SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ સપાટી પર આવે. જેમ છાણામાં આગ ધખી રહી છે, પણ રાખનું ઢાંકણ આવવાથી બહાર વાળા દેખાતી નથી, પણ અંદરમાં તાપ-ધખારો ધખી રહ્યો છે, જે સંતાપ-તાપ-બેચેનીને પેદા કરે તેવો તાપ છે. જેમ દાખલા તરીકે, ઉનાળામાં વૈશાખ મહિનાના તાપમાં સૂર્યનાં કિરણો રોડ પર પડે છે, પરંતુ છાંયડામાં તેનાં સીધાં કિરણો નથી, છતાં ત્યાં પણ તાપ તો હોય ને? તે રોડ પરનાં કિરણોના કારણે મકાનનું ટેમ્પરેચર પણ હાઈ થઈ ગયું હોય છે. પછી તમે લાંબો સમય ગરમીમાં પસાર કરો એટલે તમારા મકાનની ગરમીથી પણ તમારું શરીર-મન ટેવાઈ જાય છે, મનમાં ઉનાળાનો અસહ્ય તાપ મૂંગા મોઢે સહન કરીને તમે તેને રુટીન કરી લીધું છે. તેમ અંતરમાં તાપનો ધખારો-સંતાપ તો છે જ, પણ આ તો અનંત કાળથી વેઠી વેઠીને આ આંતરતાપથી રીઢા થઇને એવા ટેવાઈ ગયા છો કે અંદરનો તાપ ધ્યાનમાં આવતો જ નથી. સભા - કોઠે પડી ગયું છે. સાહેબજી:- જેમ ફેક્ટરીમાં કામ કરનારની બેઠક બોઇલરની બાજુમાં હોય તો લાંબા ગાળે તે તેનાથી ટેવાઈ જાય ને? ત્યાં બહારથી આવનારને કેટલી અકળામણ લાગે? હવે કોઈ વ્યક્તિ અગવડતા સાથે ટેવાઇ જાય છે એટલા માત્રથી તેને સુખ હોય કે દુઃખ હોય? છૂટકો નથી માટે તેની સાથે સમાધાન કરી લીધું છે, પણ હોય તો દુઃખ જ. તેમ પરિણતિરૂપે કષાયો અંદર સળગે છે. આપણા આત્માના પ્રદેશો ચોવીસે કલાક ઊકળતા ચરુની જેમ ધખી રહ્યા છે. જેમ પાણી ઊકળે ત્યારે કેવું ખદબદ થાય? જરા પણ સ્થિર ન હોય, ઊંચુંનીચું થયા કરે, તેમ ચોવીસે કલાક આત્મપ્રદેશો સંતપ્ત અને ઊકળી રહ્યા છે, એક ક્ષણ પણ તેને શીતલતાનો કે શાંતિનો અનુભવ નથી, બોઈલરની બાજુમાં બેઠેલા માણસ જેવી તમારી સ્થિતિ છે. આ અંદરની દશા તમને ચિત્રરૂપે ઉપસ્થિત થવી જોઇએ, અનુભવરૂપે સ્પષ્ટ વેદાવી જોઈએ. પરિણતિનો અનુભવ કરીએ છીએ, છતાં વિચારરૂપે તેને પ્રગટ ધ્યાનમાં લેતા નથી. હૃદયમાં ૯૯% દુઃખ જ્ઞાત દુનિયાનું છે. જાણ્યું એટલે મન સીધું બેસે જ નહિ, જાણેલામાં રાગદ્વેષ થાય, આવેગ થાય, જેનાથી આત્મામાં અશાંતિ થાય. આપણે આવા દુઃખોનો પહાડ લઈને જ ફરીએ છીએ. આ પરિણતિરૂપ માનસિક દુ:ખ છે. (૩) લબ્ધિમનનો ત્રીજો વિભાગ યોગ્યતારૂપ કષાયાત્મક ભાવોઃ હવે દુનિયામાં બીજી ઘણી વસ્તુ છે, જેમ કે દેવલોક છે; ત્યાંનાં ઝવેરાત-વસ્ત્રો ઘણા ભવ્ય છે, આશ્ચર્યકારી બાગ-બગીચાઓ છે. જેમ દુનિયામાં ઘણી વાનગીઓ એવી છે કે જે * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * મનોવિજય અને આત્મશુદ્ધિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005185
Book TitleManovijay ane Atmshuddhi
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy