાર કરી તેમાં નવા સારા સંસ્કાર આધાન કરી શકો તેમ છો. સભા :- ચૈતન્યની શક્તિ દેખાતી નથી. સાહેબજી :- ચૈતન્યશક્તિ અંગે શ્રદ્ધા થવી જોઇએ કે આવી શક્તિ વિશ્વમાં બીજે ક્યાંય નથી. પરંતુ તમારા મન પર જેટલો જડનો પ્રભાવ છે તેટલો ચેતનનો પ્રભાવ નથી. છતાં વેધકતાથી વિચારશો તો આત્મશક્તિનો ખ્યાલ આવશે. તમે આજનાં ભૌતિક સાધનો જુઓ છો. તેમાં પ્લેન, રોકેટો, કોમ્પ્યુટર આવ્યાં. તમે આ બધાની કરામત જુઓ ત્યારે અંજાઇ જાઓ છો ને ? આનો અર્થ શું ? ભલે તમે અંજાઓ છો પણ સાચું કહો, આ બધાનો સર્જક કોણ ? હ્યુમન બ્રેઇન(માણસનું મગજ) જ ને ? તેમાં મૂળભૂત શક્તિ કોની ? તેનો મૂળ સર્જક આત્મા જ છે. વિચારજો, જડની શક્તિ વિશેષ કે ચૈતન્યની શક્તિ વિશેષ ? તમે સર્જનથી અંજાઓ છો પણ સર્જકનો વિચાર જ કરતા નથી. વાસ્તવમાં ‘સર્જન મહાન તો સર્જક તેનાથી અધિક મહાન.’ આ નિયમ પણ તમે વિસરી ગયા. દુનિયાનાં તમામ જ્ઞાન-વિજ્ઞાન અને તેના પર આધારિત યંત્રોનો મૂળ શોધક આત્મા જ છે. વિશ્વમાં જ્યાં જ્યાં તમને ખૂબી-વિશેષતા દેખાય છે, તેના મૂળમાં આત્મા જ છે. ચેતનની અપાર શક્તિ છે, પ્રતિભા-શક્તિ બધું જ આત્માનું છે. આ વ્યાપક સ્તરનો નિયમ છે, પણ તમને મગજમાં બેસશે કે કેમ ? ખબર નથી. દા.ત, ભૂતકાળમાં કપડાં હાથથી વણાતાં. હવે મિલો આવી. માટે કહેશો કે વિકાસ 激漤潆洗洗洗洗洗洗洗洗洗洗洗洗洗 મનોવિજય અને આત્મશુદ્ધિ Jain Education International For Private & Personal Use Only **** ૧૦૯ www.jainelibrary.org
SR No.005185
Book TitleManovijay ane Atmshuddhi
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy