SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ શુદ્ધિ કરી છે, જ્યારે બીજાએ મૂળમાંથી શુદ્ધિ કરી છે. પહેલાના સામાયિકને અમે ખરાબ નથી કહેતા, કારણ તેને તે વખતે એક પણ ખરાબ વિચાર નથી આવતો, તે તેની જાગૃતિ સાવધાની સૂચવે છે, પણ તે સપાટી પરનું સંશોધન છે; જ્યારે ખ૨ી શુદ્ધિ મૂળમાંથી કરવાની છે. માટે લબ્ધિમનમાં શુદ્ધિકરણનો પુરુષાર્થ કરવા જેવો છે. તમે મનથી ક્યાંય ભાગી શકો તેમ નથી.ઘરગામ કે દેશ છોડીને કદાચ જશો પણ મનને છોડીને તો ક્યાંય જઇ શકવાના નથી. અરે ! તે તો પરલોકમાં પણ સાથે આવશે. માટે જ તેનું સંશોધન કરવાનું છે. તેની પ્રક્રિયા શું તે આગળ આવશે. મનની શુદ્ધિના ઉપાયો નક્કર છે અને આજ દિવસ સુધી જેટલા મોક્ષે ગયા છે તે બધા આ જ પ્રક્રિયાનું અનુકરણ કરી, મનના સ્વામી બની મોક્ષપદને પામ્યા છે. તે પ્રક્રિયા આપણે પર્યુષણ મહાપર્વની આરાધના કર્યા પછી વિચારશું. ૧૦૪ Jain Education International For Private & Personal Use Only ********* મનોવિજય અને આત્મશુદ્ધિ www.jainelibrary.org
SR No.005185
Book TitleManovijay ane Atmshuddhi
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy