________________
હતાં. પછીથી વૈરાગ્ય સાથે ધર્મમાર્ગે તેમણે દીક્ષા લીધી. ચારિત્ર સુંદર પાળતાં હતાં, પણ એક વખત ચકલા-ચકલીનું યુગલ નજીક બેસી, પ્રેમની હૂંફ સાથે પરસ્પર ક્રીડા કરી રહ્યું હતું, તેને જોઇને તેમને ‘આ યુગલ કેવો મુક્ત આનંદ માણી રહ્યું છે !' એવા મિથ્યાત્વના પરિણામ પેદા થયા. જે આનંદને ભગવાને વિકૃત આનંદ બતાવ્યો, તે આનંદ તેમને નિર્દોષ અને મુક્ત દેખાયો.
ગલૂડિયાં એકબીજાને મસ્તીમાં બટકાં ભરે, ગલોટિયાં ખાય, દોડમદોડા કરતાં હોય ! તેમના આ આનંદને તમે કેવો માનો ? ઘણા તો મોટા થઇ ગયા છે પણ હજી મન તો તેમનું બાળકનું જ છે, પણ આ અવિવેક છે. આ નિર્દોષ આનંદ નથી. જેમાં કોઇ વિકાર-વાસના પ્રેરકબળ તરીકે ન હોય, તેવી આનંદદાયક પ્રવૃત્તિમાં મળતો આનંદ તે નિર્દોષ આનંદ છે. અત્યારે કુદરતનો પ્રેમી વર્ગ ઘણો પેદા થયો છે. પરંતુ તેમને નિર્દોષ આનંદની વ્યાખ્યા જ સ્પષ્ટ ખબર નથી.
અત્યારે તમે માનો છો કે હસવું એ જીવનનો નિર્મળ આનંદ છે, હાસ્ય એ તો પ્રકૃતિની માનવને મહામૂલી ભેટ છે. પરંતુ શાસ્ત્રોમાં પરમાત્માના નિર્વિકારી સ્વરૂપનું જે વર્ણન છે તેમાં આવે છે કે ભગવાન કોને કહેવાય ? ભગવાનની ઓળખ શું? તે બતાવતાં કહ્યું જે ૧૮ દોષથી રહિત તે ૫રમાત્મા. હાસ્ય-રતિ-અરતિને પણ દોષ કહ્યા છે. હવે તમે તેને ગુણ માનો એટલે અધર્મને ધર્મ માન્યો કહેવાય. સારાને ખરાબ માનો છો, ખરાબને સારું માનો છો. આ અવિવેક છે. પરંતુ આત્માનો ખરો આનંદ તો ધીર-ગંભીર-પ્રશાંત ભાવમાં છે. હસવું, રડવું, શોક કરવો, રાજી થવું આ બધા વિકૃત ભાવ છે. કારણ કે મન તે વખતે આવેગથી ઘેરાયેલું હોય છે, તેથી આ બધા ભાવો વિકારને પેદા કરનારા છે.
સભા ઃ- સાહેબજી ! આત્માનો સ્વભાવ શું ?
સાહેબજી ઃ- આનંદ ક૨વો તે જ આત્માનો સ્વભાવ છે. સત્ ચિદાનંદ સ્વભાવ. પોતાના ગુણોમાં જ મસ્ત રહેવું, મગ્ન રહેવું, તેનો જ આસ્વાદ લેવો; આ જ આત્માનો સ્વભાવ છે. જડમાં જવું તે તો વિકૃતિ છે.
૧૦૨
સભા ઃ- સાહેબજી ! પ્રશસ્ત હાસ્ય હોય ?
સાહેબજી :- હા, તમને ધર્મ પમાડવા અમે પ્રસંગે તમને હસાવીએ છીએ. સાચો ધર્માત્મા
Jain Education International
For Private & Personal Use Only
મનોવિજય અને આત્મશુદ્ધિ
www.jainelibrary.org