________________
તીર્થકરોએ પણ શું કર્યું? તેમણે આત્મપરિવર્તન કર્યું છે. ભલે આખા વિશ્વના કલ્યાણની કામના કરી, પણ પરિવર્તન માટેનો મુખ્ય પુરુષાર્થ તો જાતમાં જ કર્યો. આપણે કેવા બનવું છે તે આપણા હાથની વાત છે, આખી દુનિયાને પલટી શકવાના નથી, ખાલી માથાફોડ કરીને મરી જશો તો પણ. પરંતુ રસ ક્યાં છે? જાતમાં રસ નથી. ચોવીસે કલાક બહાર જ તમારી નજર છે.
આત્માવલોકનથી માનસ પરિવર્તનની કળા:
ઘરમાં આ બરાબર નથી, આમ ફેરફાર કરવા જેવું છે, મકાનની ડીઝાઇનમાં થોડો ઓપ આપવા જેવો છે; આ બધું કરવાના ભાવો પ્રકૃતિમાં જ વણાયેલા છે, પણ આપણામાં ફેરફાર કરવા જેવો લાગતો નથી. ધર્મ તમને પહેલાં જાતપરિવર્તનની વાત કરે છે. મનનું સ્વરૂપ સમજીને ભાવમનનાં તમામ પાસાંઓમાં રહેલી જે ત્રુટિઓ છે તેને બદલવાની ધર્મે ભલામણ કરી છે. ચોવીસે કલાક અશુભભાવો જે અંદરમાં વણાયેલા પડ્યા છે, તેનું અવલોકન કરવાનું છે. અનંત કાળના દોષોનો સંગ્રહ આત્મામાં થયેલો છે. જો તેને મનથી છૂટા પાડો તો બધા પાપોથી છૂટકારો થાય. બધા બંધનું મૂળ કારણ આ મન છે. હવે મનને ઓળખું પણ જો તેને સુધારવાની ટેકનીક ન હોય તો આત્માવલોકનનો ઉપયોગ શું? ખામીઓ ખૂબ જાણી પણ જાણ્યા પછી તેમાં પરિવર્તન લાવવું તે જ ખરી કળા છે અને તેનું વર્ણન હવે આવશે.
આજનું સાયન્સ મનની નબળાઈઓ બતાવે છે, પણ પછી વ્યક્તિએ ટોપ ડેવલપમેન્ટ કઈ રીતે કરવું તે બતાવી શકતું નથી, માટે અધૂરું છે. પરંતુ તીર્થકરોએ તે કઈ રીતે કરવું તે બતાવ્યું છે અને તેની પ્રક્રિયા જે સાંગોપાંગ જાળવે છે અને તેને જ સાધના દ્વારા આત્મસાત્ કરે છે, તે જ ખરો સાધક છે.
જેમ કોઈ માણસ શરીરશાસ્ત્રના જ્ઞાન દ્વારા સમજાવે કે તમારા શરીરમાં આ રોગ-ખામીઓ છે, આટલી તેમાં વિશેષતા છે; પણ રોગના નિવારણના ઉપાય ન બતાવે તો મતલબ શું? ખાલી દુઃખી જ થવાયને? ભગવાને ખાલી દોષોનું નિદાન નથી કર્યું, પણ તેના નિવારણની સાંગોપાંગ પ્રક્રિયા બતાવી છે.
અનંત જન્મમાં અશુભ સંસ્કારો આત્મા પર આત્માએ જ આધાન કર્યા છે. જેમ વાઘસિંહના ભવમાં ૨૪ કલાક ક્રૂરતાના ભાવ રાખ્યા, સાપના ભવમાં ઝેરીલાપણું વણાયેલુ હતું. માટે જે જે ભવમાં જેવી પ્રવૃત્તિ-જેવા ભાવો કર્યા તેના સંસ્કારો આધાન થયા છે. દરેક ભવમાં આત્મા તો તે જ છે. કાંઈ આ આત્મા નવો નથી. કોઈ સંસ્કાર કે કોઈ વૃત્તિ એવી નથી કે આપણે તેનું સેવન ન કર્યું હોય. જેમ કૂતરા-બિલાડાના ભવના સંસ્કાર જામ થયેલા છે, તે જેવું ૧૦૬
મનોવિજય અને આત્મશુદ્ધિ
ક કે ર ર ક ક ક ક ર સ * * * *
* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *
*
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org