SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૮ આશ્રવ અને અનુબંધ તેણે આપ્યું. કહેવત છે ને કે “ભાવતું હતું ને વૈદે કહ્યું, તેમ તમે પણ ખુશ થઇ જાઓ છો. પણ સમજો, અર્થ-કામ તે અવિરતિ છે, અવિરતિ તે અધર્મ છે અને તેના માટે ધર્મ હોય ખરો? કે ધર્મ તો અધર્મથી છૂટવા માટે હોય? કોઈ ઉપદેશક એમ કહે કે, કોઈ દેરાસર બંધાવે તેને વર્ષો સુધીનાં દેવલોકનાં સુખ મળે, અને જો શ્રદ્ધાળુ જીવ દેવલોકનું સુખ મળે તેવા આશયથી દેરાસર બંધાવે, તો તેને બંધ શુભ અને અનુબંધ અશુભ પડશે; જેથી તે અશુભ અનુબંધના ઉદયે તેને દુર્બુદ્ધિ મળશે. માટે અમારે તો હિતાહિતનો વિચાર કરી સત્ય પ્રરૂપણા જ કરવાની છે. અપવાદે કેવળી ગ૭ ચલાવે તેવું પણ કહ્યું છે. સામાન્ય રીતે જો ઉત્તરાધિકારી મળી જાય તો તેને સોંપે, નહીંતર પોતાનો ગચ્છ બીજા ગચ્છને સોંપી દે. માટે અપેક્ષાએ ગીતાર્થ આચાર્યો જંગમ તીર્થ છે, તે માર્ગ ચલાવે છે. પેલાં તીર્થ તો બધાં સ્થાવર તીર્થ છે. આપણા ધર્મમાં કેટલી સૂક્ષ્મતા છે ! સૂત્રના ઉચ્ચારણમાં પણ જો ભૂલ થાય તો શાસ્ત્રકારોએ એને જ્ઞાનનો અતિચાર ગણ્યો છે. ધર્મમાં બ્રાન્તિ, અજ્ઞાન, બોધની ખામી એ અપલક્ષણ છે, શાસ્ત્રકારોએ તેને દોષ તરીકે કહ્યા છે. માટે બરાબર સમજો, નહીંતર ભવાંતરમાં કુટાવાનું આવશે. ક્રિયાને અને તેને અનુરૂપ અધ્યવસાયને સમજો તો કામ કાઢી શકશો. પાપાનુબંધી પુણ્ય, પાપાનુબંધી પાપ, પુણ્યાનુબંધીપાપ, પુણ્યાનુબંધી પુણ્યઃ અનુબંધની દષ્ટિએ ચાર છે. ટૂંકમાં અધ્યવસાયથી ધર્મ સમજો . geesews ક વૈરાગ્યના અભ્યાસથી મોક્ષ છે. જેમ જેમ ધર્મ આચરવાનો કાળ વધતો જાય તેમ તેમ વિષયોનો વિરાગ, કષાયનો ત્યાગ, ગુણાનુરાગ અને ક્રિયામાં અપ્રમાદ પણ વધવો જોઈએ. ગુણનો પક્ષપાત અને દોષ પ્રત્યે અરુચિ તે સમ્યક્તનું એક લક્ષણ છે. જેને પોતાને ગુણનો ખપ ન હોય તેને કદી પણ બીજાનો ગુણાનુરાગ નહિ આવે. કનિશ્ચયનયથી બધી પુણ્યપ્રકૃતિ ગુણથી બંધાયછે, વ્યવહારનયથી બધી પુણ્યપ્રકૃતિ શુભપ્રવૃત્તિથી બંધાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005184
Book TitleAshrav ane Anubandh
Original Sutra AuthorN/A
AuthorMohjitvijay
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy