SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ આશ્રવ અને અનુબંધ ટકી રહે. સભા - કહેવાય છે ને કે સાધર્મિકમાં તીર્થકર આદિના જીવો હોય છે? સાહેબજી:- ચતુર્વિધ સંઘમાં તીર્થકરનો જીવ હોઇ શકે છે. જ્યારે તમારે ઘરે સંઘની પધરામણી કરાવવાની હોય ત્યારે આ સૂત્ર લગાડીને વિચારવાનું છે. બાકી વ્યક્તિગત ભક્તિ કરવાની હોય તો બંનેના ગુણની વૃદ્ધિ થાય તે રીતે જ કરવાની આવે. Either of them(ત બેમાંથી એક) પણ નહીં, પણ Both of them (તે બને)ના ગુણની વૃદ્ધિની વાત છે. તમારાથી થતા ધર્મમાં Reality(વાસ્તવિકતા) શું છે? અને અવિચારકતા કેટલી છે? તે વિચારજો. તમે શેના ખપી છો? અવિધિના ખપથી તથા તેના પક્ષપાતથી અનુબંધ ખોટો પડશે. માટે ભગવાનની આજ્ઞા મુજબ ધર્મ કરવાનો છે. “થHો” (આજ્ઞામાં જ ધર્મ) કહ્યું છે. વિચારજો, તીર્થકર શું છે? તેમનું સ્વરૂપ શું છે? તેમનું પ્રદાન શું છે? હું તો તેમની ચરણરજ બરાબર પણ નથી. ક્યાં સર્વ ગુણોથી સહિત તે અને ક્યાં હું અનેક દોષોથી ભરેલો? અંદર શું શું ભરેલું છે? પૂ. ઉપાધ્યાયજી મ.સા.એ લખ્યું છે કે, હે પ્રભુ! જ્યાં જ્યાં તારી મહોરછાપ લાગે તેટલું જ મારે પ્રમાણ છે. એકાંતવાદ કરતાં સ્યાદ્વાદ (અનેકાંતવાદ) પ્રત્યક્ષ છે, માટે જ તેના ઉપર શ્રદ્ધા કરીએ છીએ. હવે આશ્રવતત્ત્વની વાત કરે છે. તેના બે પ્રકાર. શુભ આશ્રવ અને અશુભ આશ્રવ. શુભાશ્રવ કરતી વખતે પણ અનુબંધ ઉપર ધ્યાન રાખવાનું છે. મિથ્યાત્વી કરોડો રૂપિયાનું દાન આપે, જયારે સમકિતી ૧૧ રૂપિયાનું દાન આપે તો પણ તેનું દાન મહાન છે. મિથ્યાત્વી ગમે તેટલું તપ કરે, તેના કરતાં સમકિતીની એક નવકારશીનું ફળ મહાન છે. સમકિતી ભાવથી પ્રભુની આજ્ઞામાં છે. અન્ય જગ્યાએ રહેલ અપુનબંધક જીવ પણ દ્રવ્યથી પ્રભુની આજ્ઞામાં છે. તામલી તાપસ યોગની બે દૃષ્ટિથી આગળ છે; પણ તે સમકિત નથી પામ્યો, માટે તેના ૬૦૦૦૦ વર્ષના તપ કરતાં સમકિતીની એક નવકારશીનું ફળ ચઢી જાય, સમકિતી superior(ચઢિયાતો) છે. ક્યાં તત્ત્વજ્ઞાનના Background (ભૂમિકા)વાળો જીવ અને ક્યાં તત્ત્વજ્ઞાનના Background(ભૂમિકા) વગરનો જીવ! માટે ગુણસ્થાનકભેદે આખી Mentality (મનોવૃત્તિ) બદલાઇ જાય છે. આમ એકની એક ક્રિયાનું ફળ બંનેને જુદું જુદું આવશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005184
Book TitleAshrav ane Anubandh
Original Sutra AuthorN/A
AuthorMohjitvijay
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy