SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ આશ્રવ અને અનુબંધ ૮૭ હા, તામલી તાપસ યોગની દૃષ્ટિમાં તો છે, જ્યારે તમે તો યોગની દૃષ્ટિને પણ પામ્યા નથી. તેથી તમારા ધર્મ કરતાં તેનો ધર્મ મહાન છે. તેનો છઠ્ઠનો તપ કેવો હતો ? તે ધર્મ ફક્ત મોક્ષ માટે જ કરતો હતો, ભૌતિક સામગ્રી માટે નહીં. જયારે તમે શેના માટે ધર્મ કરો છો ? તે વિચારજો. તેથી જ તમારા કરતાં તેનો તપ ઘણો ઊંચો છે. હા, જે બાબતમાં વાંધો છે તેની વાત જુદી. તેઓ બધા ઋષિ મુનિઓ હતા. સંસારની બહાર હતા. બધા આર્ય ધર્મોએ મોક્ષને સાર અને તેના સાધન તરીકે સંસારનો ત્યાગ તે સંન્યાસ કહ્યો, પણ વ્યાખ્યામાં ફેર પડે. ત્યાં ચારિત્ર અમુક કક્ષાનું, અહીં તેનાથી પણ ઉપલી કક્ષાની વાત છે. અહીં વ્યવહારનય, નિશ્ચયનય વગેરે વગેરે અનેક નયોથી વર્ણન મળે. તે જીવો પણ લાયક હોવા છતાં સર્વ નય ન મળવાથી આગળ વધી શક્યા નહિ. જ જેને દર્શનશુદ્ધિ થઇ જાય તેના માટે ધર્મ માત્ર એક જ છે અર્થાત્ ચારિત્ર. ધર્મઅધર્મ કોને કહેવાય તેનો તેને ખ્યાલ આવી જાય. તે ધર્માધર્મમાં ક્યાંય ભ્રમિત થાય નહિ. અર્થ-કામ એ અવિરતિ છે. અવિરતિ પાપમય છે. માટે જ અમે તેનો ત્યાગ કર્યો છે. પાપથી જ સંસારભ્રમણ છે. તો અવિરતિ સેવાય ખરી ? તેને પુષ્ટ કરવા ધર્મ કરાય ખરો ? માટે ગમે તે રીતે ધર્મ કરો તો શાસ્ત્ર પીઠ થાબડશે નહિ. શાસ્ત્ર તો ખુલાસા માંગશે.તે તો Natural Justice(કુદરતી ન્યાય) પર ચાલે છે. ભાવ, અધ્યવસાય, પરિણામ બધું જ માંગશે. માટે અમારે ઉપદેશ આપતાં પહેલાં બધું ભણવું પડે, નહિતર ઉપદેશક થતાં અમારું સંસારભ્રમણ વધી જાય. આ પાટ ઉપર બેસવામાં જેટલી નિર્જરાનો સંભવ છે, તેટલું બંધનું જોખમ પણ છે. સભા:- અજ્ઞાનતા હોય, આશય ન હોય તો પણ ? સાહેબજી:-અજ્ઞાનતા એ કાંઇ Plus point(જમા પાસું) થોડો છે? અજ્ઞાનતા એ તો Minus point(ઉધાર પાસું) છે. હું (ઉપદેશક) અજ્ઞાની હોઉં અને મારી રીતે ચલાવે રાખીને ઉન્માર્ગનું સ્થાપન કરું, સન્માર્ગને હાની પહોંચાડું, તો મારે ફળ ભોગવવું જ પડે. અજ્ઞાની હોય ને આશય ન હોય તો પણ સંસારવૃદ્ધિ થાય, હાડકાં ભાંગી જાય. ક્યાંય સંશય લાગે તો કહે કે, ભાઇ ! મારું આટલું જ Level(સ્તર) છે. પાછી તમારે પણ તે સાંભળતાં અક્કલ તો ઠેકાણે રાખવાની જ છે. અજ્ઞાનથી પણ ખોટો ઉપદેશ આપે અને તમે તેનાથી દોરવાઇ ખોટું કરો, તો તમને પણ તેનું અવળું જ ફળ મળવાનું. સંસારમાં તમને કોઇ ઊંધું માર્ગદર્શન આપે તો ? તમે કેટલાને પૂછો ? હજાર વાર ચકાસણી કરો ? ક્યાંય સીસામાં ન ઊતરો ને ? અહીં અર્થ-કામ માટે ધર્મ કરવાનું કહે તો તમને ગમતું હતું તે જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005184
Book TitleAshrav ane Anubandh
Original Sutra AuthorN/A
AuthorMohjitvijay
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy