SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ વૃત્તિઓ જાણો-સમજો, પછી તેના પર અંકુશ મેળવવા પ્રયત્ન કરો. ધર્મમાં વિકાસ માટે આ મૂળભૂત પાસું છે. આપણે ઘણા વખતથી મનના સ્વરૂપ પર વિચાર કરી રહ્યા છીએ. મનના બે પ્રકાર છે. દ્રવ્યમન અને ભાવમન. તેમાં ભાવમનના બે પ્રકાર છે. ઉપયોગમન અને લબ્ધિમન. લબ્ધિમનની વાત ચાલી રહી છે. એમાં મુખ્ય ચાર વિભાગ છે. તેમાંથી આપણે (૧) માન્યતા અને (૨) પરિણતિનું વર્ણન કરી ગયા છીએ. હવે જે વિભાગ પર આપણે વિચારવું છે તે સીધો દેખાતો નથી, પણ મનમાં યોગ્યતારૂપે-સંભાવનારૂપે પડેલા હોય તેવા, ધરબાયેલા કષાયોના-રાગદ્વેષના અસંખ્ય પરિણામો છે; જે અજ્ઞાત ભાવો છે, તે ત્રીજો પ્રકાર (૩) યોગ્યતારૂપ કષાયાત્મક ભાવો છે; અને બીજા અનંત કાળના સંગ્રહાયેલા (૪) સંસ્કારાત્મક ભાવો મનમાં છે, તે ચોથો પ્રકાર છે, જેની જીવનમાં અમુક અસર છે. તમારી દુનિયાના વિષયમાં કેટલી જાણકારી છે ? તમે જેટલું જોયું, જાણ્યું, અનુભવ્યું તેમાં તો ચોક્કસપણે રાગદ્વેષના પરિણામ થયા છે; જેમ તમને આજ દિવસ સુધીમાં ખાધેલી ૧૦૦ વાનગીમાં જે ભાવી તેના તરફ રાગ થયો, અને જે વાનગી નહિ ભાવી તેના તરફ દ્વેષ કે અણગમો થયો હશે. તે વાનગીઓનો તમે ચોવીસે કલાક વિચાર કરી શકતા નથી, છતાં જે મીઠાઇ ખાધી તેનો સ્વાદ સારો લાગ્યો, એટલે મનમાં બંધાઇ ગયું કે આ સારી છે, ખાવા જેવી છે, તેથી રાગ ઊભો થઇ ગયો; તેને પરિણતિ કહી. જે જોયું, જાણ્યું કે અનુભવ્યું છે તેના સંગ્રહિત થયેલા રાગદ્વેષને પરિણતિ કહીએ છીએ. જેમ તમે કોઇ ડીઝાઇન જોઇ છે, અથવા જેમ ફોરેનમાં ઘણા સુંદર બગીચા છે, જોવાલાયક દશ્યો છે જે તમે ટી.વી. માં જોયા, તેને અનુભવવા ગયા નથી; છતાં તેના વિષયમાં રાગદ્વેષ મનમાં અંકિત થઇ જાય છે. તમે જે રાતદિવસ જુઓ છો, જાણો છો તેનો મનમાં સતત પ્રતિભાવ પેદા કરો છો. મન તે પ્રતિભાવોને સંગ્રહીત કરે છે અને તે રાગદ્વેષની પરિણતિરૂપે-પ્રકૃતિરૂપે જડાઇને પડ્યા રહે છે, તેથી મન મોટું સ્ટોરહાઉસ છે, સંગ્રહસ્થાન છે. જેમ કોઇ ઝવેરીની દુકાનની બાજુમાંથી પસાર થાઓ, બહાર શોકેસમાં અલંકારો જુઓ એટલે આંખો ચકળવકળ થાય; એટલે તેનું આકર્ષણ થયું, તેના પર રાગ થયો. પરંતુ પછીથી ચોવીસે કલાક તેની માળા જપતા નથી, પણ અંદ૨માં તે રાગ પ્રજ્વલિત થઇને સળગ્યા કરે છે, તેના પર ખાલી વિચારનું ઢાંકણ આવી ગયું છે; મનમાં બીજો ભાવ આવવાથી તેનો વિચાર ખસી ગયો છે, છતાં મૂળમાંથી રાગ ગયો નથી. આ જે જોયું, જાણ્યું, અનુભવ્યું તે માટેની વાત છે. તેની આગ અંદરથી ધખી રહી છે, પણ ઉપર ઢાંકણ લગાડેલું છે, માટે જ બહા૨ જ્વાળા ભભૂકતી નથી; તેની જેમ મનમાં ઢંકાઇને પડેલા રાગદ્વેષ ઢાંકેલા અગ્નિ જેવા છે. હવે આ આગ સપાટી પર ક્યારે આવે ? તીવ્રતા થાય ત્યારે મનોવિજય અને આત્મશુદ્ધિ ૯૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005185
Book TitleManovijay ane Atmshuddhi
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy