________________
આપણે એક સરખી પરિસ્થિતિમાં અનંતીવાર ફર્યા છીએ. અત્યારે તમે જે પરિસ્થિતિમાં ગોઠવાયેલા છો તેવી પરિસ્થિતિમાં અનંતીવાર ગોઠવાયેલા હતા. જેમ તમે બેઠા છો તે આ જ મકાન, આ જ કબાટ, અહીંયાં જ આ દરવાજો બંધ છે તે પણ બંધ, બારી ખુલ્લી આ અત્યારે છે તેમાં કાંઈ જ ફેરફાર ન હોય. આ જ રીતનું એકસરખું વિશ્વ અનંતીવાર બન્યું છે. હવે તમે આ ભાઇનાં ચશ્માં કાઢી લો બીજું બધું સરખું જ રહે, એટલે વિશ્વ બદલાઈ જાય. અત્યારે તમારો હાથ જેમ છે તેને તમે જરા નીચો કરો એટલે પાછું વિશ્વ બદલાઈ જાય. જો કે આ બધું સમજવા કોસ્મોલોજી ભણવું પડે, તર્કબદ્ધ છે. સ્ટેપવાઇઝ તેમાં તર્કો છે, જે વાસ્તવિક છે. અમે કહીએ તો મોં પહોળાં થઇ જાય છે. પણ સારા વૈજ્ઞાનિકનો અભિપ્રાય કહું તો, તેઓ કહે છે કે અમે પણ આવું માનીએ છીએ.
જેમ એક બિલાડી બેઠી છે, તે બિલાડી ઊભી થઇ જાય ત્યારે આખી દુનિયા આની આ જ પ્રમાણે છે, પરંતુ તે વખતે વિશ્વ બદલાઈ ગયું. એવા કોન્ટેક્સ રેફરન્સ અમે અસંખ્ય માનીએ છીએ. ઊંડાણથી વિચાર કરો તો આ વાત સમજાય. કાળ અનંતો છે, જયારે વસ્તુપર્યાય મર્યાદિત છે, તો તેનું રોટેશન અનંતીવાર આવશે.
સભા:- જે મોક્ષે ગયા તે?
સાહેબજી:-હા, જેની હાજરી આ દુનિયામાંથી ગઈ તેને છોડી દેવાના અને નિગોદમાંથી નવા આવ્યા અને જૂના ગયા તેટલો ફેર તો સમજવાનો. કારણ જે વ્યક્તિ આ વિશ્વમાંથી બીજી દુનિયામાં ગઈ તેને પછી આ વિશ્વ સાથે સંપર્ક રહેતો નથી. આ જીવ અનંત કાળમાં બધા પર્યાયમાં અનંતીવાર ફરીને આવ્યો છે.
સભા:- સાહેબ ! અનંતીવાર આ જ રીતે તમે અમને ઉપદેશ આપ્યો, અમે આ જ રીતે સાંભળ્યો છતાં કેમ નિષ્ફળ ગયો? તે વખતે શું ખૂટતું હતું?
સાહેબજી - સાંભળીને ફેરફાર ન પડ્યો માટે જ પાછા અહીંયાં બેઠા છીએ. અમે પણ મફતનો ઉપદેશ આપ્યો હશે. માટે ભૂતકાળમાં આપ્યો તે રીતે પાછો જો આપીશ તો કાંઈ થશે. નહિ. જો આ ભવમાં અધ્યાત્મને પામ્યા હો તો આ નવો જન્મ છે. જે વ્યક્તિ સાચા ધર્મમાં પ્રવેશ કરે તેણે અનંત કાળમાં જે અનુભવ્યું નથી, જે મેળવ્યું નથી, તે આ ભવમાં પહેલી જ વાર તેણે મેળવ્યું છે અને ત્યારે જ સમજવાનું કે હવે ગાડી પાટે ચઢી છે અને તે જ તેની અપૂર્વ વિશેષતા છે.
* * * * * * * * * * * * * * * * * * * * # * * * * * * * * * * * * * *
* * * * * * * * * * * * * * *
૧૦૦
મનોવિજય અને આત્મશુદ્ધિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org