SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ તમે ખાધી નથી, જોઇ નથી, તેનો વિચારાત્મક ભાવ કદી કર્યો નથી, પરંતુ તે બધું જોવાજાણવા મળે તો રાગ ઊમટે. આ જગતમાં જાણકારીરૂપે તમારા મનમાં જેટલી દુનિયા છે તેના કરતાં અજ્ઞાત વિશ્વ અનંત ગણું છે. તેમાં રહેલી ભૌતિક વસ્તુના સંભાવનારૂપે રાગદ્વેષ સુષુપ્ત મનમાં પડ્યા છે, તે રાગદ્વેષ સીધા જલતા નથી. આ નથી જાણ્યું તેવી અજ્ઞાત દુનિયા ઘણી વિશાળ છે, જેના યોગ્યતારૂપે કષાયોઅંદરમાં ધરબાયેલા દારૂગોળાની જેમ પડ્યા છે. તેને જો ચિનગારી લગાડો તો તમે આખા બળીને ખાખ થઈ જાઓ એવી કષાયોની આગ અંદરમાં ભડકે છે. અંદરમાં ભોગોનું જબરદસ્ત આકર્ષણ છે. જેમ ઘણા ઝૂંપડપટ્ટીમાં રહેનારને શ્રીમંતના બંગલા-સુખ-સગવડ કે ફાઇવસ્ટાર હોટલના કદાચ સ્વાદ ચખાડવામાં આવે, જે તેમણે આજ દિવસ સુધીમાં કદી જોયા નથી કે જાણ્યા નથી, તો તેના જીવનમાં હાયવોય વધે કે ઘટે? જેઓ માંડમાંડ ઝૂંપડપટ્ટીમાં ઠરીઠામ થઈને બેઠા છે તેમના જીવનમાં ઊકળાટ વધી જાય. કારણ અંદરમાં યોગ્યતારૂપે આકર્ષણ તેમને પણ પડ્યું છે, પરંતુ તે પ્રજવલિત નથી. સભા:- એનાથી કર્મ બંધાય? સાહેબજી - હા, એટલે જે દુનિયા તમે કદી જોઈ નથી, જાણી નથી, ભોગવી નથી, અનુભવી નથી, કદાચ જોવાના પણ નથી, પણ તેના પ્રત્યે પોસીબીલીટીરૂપે(શક્યતારૂપે) જે રાગદ્વેષ પડ્યા છે; તેનાથી પણ ચોવીસે કલાક કર્મ બંધાય. માટે જ જૈનશાસ્ત્રોમાં અવિરતિનો વિશાળ કર્મબંધ દર્શાવ્યો છે. સભા -ન કરવા શું કરવું? સાહેબજી:-મનમાં વિકૃતિરૂપે પડેલા રાગદ્વેષના પરિણામોને શાંત કરવા પડે અને શાંત ન કરો તો દુનિયાના પેલા છેડાનું પણ પાપ લાગે. તેને ઠારવા કાંઇ ત્યાં જવાની જરૂર નથી; પણ અહીંયાં તમારા મનમાં પડેલા કષાયોને શાંત કરવાના છે. ત્રણ લોકના, ત્રણ કાળના પાપોનો બંધ કે પુણ્યનો બંધ કરાવી શક્તાની મનમાં અપ્રતિમ તાકાત છે. જેમ દેવલોકમાં જિનપ્રતિમા, જિનમંદિરો છે, ધર્માત્મા છે, આ બધા પ્રત્યે અનુમોદના રાગ કરીને તમે અહીં બેઠાં પુણ્ય બાંધી શકો છો; તેમ ત્યાંના ભોગવિલાસના આકર્ષણથી અહીં બેઠાં પાપ પણ બાંધી શકો છો. સંભાવનારૂપે કષાયો ધરબાયેલા છે. મનમાં શુભાશુભ માન્યતા અને પરિણતિનો વિશાળ વિભાગ છે, તેમ યોગ્યતા અને સંસ્કારનો પણ વિશાળ વિભાગ છે. * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * ૯૮ મનોવિજય અને આત્મશુદ્ધિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005185
Book TitleManovijay ane Atmshuddhi
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy