________________
7
તા. ૩-૯-૯૫, રવિવાર.
અનંત ઉપકારી અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્માઓ જગતના જીવમાત્રને આત્માવલોકન કરાવવા ધર્મતીર્થની સ્થાપના કરે છે.
જ્ઞાનીઓની દૃષ્ટિએ સૌથી પહેલાં જીવે પોતાના દોષોનું અવલોકન કરવાનું છે. તમામ દોષોનો ભંડાર મનમાં પડ્યો છે, જે તાદાત્મ્ય ભાવે છે. મનમાં જે મલિનતા ભરેલી છે તેને ઓળખવી પડે અને તેના સંશોધન માટે તેના ઉપાય પણ જાણવા પડે. આત્માવલોકન તમને તમારી ખામી વિશેનું દર્શન કરાવે છે અને તેના આધારે તમારે કેવા બનવું છે, શું કરવું છે તે તમારે જાતે જ નક્કી કરવાનું છે.
ધર્મનું મૂળભૂત લક્ષ્ય આત્માનું પરિવર્તન છે. આપણે જેવા છીએ તેનાથી કંઇક જુદા બનવું હોય તો ધર્મસાધના ઉપયોગી છે. તમારો સ્વભાવ શું? દુનિયાની બધી વસ્તુમાં પરિવર્તન લાવવાની તમારી ઇચ્છા છે; જેમ ઘરમાં આમ કરવાની જરૂર છે, રસ્તામાં આ બરાબર નથી, વ્યક્તિમાં આ ખામી છે, દીકરામાં આ ખામી છે, ફલાણામાં આ અપલક્ષણ છે વગેરે. તમારા જીવનમાં તમે સેંકડો વાર બીજાને ફેરફાર કરવા અભિપ્રાય આપ્યા હશે. પાછી એડવાઇઝ કોઇના માંગ્યા વગર આપી હશે. ઘરમાં અને બહાર બધી વસ્તુમાં તમને ખામી દેખાય છે. દુનિયા આખીમાં પરિવર્તન લાવવાની તમને ઇચ્છા છે. આમ ભલે કાંઇ સમજતો ન હોય છતાં કહેશે, દેશમાં નેતાઓને સુધારવાની જરૂર છે, ભ્રષ્ટાચારી ઓફિસરોને સજા કરવી જોઇએ, કાયદાકાનૂનમાં પણ આ રીતના ફેરફાર લાવવાની જરૂર છે. આમ, તમે દુનિયા આખી ૫૨ કંટ્રોલ કરવા માંગો છો, પરિવર્તન લાવવા માંગો છો; પણ જાત પર કંટ્રોલ કરવા માંગતા નથી કે પરિવર્તન લાવવા માંગતા નથી. જે આપણા હાથમાં છે તે ક૨વું નથી, અને જે હાથમાં નથી ત્યાં ચોવીસે કલાક માથું મારવું છે. અનંત કાળથી આ દોષ-ખામી પ્રકૃતિમાં વણાયેલી છે. આ ટેવ આપણી અનંત કાળની છે. જ્યાં કબજો નથી ત્યાં કબજો જમાવવો છે. દુનિયા કાંઇ તમારા કંટ્રોલમાં નથી, છતાં તેમાં ફેરફારો કરવાની ઘણી હોંશ છે, જ્યારે જ્યાં ફેરફાર કરી શકો તેમ છો ત્યાં જાતમાં પરિવર્તન લાવવાની કોઇ તમન્ના નથી. તમારે ફેરફાર કરવા હોય તો જાતમાં કરી શકો કે આખી દુનિયાને બદલી શકો ? અને માટે જ આપણે અનંત કાળથી રખડીએ છીએ.
મનોવિજય અને આત્મશુદ્ધિ
Jain Education International
For Private & Personal Use Only
*********
૧૦૫
www.jainelibrary.org